AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

માથાના વાળના Dandruffની સમસ્યામાંથી છુટકારો મેળવવા અપનાવો આ આર્યુર્વેદિક ઉપચારો, ઝડપથી મળશે રાહત

Ayurvedic remedies : આપણે જીવનમાં ક્યારેકને ક્યારેક વાળની સમસ્યાનો સામનો કરવો પડે છે. ડૈંડ્રફની સમસ્યા પણ વાળની મુખ્ય સમસ્યામાંથી એક છે. આર્યુર્વેદિક ઉપચારો દ્વારા આવી સમસ્યાઓને દૂર કરી શકાય છે.

માથાના વાળના Dandruffની સમસ્યામાંથી છુટકારો મેળવવા અપનાવો આ આર્યુર્વેદિક ઉપચારો, ઝડપથી મળશે રાહત
Ayurvedic remedies Image Credit source: file photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 16, 2022 | 9:20 PM
Share

Ayurvedic Remedies: આપણે જીવનમાં ક્યારેકને ક્યારેક વાળની સમસ્યાનો સામનો કરવો પડે છે. ડેન્ડ્રફની (Dandruff) સમસ્યા પણ વાળની મુખ્ય સમસ્યામાંથી એક છે. આર્યુર્વેદિક ઉપચારો દ્વારા આવી સમસ્યાઓને દૂર કરી શકાય છે. ડેન્ડ્રફે મોટાભાગના લોકોના વાળમાં થતી સમસ્યા છે. તેને કારણે માઠા પર વધારે ખંજવાળ આવે છે. કેટલાક લોકો બજારના મોંઘા પ્રોડક્ટસનો આ સમસ્યા દૂર કરવા માટે ઉપયોગ કરતા હોય છે. જો આ ડેન્ડ્રફ લાંબા સમય સુધી તમારા વાળમાં રહે તો તે તમારા વાળને નુકશાન પહોંચાડી શકે છે. ભારતમાં પ્રાચીન કાળથી માનવીની સમસ્યાઓ દૂર કરવા માટે આર્યુર્વેદિક ઉપાચારોનો ઉપયોગ થાય છે. તમે પણ આ વાળની સમસ્યા દૂર કરવા માટે આર્યુર્વેદિક ઉપાચારો અપનાવી શકો છો. આ આર્યુર્વેદિક ઉપાચારોમાં પ્રાકૃતિક સામ્રગીનો ઉપયોગ થાય છે.

લીમડાના પાન – લીમડામાંથી તમને એન્ટીફંગલ, એન્ટીબેક્ટીરિલ અને એન્ટીસેપ્ટિક ગુણ મળશે. લીમડાના પાનથી ખજવાળ અને બળતરામાંથી છુટકારો આપવામાં મદદ કરે છે. તમારા વાળને લીમડાના પાનવાળા ગરમ ઉકાળેલા પાણીથી ધોઈ લો. દહીંમાં લીમડાના પાન મિક્સ કરીને એક પેસ્ટ બનાવો. તેને વાળમાં 15-20 મિનિટ સુધી લગાવી રાખો. પછીથી ધોઈ કાઢો.

મેથીના દાણા – તમારા વાળ માટે મેથીના દાણા ખુબ ફાયદાકારક છે. તમારા વાળની સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે તે મેથીના દાણા ખુબ ફાયદો આપે છે. તેનાથી તમે તમારા વાળ સફેદ કરતા પણ બચાવી શકો છો. મેથીના દાણાને રાત્રે ભીના કરીને રાખો. સવારે તે ભીના મેથીના દાણાને પીસી લો. તેમાં દહીં અને 1 ટેબલ સ્પૂન ત્રિફલા ચૂરણ ઉમેરો. તેને બરાબર મિક્સ કરીને માથા પર લગાવો. તેને 1 કલાક સુધી લગાવી રાખી તેને સેમ્પૂથી ધોઈ કાઢો.

એલોવેરા – શરીર અને ત્વચાની સારસંભાળ માટે એલોવેરા સૌથી વધારે ઉપયોગમાં લેવામાં આવે છે. એક પાત્રમાં 1 ટેબલ સ્પૂન એલોવેરા લો. તેમાં 2 ટેબલ સ્પૂન કાસ્ટર ઓઈલ ઉમેરો. આ મિશ્રણને માથામાં લગાવો. તેને આખી રાત લગાવી રાખો. ત્યારબાદ તેને સેમ્પૂથી ધોઈ કાઢો. તેનાથી તમારી તમામ સમસ્યાઓ દૂર થશે અને વાળ વધારે મૂલાયમ બનશે.

નારિયેલ તેલ અને લીંબુનો રસ – એક વાસણમાં એક ટેબલ સ્પૂન નારિયેલનું તેલ લો. તેને ગરમ કરો. તેમા લીંબુનો રસ ઉમેરો. આ મિશ્રણથી માથા પર મસાજ કરો. તેને 1-2 કલાક સુધી માથા પર લગાવી રાખો અને ત્યારબાદ તેને સેમ્પૂથી ધોઈ કાઢો.

નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે. તેનો ઉપયોગ પુર્વે આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી

નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
g clip-path="url(#clip0_868_265)">