Lifestyle: જો ઘરઆંગણે છે પારિજાતનું વૃક્ષ તો તમે છો નસીબદાર, આરોગ્ય માટે આ કરાવે છે ફાયદા

પારિજાતના પાંદડાનો ઉપયોગ તાવ, ખાંસી, સિયાટિકા તેમજ કબજિયાત જેવા રોગોને દૂર કરવા માટે થાય છે. તેના પાંદડાની પેસ્ટ બનાવીને અથવા તેમાંથી રસ કાઢવાથી ડાયાબિટીસ પણ નિયંત્રણમાં રહે છે અને પાચન શક્તિ પણ વધે છે.

Lifestyle: જો ઘરઆંગણે છે પારિજાતનું વૃક્ષ તો તમે છો નસીબદાર, આરોગ્ય માટે આ કરાવે છે ફાયદા
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 12, 2021 | 9:20 PM

પારિજાતના(Parijat) ફૂલો માત્ર દેખાવમાં જ સુંદર નથી પણ તે આરોગ્ય (Health) માટે ખૂબ જ ફાયદાકારક છે. આ ફૂલની સુગંધ મન પર એક જાદુઈ અસર કરે છે. તેને સૂંઘ્યા પછી મન શાંત થઈ જાય છે અને તમે તણાવમુક્ત અનુભવો છો. આ ફૂલ હૃદયના દર્દીઓ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. પારિજાતના 15-20 ફૂલો અથવા તેમાંથી બનાવેલા રસનું સેવન કરવાથી હૃદયને લગતી ઘણી બિમારીઓથી બચી શકાય છે.

ફૂલોનો ઉપયોગ

પારિજાતના ફૂલોમાંથી તૈયાર કરેલા તેલમાં એલર્જી વિરોધી ગુણધર્મો છે, જે વિવિધ ફંગલ અને બેક્ટેરિયલ ચેપને અટકાવવામાં મદદ કરે છે. તેના તેલનો ઉપયોગ ઘણા બધા બ્યુટી પ્રોડક્ટ્સમાં થાય છે, જેમ કે બોડી સીરમ અને ફેસ ક્રિમ. તે તમને દોષરહિત ત્વચા મેળવવા માટે પણ મદદ કરે છે. સંધિવા અને ડેન્ગ્યુ પછી હાડકામાં થતા દુખાવામાં રાહત મેળવવા માટે તેના તેલથી માલિશ કરવાથી પણ રાહત મળે છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

પેટ સંબંધિત બિમારીઓ જેવી કે ગેસ અપચોને ઓછો કરવા ઉપરાંત આ ફૂલોનો સીધો ઉપયોગ પેટની બીજી બિમારીઓ દૂર કરવા માટે પણ કરી શકાય  છે. પારિજાતના ફૂલો સિવાય તેના વૃક્ષના દરેક ભાગને આયુર્વેદમાં ઔષધ માનવામાં આવે છે. પારિજાતના ફૂલો, પાંદડા, દાંડી અને બીજનો ઉપયોગ કરીને તેમાંથી વિવિધ બ્યુટી પ્રોડક્ટો પણ બનાવવામાં આવે છે. તે મન, હૃદય, પેટ અને શરીરના દરેક ભાગ માટે ફાયદાકારક છે.

પાંદડાઓનો ઉપયોગ

પારિજાતના પાંદડામાંથી તૈયાર કરાયેલી હર્બલ ચા, એન્ટી-ઓક્સિડન્ટથી ભરપૂર છે, તે થાક દૂર કરવામાં અને મનને શાંત કરવામાં મદદરૂપ થાય છે. પારિજાતના પાંદડાનો ઉપયોગ તાવ, ખાંસી, સિયાટિકા તેમજ કબજિયાત જેવા રોગોને દૂર કરવા માટે થાય છે. તેના પાંદડાની પેસ્ટ બનાવીને અથવા તેમાંથી રસ કાઢવાથી ડાયાબિટીસ પણ નિયંત્રણમાં રહે છે અને પાચન શક્તિ પણ વધે છે.

દાંડીનો ઉપયોગ

પારિજાતની છાલમાંથી તૈયાર કરેલા પાઉડરનો ઉપયોગ સાંધાનો દુખાવો અને મેલેરિયામાં રાહત માટે થાય છે. જો લાંબા સમયથી તાવ આવતો હોય તો પારિજાતની થોડી છાલ લઈને તેને એક ગ્લાસ પાણીમાં ઉકાળીને તાવમાં રાહત મળે છે.

બીજનો ઉપયોગ

જો તમને પાઈલ્સની સમસ્યા હોય તો રોજ પારિજાતના બેથી ત્રણ બીજ ખાવાથી રાહત મળે છે.

નોંધ: પારિજાત ફૂલો અને તેનો કોઈપણ ભાગ કોઈપણ રોગમાં ઉપયોગ કરતા પહેલા, કૃપા કરીને તમારા આયુર્વેદિક ડોક્ટરની સલાહ લો.

આ પણ વાંચો : Health : ઘરના મસાલાના ડબ્બામાં છુપાયેલો છે વજન ઘટાડવાનો નુસખો, વાંચો કયો છે એ મસાલો ?

આ પણ વાંચો : તમારા વાળ જણાવશે તમારા આરોગ્યની સ્થિતી, આ સંકેતોને ઓળખો અને જાણો તમારા આરોગ્ય વિશે

(નોંધ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">