AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Skin Care Tips: જો તમે ચહેરા પર ગ્લો લાવવા માંગો છો તો એલોવેરા જેલનો ઉપયોગ કરો

જો તમે તમારી ત્વચાને કુદરતી રીતે સુંદર બનાવવા માંગતા હો, તો તમે તમારી ત્વચા સંભાળની દિનચર્યામાં એલોવેરા જેલનો સમાવેશ કરી શકો છો. ચાલો જાણીએ તેના ફાયદા.

Skin Care Tips: જો તમે ચહેરા પર ગ્લો લાવવા માંગો છો તો એલોવેરા જેલનો ઉપયોગ કરો
Aloe Vera Gel
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 19, 2021 | 10:24 AM
Share

Skin Care Tips: એલોવેરા જેલનો ઉપયોગ કેવી રીતે કરવો, એલોવેરા જેલ (Aloe Vera Gel) ગુણધર્મોથી ભરપૂર છે અને તે આપણી ત્વચા માટે ખૂબ ફાયદાકારક છે. ઘણી દવાઓ એલોવેરા જેલમાંથી પણ બનાવવામાં આવે છે.

પરંતુ શું તમે જાણો છો કે એલોવેરા જેલ તમારા ચહેરાની સુંદરતા માટે પણ કામ કરે છે. એટલું જ નહીં, એલોવેરા જેલ આપણી ડ્રાય સ્કિન (Dry Skin) ને મોઇશ્ચરાઇઝ કરવાનું કામ કરે છે. જો તમે કુદરતી રીતે તમારી ત્વચાને સુંદર બનાવવા માંગો છો, તો એલોવેરા જેલ (Aloe Vera Gel) તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ છે. અમે તમને અહીં જણાવીશું કે તમારા ચહેરા પર એલોવેરા જેલ લગાવવાના ફાયદા શું છે.

ચહેરા પર એલોવેરા જેલ લગાવવાથી, તે તમારા ચહેરાની ત્વચાને ગ્લો આપવામાં મદદ કરે છે. આ માટે, દરરોજ રાત્રે તમારા ચહેરાને ફેસ વોશ (Face Wash) થી ધોઈ લો અને તે પછી તમારા ચહેરા પર એલોવેરા જેલ (Aloe Vera Gel) લગાવો અને હળવા મસાજ કરો. તે પછી તમે તેને આખી રાત માટે લગાવી શકો છો. સવારે ચહેરો પાણીથી ધોઈ લો. આમ કરવાથી, તમે થોડા દિવસોમાં રિઝલ્ટ જોવા મળશે.

એલોવેરા જેલથી ખીલથી છુટકારો મેળવો

એલોવેરા જેલ (Aloe Vera Gel) માં એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે જે બ્રેકઆઉટ અને ખીલથી છુટકારો મેળવવામાં મદદરૂપ સાબિત થાય છે. આ માટે રાત્રે સૂતા પહેલા ચહેરા પર એલોવેરા જેલ લગાવો.

એલોવેરા જેલથી ડાર્ક સર્કલથી છુટકારો મેળવો

દરરોજ રાત્રે ચહેરા પર એલોવેરા જેલ (Aloe Vera Gel) લગાવવાથી, તે તમારી આંખોની આસપાસના કાળા કુંડાળાને દુર કરે છે અને તમારી આંખોની સોજો પણ ઘટાડે છે.

એલોવેરામાં એન્ટિસેપ્ટિક, એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીઇનફ્લેમેન્ટરી ગુણ છે. સાથે જ તેમાં વિટામિન એ અને ફોલિક એસિડ પણ જોવા મળે છે. તેને એક હેલ્થ ટોનિકની જેમ પણ લઈ શકાય છે.

(નોંઘ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)

આ પણ વાંચો : Diabetes Care : બ્લડ સુગરને નિયંત્રિત કરવા માટે આ 5 વસ્તુઓનું કરો સેવન

આ પણ વાંચો : Ind Vs Eng : 7 ખેલાડીઓની 7 સ્ટોરી ! જાણો હારની બાજીને કેવી રીતે જીતમાં પલટાવી, જુઓ VIDEO

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">