Onion Oil : કાંદાનું તેલ વાળમાં ખોડો અને વાળ ખરવા જેવી સમસ્યાઓને દૂર કરવા સાબિત થશે અકસીર ઈલાજ

ડુંગળીનું તેલ બનાવવા માટે સૌથી પહેલા લગભગ 50 ગ્રામ ડુંગળીને મિક્સરમાં નાખીને પીસી લો. આ પછી એક પેનમાં નારિયેળ તેલ નાખો. તેમાં ડુંગળીની પેસ્ટ ઉમેરો. હવે તેને ઉકળવા દો. પ્રથમ ઉકળ્યા પછી, આગને ધીમી કરો અને જ્યાં સુધી મિશ્રણમાંથી તેલ અલગ ન થાય ત્યાં સુધી ઉકળવા દો

Onion Oil : કાંદાનું તેલ વાળમાં ખોડો અને વાળ ખરવા જેવી સમસ્યાઓને દૂર કરવા સાબિત થશે અકસીર ઈલાજ
Home Remedies for Hair Care (Symbolic Image )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 18, 2022 | 2:42 PM

વાળ ખરવા (Hair Fall ) અને ડેન્ડ્રફ (Dandruff ) આજના સમયમાં ખૂબ જ સામાન્ય (Common)  સમસ્યાઓ છે. ઘણા લોકો આ સમસ્યાઓનો સામનો કરવા માટે કુદરતી ઉકેલો શોધે છે (વાળ માટે ડુંગળીનું તેલ). સંશોધકો અને સ્કિન સ્પેશ્યાલીસ્ટ ના મતે, કાંદાનું તેલ વાળ ખરતા અટકાવવામાં મદદ કરી શકે છે કારણ કે તેમાં ડાયેટરી સલ્ફર હોય છે.

આ પોષક તત્વ તમારા માથાની ચામડી માટે ફાયદાકારક છે. ડુંગળીના તેલમાં હાજર સલ્ફર તમારા વાળને ઘટ્ટ અને મજબૂત બનાવવામાં પણ મદદ કરે છે. સલ્ફર કોલેજન ઉત્પાદનને પ્રોત્સાહન આપે છે, જે બદલામાં તમારી માથાની ઉપરની ચામડીને સ્વસ્થ રાખે છે. આવો જાણીએ કાંદાના તેલના ફાયદા અને તમે તેનો ઉપયોગ કેવી રીતે કરી શકો.

વાળ માટે ડુંગળીના ફાયદા

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

ડુંગળીને લગતી પ્રોડક્ટ્સ ફૂગ અને બેક્ટેરિયા સામે લડી શકે છે. તે તમારા વાળને ચેપથી મુક્ત રાખી શકે છે.

ડુંગળીમાં સલ્ફરનું પ્રમાણ વધુ હોય છે જે વાળને ખરતા અને તૂટતા અટકાવવામાં મદદ કરે છે. તે વાળના મૂળને પુનર્જીવિત કરવામાં મદદ કરે છે.

જો તમે તમારા માથા ઉપરની ચામડી પર ડુંગળીના પલ્પનો ઉપયોગ કરી રહ્યાં છો, તો તે તમારા માથાની ચામડીમાં પોષક તત્વોને ફરીથી ભરવામાં મદદ કરી શકે છે.

ડુંગળીમાં હાજર કુદરતી અને અસરકારક એન્ટીઓક્સીડેન્ટ વાળને અકાળે સફેદ થતા અટકાવે છે.

તમારા વાળમાં ડુંગળી યુક્ત ઉત્પાદનોનો નિયમિત ઉપયોગ કરવો ખૂબ જ ફાયદાકારક છે. તે તમારા વાળને કુદરતી ચમક આપે છે.

જો તેનો નિયમિત ઉપયોગ વાળ માટે કરવામાં આવે તો તે તમારા વાળને ઘટ્ટ બનાવવામાં પણ મદદ કરે છે.

ડૅન્ડ્રફથી છુટકારો મેળવવા અને તમારી માથાની ચામડીને સાફ રાખવા માટે તમે ડુંગળીમાંથી બનેલી પ્રોડક્ટ્સનો પણ ઉપયોગ કરી શકો છો.

ડુંગળીનું તેલ માથાની ચામડીમાં રક્ત પરિભ્રમણને પણ વધારે છે. આ વાળના સારા વિકાસને પ્રોત્સાહન આપે છે.

ઘરે ડુંગળીનું તેલ કેવી રીતે બનાવવું

ડુંગળીનું તેલ બનાવવા માટે સૌથી પહેલા લગભગ 50 ગ્રામ ડુંગળીને મિક્સરમાં નાખીને પીસી લો. આ પછી એક પેનમાં નારિયેળ તેલ નાખો. તેમાં ડુંગળીની પેસ્ટ ઉમેરો. હવે તેને ઉકળવા દો. પ્રથમ ઉકળ્યા પછી, આગને ધીમી કરો અને જ્યાં સુધી મિશ્રણમાંથી તેલ અલગ ન થાય ત્યાં સુધી ઉકળવા દો. ત્યાર બાદ તેને સારી રીતે મિક્સ કરી લો. કાંદાનો રસ ઠંડુ થાય એટલે તેને ગાળીને અલગ કરી લો. તેલને ચુસ્ત ડબ્બામાં રાખો.

આ પણ વાંચો :

Child Care Tips : જો તમે નવા માતા બન્યા છો તો, બાળકની સાર સંભાળ માટે અપનાવો આ ટીપ્સ, બાળ ઉછેરમાં મળશે મદદ

Yoga For Women : પેટની ચરબીને માખણની જેમ પીગાળવામાં મદદ કરશે આ યોગાસનો

(જાહેર ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી માહિતીના હેતુ માટે લખવામાં આવી છે. મૌખિક સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ અનુસરતા પહેલા કૃપા કરીને નિષ્ણાતની સલાહ લો.)

Latest News Updates

અમદાવાદની કેટલીક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
અમદાવાદની કેટલીક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
ગુજરાતમાં મતદાન માટે વડાપ્રધાન મોદી અને અમિત શાહ આવશે અમદાવાદ
ગુજરાતમાં મતદાન માટે વડાપ્રધાન મોદી અને અમિત શાહ આવશે અમદાવાદ
આ રાશિના જાતકો આજે પૈસાની લેવડ-દેવડમાં વધુ સાવધાની રાખજો
આ રાશિના જાતકો આજે પૈસાની લેવડ-દેવડમાં વધુ સાવધાની રાખજો
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
g clip-path="url(#clip0_868_265)">