કપાળે કરવામાં આવતી બિંદી(Bindi ) ફક્ત સ્ટાઈલ માટે જ નથી પરંતુ સ્વાસ્થ્ય (Health )માટે પણ સારી છે. ચાંદલો ભારતીય સંસ્કૃતિનો આવશ્યક ભાગ છે. કપાળ પર ચાંદલો લગાવ્યા વગર કોઈપણ ભારતીય પોશાક પૂર્ણ થતો નથી. ચાંદલો ચોક્કસપણે સ્ટાઇલ સ્ટેટમેન્ટ (Style Statement )તરીકે કામ કરે છે અને તમારા દેખાવમાં વધારો કરે છે પરંતુ શું તમે જાણો છો કે તે તમારા સ્વાસ્થ્ય માટે પણ સારું છે?અમે તમને ચાંદલો લગાવવાના તમામ સ્વાસ્થ્ય લાભો વિશે જણાવીશું.
માથાનો દુખાવો દૂર કરે છે
આપણા કપાળ પર એક ચોક્કસ પોઇન્ટ છે જ્યાં ચાંદલો લગાવવો જોઈએ અને એક્યુપ્રેશરના સિંધ્ધાંત અનુસાર, આ ચાંદલો આપણને તરત જ માથાના દુખાવોમાંથી રાહત આપે છે. કારણ કે તેમાં ચેતા અને રુધિરવાહિનીઓનું એકરૂપતા છે. જ્યારે આ પોઇન્ટની મસાજ કરવામાં આવે ત્યારે આપણે તરત જ હળવાફૂલ થઈ જઈએ છીએ.
સાઇનસ મટાડે છે
તે ટ્રાઇજેમિનલ નર્વની એક ચોક્કસ નસ દબાવે છે જે આપણો આખો ચહેરો કવર કરે છે, તેનાથી નાક અને તેની આસપાસના વિસ્તારો ઉત્તેજિત થાય છે. જે નાકની મ્યુકોસલ અસ્તર અને સાઇનસમાં બ્લડ સર્ક્યુલેશન ઉત્તેજીત કરવામાં અને વધારવામાં મદદ કરે છે. આ બંધ નાકને દૂર કરવામાં મદદ કરે છે તેમજ સાઇનસ અને નાકના સોજો ઘટાડે છે.
અનિદ્રાને ભગાવે છે
પોઇન્ટ જ્યાં ચાંદલો લગાવવામાં આવે છે તે અનિદ્રાને ભગાવવામાં પણ ખૂબ મદદ કરે છે. તે તમારા મનને શાંત કરે છે તેમજ તમારી ગરદન, શરીરના ઉપરના ભાગ, ચહેરા અને બેકના સ્નાયુઓને આરામ આપે છે. આ પોઇન્ટને દરરોજ થોડો સમય દબાવવાથી તમે સરળતાથી ઊંઘ લઇ શકો છો.
મન શાંત કરે છે
આઇબ્રોની વચ્ચે પોઇન્ટ જ્યાં આપણે ચાંદલો લગાવીએ છીએ તે પોઇન્ટ પર દરરોજ માલિશ કરવી જોઈએ કારણ કે તે આ વિસ્તાર સ્નાયુઓ અને ચેતાને આરામ આપવામાં મદદ કરે છે. આ સાથે, તે આપણા શરીર પર શાંત રીતે અસર કરે છે. જ્યારે તમે તણાવપૂર્ણ સ્થિતિમાં હોવ ત્યારે તમે તેને ખાસ દબાવો. આમ, શાંત રહેવા અને વધુ ધ્યાન કેન્દ્રિત કરવા માટે, દરરોજ ચાંદલો લગાવો.
આંખો માટે સારું
સુપ્રાટ્રોક્લિયર નર્વ પણ જ્યાં ચાંદલો લગાવવામાં આવે છે તે વિસ્તારમાંથી પસાર થાય છે, જે ટ્રાઇજેમિનલ ચેતાના નેત્ર વિભાગની એક નસ પણ છે. આ આંખો સાથે પણ જોડાયેલું છે અને ચાંદલો લગાવવાથી આ ચેતાને ઉત્તેજિત કરે છે. આ આંખના સ્વાસ્થ્યને સુધારવામાં સીધી મદદ કરે છે. તે આપણા કાનને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે અને સાંભળવામાં મદદ કરે છે.
યુવાન દેખાવમાં મદદ કરે છે.
તે આપણને અન્ય રીતે સારા દેખાવામાં પણ મદદ કરે છે. તે કરચલીઓને દૂર રાખે છે અને આપણા ચહેરાને યુવાન બનાવે છે. બિંદુ જે ચહેરાના સ્નાયુઓને ઉત્તેજિત કરે છે તે સામેલ તમામ સ્નાયુઓમાં લોહીનો પ્રવાહ વધારવામાં પણ મદદ કરે છે.
(નોંઘ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)
આ પણ વાંચો: Health : હાર્ટ એટેક અને કાર્ડિયાક એટેક વચ્ચે શું છે તફાવત ? ઇમરજન્સીમાં કેવી રીતે કરશો ઈલાજ ?
આ પણ વાંચો: Health : આયુર્વેદ અનુસાર એવા કયા ખોરાક છે જેને ગરમ કરીને ખાવો ન જોઈએ