AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Onion Oil : કાંદાનું તેલ વાળમાં ખોડો અને વાળ ખરવા જેવી સમસ્યાઓને દૂર કરવા સાબિત થશે અકસીર ઈલાજ

ડુંગળીનું તેલ બનાવવા માટે સૌથી પહેલા લગભગ 50 ગ્રામ ડુંગળીને મિક્સરમાં નાખીને પીસી લો. આ પછી એક પેનમાં નારિયેળ તેલ નાખો. તેમાં ડુંગળીની પેસ્ટ ઉમેરો. હવે તેને ઉકળવા દો. પ્રથમ ઉકળ્યા પછી, આગને ધીમી કરો અને જ્યાં સુધી મિશ્રણમાંથી તેલ અલગ ન થાય ત્યાં સુધી ઉકળવા દો

Onion Oil : કાંદાનું તેલ વાળમાં ખોડો અને વાળ ખરવા જેવી સમસ્યાઓને દૂર કરવા સાબિત થશે અકસીર ઈલાજ
Home Remedies for Hair Care (Symbolic Image )
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 18, 2022 | 2:42 PM
Share

વાળ ખરવા (Hair Fall ) અને ડેન્ડ્રફ (Dandruff ) આજના સમયમાં ખૂબ જ સામાન્ય (Common)  સમસ્યાઓ છે. ઘણા લોકો આ સમસ્યાઓનો સામનો કરવા માટે કુદરતી ઉકેલો શોધે છે (વાળ માટે ડુંગળીનું તેલ). સંશોધકો અને સ્કિન સ્પેશ્યાલીસ્ટ ના મતે, કાંદાનું તેલ વાળ ખરતા અટકાવવામાં મદદ કરી શકે છે કારણ કે તેમાં ડાયેટરી સલ્ફર હોય છે.

આ પોષક તત્વ તમારા માથાની ચામડી માટે ફાયદાકારક છે. ડુંગળીના તેલમાં હાજર સલ્ફર તમારા વાળને ઘટ્ટ અને મજબૂત બનાવવામાં પણ મદદ કરે છે. સલ્ફર કોલેજન ઉત્પાદનને પ્રોત્સાહન આપે છે, જે બદલામાં તમારી માથાની ઉપરની ચામડીને સ્વસ્થ રાખે છે. આવો જાણીએ કાંદાના તેલના ફાયદા અને તમે તેનો ઉપયોગ કેવી રીતે કરી શકો.

વાળ માટે ડુંગળીના ફાયદા

ડુંગળીને લગતી પ્રોડક્ટ્સ ફૂગ અને બેક્ટેરિયા સામે લડી શકે છે. તે તમારા વાળને ચેપથી મુક્ત રાખી શકે છે.

ડુંગળીમાં સલ્ફરનું પ્રમાણ વધુ હોય છે જે વાળને ખરતા અને તૂટતા અટકાવવામાં મદદ કરે છે. તે વાળના મૂળને પુનર્જીવિત કરવામાં મદદ કરે છે.

જો તમે તમારા માથા ઉપરની ચામડી પર ડુંગળીના પલ્પનો ઉપયોગ કરી રહ્યાં છો, તો તે તમારા માથાની ચામડીમાં પોષક તત્વોને ફરીથી ભરવામાં મદદ કરી શકે છે.

ડુંગળીમાં હાજર કુદરતી અને અસરકારક એન્ટીઓક્સીડેન્ટ વાળને અકાળે સફેદ થતા અટકાવે છે.

તમારા વાળમાં ડુંગળી યુક્ત ઉત્પાદનોનો નિયમિત ઉપયોગ કરવો ખૂબ જ ફાયદાકારક છે. તે તમારા વાળને કુદરતી ચમક આપે છે.

જો તેનો નિયમિત ઉપયોગ વાળ માટે કરવામાં આવે તો તે તમારા વાળને ઘટ્ટ બનાવવામાં પણ મદદ કરે છે.

ડૅન્ડ્રફથી છુટકારો મેળવવા અને તમારી માથાની ચામડીને સાફ રાખવા માટે તમે ડુંગળીમાંથી બનેલી પ્રોડક્ટ્સનો પણ ઉપયોગ કરી શકો છો.

ડુંગળીનું તેલ માથાની ચામડીમાં રક્ત પરિભ્રમણને પણ વધારે છે. આ વાળના સારા વિકાસને પ્રોત્સાહન આપે છે.

ઘરે ડુંગળીનું તેલ કેવી રીતે બનાવવું

ડુંગળીનું તેલ બનાવવા માટે સૌથી પહેલા લગભગ 50 ગ્રામ ડુંગળીને મિક્સરમાં નાખીને પીસી લો. આ પછી એક પેનમાં નારિયેળ તેલ નાખો. તેમાં ડુંગળીની પેસ્ટ ઉમેરો. હવે તેને ઉકળવા દો. પ્રથમ ઉકળ્યા પછી, આગને ધીમી કરો અને જ્યાં સુધી મિશ્રણમાંથી તેલ અલગ ન થાય ત્યાં સુધી ઉકળવા દો. ત્યાર બાદ તેને સારી રીતે મિક્સ કરી લો. કાંદાનો રસ ઠંડુ થાય એટલે તેને ગાળીને અલગ કરી લો. તેલને ચુસ્ત ડબ્બામાં રાખો.

આ પણ વાંચો :

Child Care Tips : જો તમે નવા માતા બન્યા છો તો, બાળકની સાર સંભાળ માટે અપનાવો આ ટીપ્સ, બાળ ઉછેરમાં મળશે મદદ

Yoga For Women : પેટની ચરબીને માખણની જેમ પીગાળવામાં મદદ કરશે આ યોગાસનો

(જાહેર ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી માહિતીના હેતુ માટે લખવામાં આવી છે. મૌખિક સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ અનુસરતા પહેલા કૃપા કરીને નિષ્ણાતની સલાહ લો.)

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે
Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">