Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગરમીમાં આ રીતે લગાવો પરફ્યુમ..લાંબા સમય સુધી રહેશે સુંગધ, જાણો ટ્રિક્સ

સામાન્ય રીતે એવું જોવામાં આવે છે કે પરફ્યુમ લગાવ્યાના થોડા કલાકો પછી તેની સુગંધ ઓછી થઈ જાય છે અને મોટાભાગના લોકો આ સમસ્યામાંથી પસાર થાય છે. આવી સ્થિતિમાં અમે તમને કેટલીક એવી ટિપ્સ જણાવી રહ્યા છીએ

ગરમીમાં આ રીતે લગાવો પરફ્યુમ..લાંબા સમય સુધી રહેશે સુંગધ, જાણો ટ્રિક્સ
perfume tricks
Follow Us:
| Updated on: May 30, 2024 | 5:39 PM

ઉનાળાની ઋતુમાં સૌથી મોટી સમસ્યા પરસેવાની છે. તડકામાં થોડો સમય બહાર નીકળતાં જ વ્યક્તિને પરસેવો આવવા લાગે છે. જેના કારણે દુર્ગંધ આવે છે. ત્યારે શરીરમાંથી આવતી દુર્ગંધને દૂર કરવા લોકો પરફ્યુમ લગાવે છે પણ ક્યારેક ગમે તેટલું લોન્ગ લાસ્ટિક સ્મેલ વાળુ પરફ્યુમ ખરીદીએ તો પણ તેની સુગંધ દિવસભર રહેતી નથી.

સામાન્ય રીતે એવું જોવામાં આવે છે કે પરફ્યુમ લગાવ્યાના થોડા કલાકો પછી તેની સુગંધ ઓછી થઈ જાય છે અને મોટાભાગના લોકો આ સમસ્યામાંથી પસાર થાય છે. આવી સ્થિતિમાં અમે તમને કેટલીક એવી ટિપ્સ જણાવી રહ્યા છીએ જેનાથી તમારા પરફ્યુમની સુંગર આખો દિવસ તાજીને તાજી રહેશે.

પરફ્યુમને ભીની જગ્યાએ ન રાખો :

બાથરૂમમાં અથવા ઘરની અન્ય કોઈ ભીની જગ્યામાં પરફ્યુમ ન રાખો. ભીની જગ્યાએ હાજર ગરમી અને ભેજ બંનેના કારણે પરફ્યુમની સુગંધ નાશ પામે છે

આજનું રાશિફળ તારીખ : 25-04-2025
Video : 'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા પર થયો પૈસાનો વરસાદ
IPL 2025 દરમિયાન જસપ્રીત બુમરાહે 'ટ્રિપલ સેન્ચુરી' ફટકારી
Pahalgam Attack : ભારતમાં સૌથી વધુ શું ભણવા આવે છે પાકિસ્તાની વિદ્યાર્થીઓ, જાણો
AC Electricity Bill : દરરોજ 10 કલાક 1.5 ટનનું AC ચલાવો, તો વીજળીનું બિલ કેટલું આવશે?
Pahalgam Attack : પહલગામ આતંકી હુમલા બાદ સેનાના જવાનનો જૂનો વીડિયો વાયરલ, જુઓ

સ્નાન કરવાના પાણીમાં લીંબુના ટીપા :

સ્નાન કરવા જાવ ત્યારે તમારા પાણીમાં 2 -3 ટીપા લિંબુના નાખો જે તમારી સ્કિનને ક્લિન અને શરીર માંથી આવતી ગંધને દૂર કરે છે,આ પછી પરફ્યુમનો ઉપયોગ કરો. તેનાથી સુગંધ લાંબા સમય સુધી ટકી રહેશે.

પરફ્યુમ લગાવ્યા પછી ઘસવું નહીં :

તમારા કાંડા પર પરફ્યુમ લગાવ્યા પછી, જો તમે તેને બીજા કાંડા પર ઘસો છો, તો પરફ્યુમની સુગંધ ઓછી થઈ જાય છે અને તે લાંબો સમય ટકતી નથી.

વધુ સારી ગુણવત્તાનું પરફ્યુમ ખરીદો :

હંમેશા સારી ક્વોલિટીનું પરફ્યુમ ખરીદો. તમે ગુણવત્તા સાથે સમાધાન કરીને કેટલાક પૈસા બચાવી શકો છો પરંતુ પરિણામો લાંબા સમય સુધી ટકી શકશે નહીં.

મોઇશ્ચરાઇઝર લગાવો :

શુષ્ક ત્વચા પર સુગંધ લાંબો સમય ટકી શકતી નથી. આવી સ્થિતિમાં બોડી પરફ્યુમ લગાવતા પહેલા મોઈશ્ચરાઈઝર લગાવવું વધુ સારું રહેશે. જો તમે ઇચ્છો તો પરફ્યુમ લગાવતા પહેલા ત્વચા પર પેટ્રોલિયમ જેલી પણ લગાવી શકો છો, પરફ્યુમ લગાવ્યા બાદ તેની સુગંધ લાંબા સમય સુધી રહેશે.

ગરમ ભાગો પર પરફ્યુમ લગાવો

તમારા શરીરના ગરમ ભાગો પર પરફ્યુમ લગાવવાથી, સુગંધ સરળતાથી ફેલાય છે, તેથી તમારે ગરદન, કાંડા, ઘૂંટણની પાછળ અને કાનના લોબ્સ પર પરફ્યુમ લગાવવું જોઈએ. એકવાર તમે તમારા શરીર પર પરફ્યુમ લગાવી લો પછી તમારા કપડા પર પણ અત્તર લગાવો.

ગુજરાતમાં આગામી દિવસોમાં તાપમાનમાં વધારો થાય તેવી આગાહી
ગુજરાતમાં આગામી દિવસોમાં તાપમાનમાં વધારો થાય તેવી આગાહી
રામકથા સાંભળવા ગયેલા વડોદરાના 19 લોકો શ્રીનગરમાં અટવાયા
રામકથા સાંભળવા ગયેલા વડોદરાના 19 લોકો શ્રીનગરમાં અટવાયા
આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન
આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન
પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન
પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન
પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને
પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને
પહેલગામમાં હુમલાને લઇ રાજ્યમાં એલર્ટ, તીર્થ સ્થાનોની વધારી સુરક્ષા
પહેલગામમાં હુમલાને લઇ રાજ્યમાં એલર્ટ, તીર્થ સ્થાનોની વધારી સુરક્ષા
ગુજરાતમાં 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો થવાની આગાહી
ગુજરાતમાં 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો થવાની આગાહી
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
g clip-path="url(#clip0_868_265)">