IRCTC ભારતના આ ટોચના સ્થાનો પર 600 રૂપિયામાં હોટેલ રૂમ ઓફર કરી રહ્યું છે, જુઓ લિસ્ટ
IRCTCએ હાલમાં જ સસ્તી હોટેલ બુકિંગની ભેટ આપી છે. જો તમે પણ પ્રવાસ કરતી વખતે સસ્તી હોટેલ બુકિંગ (Hotel booking) શોધી રહ્યા છો, તો આ લેખ દ્વારા તમે IRCTC વેબસાઈટ પર હોટલ બુક કરી શકો તે સ્થાનો વિશે જાણો.
IRCTC : ભારતના ઘણા ભાગોમાં મુસાફરીની પ્રક્રિયાને સરળ બનાવવા માટે IRCTCએ ફરી એકવાર લોકો માટે કેટલીક નવી ઑફર્સ રજૂ કરી છે. IRCTCએ પ્રવાસીઓ માટે 600 રૂપિયામાં હોટલ બુક કરાવવા માટે ભેટ આપી છે. જો તમે IRCTC (Indian Railway Catering and Tourism Corporation) વેબસાઈટ પરથી તમારા રોકાણનું બુકિંગ કરો અને તેના તમામ લાભોનો લાભ લો તો ઉનાળાની મુસાફરી તમારા ખિસ્સા પર બહુ ભારે નહીં પડે. ચાલો તમને આ વિશે વધુ માહિતી આપીએ.
અલગ-અલગ સર્વિસ ચાર્જ પોલિસી
તમે IRCTC ટુરિઝમ વેબસાઈટ પર જઈને ભારતમાં કોઈપણ ડેસ્ટિશેનશન પર હોટેલ રૂમ બુક કરી શકો છો. તમારે ફક્ત અમુક ડીલ્સ અને ડિસ્કાઉન્ટની કાળજી લેવાની છે. રૂમ મોટાભાગે બે લોકો માટે હોય છે અને તમારી કિંમતમાં ટેક્સનો સમાવેશ કરવામાં આવશે નહીં. ઉપરાંત, એક વાત યાદ રાખો કે દરેક હોટલની અલગ-અલગ સર્વિસ ચાર્જ પોલિસી હોય છે. તમને આ કિંમતમાં નાસ્તો સહિત અનેક વિકલ્પો ઓફર કરવામાં આવશે.
#Book #rooms with #IRCTCHotels gives you best deals. You can find room of your choice and #price starts as low as Rs.600. For #booking #benefits & #offers, visit https://t.co/YkHDZXH6x4@AmritMahotsav
— IRCTC (@IRCTCofficial) May 12, 2022
કયા સ્થળોએ હોટેલ બુકિંગની સુવિધા છે
વેબસાઈટ પર જઈને તમે તમારા બજેટ પ્રમાણે હોટલના રૂમના વિકલ્પો જોઈ શકો છો. IRCTC દ્વારા હોટેલ બુકિંગ ની સુવિધા ભારતના વિવિધ ભાગોમાં ઉપલબ્ધ છે. તમે ઈન્દોર, નવી દિલ્હી, દિઘા, મદુરાઈ, હરિદ્વાર, કટરા અને રાયપુર જેવા સ્થળોએ હોટલ બુક કરી શકો છો. હોટલ બુક કરવા માટે, તમે તેમની વેબસાઈટની મુલાકાત લઈ શકો છો અને તમારી પસંદગીની તારીખે તમારું રોકાવાની તારીખ બુક કરી શકો છો. હોટેલની વેબસાઇટ પર તમામ પ્રકારની માહિતી ઉપલબ્ધ હશે.
IRCTC (Indian Railway Catering and Tourism Corporation) ના આ ટૂર પેકેજ હેઠળ તમને ગુજરાતની મુલાકાત લેવાની સુવર્ણ તક મળી રહી છે. આ ટૂર પૅકેજ ( Tour Package)તમને વધારે ખર્ચ નહીં કરાવે. તમે ઓછા ખર્ચે ગુજરાતના મહત્વના સ્થળોની મુલાકાત લઈ શકશો. IRCTCની આ સફરમાં તમને અમદાવાદ અને તેની આસપાસના મહત્વના સ્થળોની મુલાકાત લેવાની તક મળશે. આ ટૂર પેકેજ હેઠળ, તમને અંબાજી મંદિર, સ્ટેચ્યુ ઓફ યુનિટી, લક્ષ્મી વિલાસ પેલેસ, અક્ષરધામ વગેરે જેવા ઘણા મહત્વપૂર્ણ સ્થળો પર લઈ જવામાં આવશે. IRCTCના આ ટૂર પેકેજ દ્વારા મુસાફરી કરવા માટે તમારે પ્રતિ વ્યક્તિ કુલ 8790 રૂપિયા ખર્ચવા પડશે.