Hair Oil : વાળની શુષ્કતાને દૂર કરવા તેલ ઘરે જ બનાવો, આ રહ્યા તેના બીજા ફાયદા

|

Mar 03, 2022 | 7:12 AM

તમારા વાળ પર ગરમ તેલની માલિશ કરવાથી ઘણી રાહત મળે છે. વાળમાં તેલ વાળના મૂળને મજબૂત બનાવે છે. વાળમાં નિયમિત તેલ લગાવવાથી વાળમાં કુદરતી ચમક આવે છે. સ્વસ્થ વાળ માટે તમે ઘરે બનાવેલા ભૃંગરાજ હેર ઓઈલનો પણ ઉપયોગ કરી શકો છો

Hair Oil : વાળની શુષ્કતાને દૂર કરવા તેલ ઘરે જ બનાવો, આ રહ્યા તેના બીજા ફાયદા
benefits bhrangraj oil for hair (Symbolic Image )

Follow us on

હેર ઓઇલનો(Hair Oil ) ઉપયોગ માથાની ચામડીને હાઇડ્રેટેડ(Hydrated ) રાખવામાં મદદ કરે છે. તે શુષ્કતા દૂર કરે છે. આ ડેન્ડ્રફ (Dandruff ) જેવી સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે. વાળમાં ભૃંગરાજ તેલ લગાવવાથી માથાની ચામડીમાં રક્ત પરિભ્રમણ સુધરે છે. તેનાથી વાળનો ગ્રોથ વધે છે.

વાળમાં તેલ લગાવવાથી તણાવ દૂર થાય છે. લાંબા, કંટાળાજનક દિવસ પછી, તમારા વાળ પર ગરમ તેલની માલિશ કરવાથી ઘણી રાહત મળે છે. વાળમાં તેલ વાળના મૂળને મજબૂત બનાવે છે. વાળમાં નિયમિત તેલ લગાવવાથી વાળમાં કુદરતી ચમક આવે છે. સ્વસ્થ વાળ માટે તમે ઘરે બનાવેલા ભૃંગરાજ હેર ઓઈલનો પણ ઉપયોગ કરી શકો છો. આવો જાણીએ આ તેલને ઘરે કેવી રીતે બનાવવું અને તેના શું ફાયદા છે.

ભૃંગરાજ વાળનું તેલ ઘરે કેવી રીતે બનાવવું

આ માટે તમારે ભૃંગરાજ પાવડર અથવા પાંદડા, નારિયેળ તેલ અથવા સરસવનું તેલ અને મેથીના દાણાની જરૂર પડશે. એક પેનમાં નાળિયેર તેલ અથવા સરસવનું તેલ નાખો. હવે તેમાં ભૃંગરાજના પાન અથવા પાવડર ઉમેરો. મિશ્રણનો રંગ લીલો ન થાય ત્યાં સુધી તેને પકાવો. મિશ્રણમાં મેથીના દાણા ઉમેરો. તેને આંચ પરથી ઉતારી લો અને તેલને ઠંડુ થવા દો. આ તેલને ગાળીને એક પાત્રમાં રાખો.

રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો
PAK ક્રિકેટરની સુંદર પત્નીનું ભારત કનેક્શન, જુઓ તસવીર
WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી
પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?

ભૃંગરાજ હેર ઓઈલ કેવી રીતે લગાવવું?

આ ઘરે બનાવેલા ભૃંગરાજ તેલને 30 સેકન્ડ માટે ગરમ કરો. આનાથી 20 થી 30 મિનિટ સુધી માથાની ચામડીની મસાજ કરો. તમે તેને આખી રાત વાળમાં રાખી શકો છો. બીજા દિવસે તમારા વાળને હળવા શેમ્પૂથી ધોઈ લો.

ભૃંગરાજ હેર ઓઈલનો ઉપયોગ કરવાના ફાયદા

ભૃંગરાજ તેલ વાળના વિકાસમાં મદદ કરે છે
જો તમે વાળ ખરવાની સમસ્યાથી પરેશાન છો તો આ હેર ઓઈલનો ઉપયોગ કરી શકો છો. તે માથાની ચામડી પર હાજર મુક્ત રેડિકલ સામે લડવામાં મદદ કરે છે. તે ઝડપથી વાળ વધારવામાં મદદ કરે છે.

ભૃંગરાજ તેલ વાળ ખરતા ઘટાડે છે

ભૃંગરાજ તેલ પોષક તત્વોથી ભરપૂર હોય છે. તે તમારા વાળને જરૂરી પોષણ પૂરું પાડે છે. તેલમાં વિટામિન્સ અને મિનરલ્સ હોય છે. તે વાળ ખરતા અટકાવે છે.

ભૃંગરાજ તેલ વાળને સફેદ થતા અટકાવે છે

જો તમે સમય પહેલા વાળ સફેદ થવાની સમસ્યાનો સામનો કરી રહ્યા છો, તો તમે આ તેલનો ઉપયોગ કરી શકો છો. તે તમારા વાળના કુદરતી રંગને જાળવી રાખવામાં મદદ કરે છે.

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

આ પણ વાંચો :

Heart Attack : નવી ટેક્નોલોજીની મદદથી 3 વર્ષ પહેલા જ જાણી શકાય છે હાર્ટ એટેકનું જોખમ ?

Diabetes : ડાયાબિટીસના દર્દીઓએ આ પાંચ સફેદ વસ્તુઓથી દૂર રહેવાની છે જરૂર

Next Article