AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Barasana Laddu Holi : બરસાનામાં ધૂમધામથી ઉજવાઈ લાડુ હોળી, રંગબેરંગી રંગોથી રંગાયા ભક્તો

ગઈ કાલે બરસાનાના લાડલીજી મંદિરમાં વિશ્વ પ્રસિદ્ધ લાડુ હોળી રમવામાં આવી હતી. આ ઉત્સવને જોવા માટે દેશ-વિદેશથી લોકો આવતા હોય છે.અનેક વિદેશી લોકો આવી હોળીની ઉજવણીમાં જોવા મળતા હોય છે. આજે વિશ્વ પ્રસિદ્ધ લઠ્ઠમાર હોળી રમવામાં આવશે. 

Barasana Laddu Holi : બરસાનામાં ધૂમધામથી ઉજવાઈ લાડુ હોળી, રંગબેરંગી રંગોથી રંગાયા ભક્તો
Barasana Laddu Holi
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 28, 2023 | 6:58 AM
Share

ભારતમાં આ વર્ષ હોળી 7 માર્ચે અને ધૂળેટી 8 માર્ચના રોજ ઉજવવામાં આવશે. પણ તે પહેલા કૃષ્ણ અને રાધાની જન્મભૂમિ પર હોળીની ઊજવણી શરુ થઈ ગઈ છે. હોળી પહેલા જ ગોકુલ, મથુરા, વૃંદાવન અને બરસાનામાં રોનક જોવા મળી રહી છે. ગઈ કાલે બરસાનાના લાડલીજી મંદિરમાં વિશ્વ પ્રસિદ્ધ લાડુ હોળી રમવામાં આવી હતી. આ ઉત્સવને જોવા માટે દેશ-વિદેશથી લોકો આવતા હોય છે.અનેક વિદેશી લોકો આવી હોળીની ઉજવણીમાં જોવા મળતા હોય છે. આજે વિશ્વ પ્રસિદ્ધ લઠ્ઠમાર હોળી રમવામાં આવશે.

ફાગણ માસની શુક્લ પક્ષની અષ્ટમી તિથિએ બરસાનાના લાડલીજી મંદિરમાં લાડુ હોળી રમવાની પરંપરા છે.આ દિવસે રાધારાણીનું મંદિર ભક્તોથી ભરેલું હોય છે. આ હોળીના દર્શન માટે દૂર-દૂરથી ભક્તો આવે છે. રાધા રાણીના ભક્તો આખા વર્ષ દરમિયાન આ દિવસની રાહ જોતા હોય છે. આ પ્રસંગે દરેક ભક્તને પ્રસાદ તરીકે લાડુ આપવામાં આવે છે.

લાડુ હોળીના ફોટો-વીડિયો

કેવી રીતે શરૂ થઈ લાડુ હોળીની પરંપરા?

લાડુ હોળી સાથે જોડાયેલી ઘણી માન્યતાઓ છે. આ પરંપરાની એક માન્યતા એવી છે કે જ્યારે શ્રી કૃષ્ણ નંદગાંવમાં રહેતા હતા, તે સમયે બરસાનાથી એક ગોપી હોળી રમવાનું આમંત્રણ લઈને નંદગાંવ આવી હતી, નંદ બાબાએ આ આમંત્રણ સ્વીકાર્યું હતું. આ સંદેશ લઈને, તેણે તેના પૂજારીને બરસાના મોકલ્યો, જ્યાં રાધાજીના પિતા વૃષભાનુએ પૂજારીને લાડુ ખવડાવ્યા. જ્યારે ગોપીઓએ પૂજારી પર રંગ વરસાવવાનું શરૂ કર્યું, ત્યારે તેઓ તેમના પર લાડુ ફેંકવા લાગ્યા. ત્યારથી તે એક પરંપરા બની ગઈ જેનું પાલન આજે પણ કરવામાં આવે છે. અને લોકો હર્ષો ઉલ્લાસથી આ પરંપરા નીભાવે છે.

આ પણ વાંચો : 

શું છે લાડુ હોળીની પરંપરા?

પરંપરા મુજબ ફાગણ શુક્લ અષ્ટમી તિથિ પર, હોળી રમવાનું આમંત્રણ બરસાના ગામથી નંદગાંવ સુધી પહોંચાડવામાં આવે છે. તે જ દિવસે નંદગાંવથી એક પૂજારી ફાગ આમંત્રણ સ્વીકારવાનો સંદેશ લઈને બરસાના આવે છે. આ પ્રસંગે લાડલીજીના મંદિરમાં ઉત્સવ ઉજવવામાં આવે છે અને લાડુ ખવડાવીને પૂજારીનું મોં મીઠુ કરવામાં આવે છે. આ પછી હોળીના તહેવારની શરૂઆત રંગો સાથે થાય છે. આ જોઈને લોકો એકબીજા પર લાડુ ફેંકવા લાગે છે અને આ રીતે લાડુની હોળી રમવામાં આવે છે.

Follow Us
Breaking news: રાતોરાત ગાયબ થયું AMTS બસ સ્ટેન્ડ! જુઓ Video
Breaking news: રાતોરાત ગાયબ થયું AMTS બસ સ્ટેન્ડ! જુઓ Video
Breaking News: પેટ્રોલ-ડિઝલ બચાવવા રાજ્ય સરકારનો મોટો નિર્ણય
Breaking News: પેટ્રોલ-ડિઝલ બચાવવા રાજ્ય સરકારનો મોટો નિર્ણય
પરિવારમાં બધાને ધ્યાનથી સાંભળો, યોગ ફાયદાકારક સાબિત થશે
પરિવારમાં બધાને ધ્યાનથી સાંભળો, યોગ ફાયદાકારક સાબિત થશે
વિવાદમાં ‘લાલો’ ફેમ કરણ જોશી: યુવતીના આરોપ પર અભિનેતાએ આપી સ્પષ્ટતા
વિવાદમાં ‘લાલો’ ફેમ કરણ જોશી: યુવતીના આરોપ પર અભિનેતાએ આપી સ્પષ્ટતા
જૂનાગઢ: પ્રી-મોન્સૂન કામગીરી વિવાદમાં, મનપાના દાવા સામે લોકો નારાજ
જૂનાગઢ: પ્રી-મોન્સૂન કામગીરી વિવાદમાં, મનપાના દાવા સામે લોકો નારાજ
અમદાવાદ મેયર-સ્ટેન્ડિંગ ચેરમેનને લઈને 26 તારીખે થઈ શકે છે 'જાહેરાત'
અમદાવાદ મેયર-સ્ટેન્ડિંગ ચેરમેનને લઈને 26 તારીખે થઈ શકે છે 'જાહેરાત'
આણંદ: અમુલ ડેરીએ દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ. 10 વધાર્યા
આણંદ: અમુલ ડેરીએ દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ. 10 વધાર્યા
નવા નેતાઓને નીતિન પટેલની કડક શિખામણ, કામ કરીને પ્રજાનો વિશ્વાસ જીતો
નવા નેતાઓને નીતિન પટેલની કડક શિખામણ, કામ કરીને પ્રજાનો વિશ્વાસ જીતો
હવે 'ભાજપ' વિરુદ્ધ 'ભાજપ'! BJP ના બે જૂથ જાહેરમાં મારામારી
હવે 'ભાજપ' વિરુદ્ધ 'ભાજપ'! BJP ના બે જૂથ જાહેરમાં મારામારી
જામનગરના રણમલ લેકમાં પક્ષીઘરમાં પાણીના ફુવારા કાર્યરત કરાયા
જામનગરના રણમલ લેકમાં પક્ષીઘરમાં પાણીના ફુવારા કાર્યરત કરાયા
g clip-path="url(#clip0_868_265)">