ચંદનના ફાયદા, નુકશાન અને તેના ઉપયોગ વિશે જાણો આ પોસ્ટમાં

ચંદનના પાન અને લાકડાના રસમાં ખાસ પ્રકારના તત્વો જોવા મળે છે જે પેટના આંતરિક રોગોની સારવારમાં મદદ કરે છે. કેટલાક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ચંદનમાં કેટલાય સંયોજનો હોય છે જે પેટના અલ્સરની સારવારમાં મદદ કરે છે.

ચંદનના ફાયદા, નુકશાન અને તેના ઉપયોગ વિશે જાણો આ પોસ્ટમાં
Benefits and disadvantages of sandalwood (Symbolic Image )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 28, 2022 | 8:19 AM

ચંદન(Sandal ) એ ખૂબ જ સુખદ સુગંધ(Smell ) ધરાવતું વૃક્ષ છે અને તેની સૌથી મહત્વની બાબત એ છે કે તેના લાકડામાંથી મળતી સુગંધ ઘણી સદીઓ સુધી રહે છે. ચંદનના પાન અને પાંદડા વિવિધ પ્રકારના ફાયદાઓ પ્રદાન કરે છે અને સદીઓથી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓની સારવાર માટે ઘરેલું ઉપચાર(Remedies ) તરીકે ઉપયોગ કરવામાં આવે છે. તેનાથી મળતા સ્વાસ્થ્ય લાભોને કારણે તેને ઔષધિ તરીકે પણ ઓળખી શકાય છે. ચંદનનો ઉપયોગ પ્રાચીન સમયથી આયુર્વેદિક ઔષધિ તરીકે કરવામાં આવે છે અને આજે પણ ચંદન અને તેની બનાવટો બજારમાં સરળતાથી મળી રહે છે.

ચંદનના લાકડા અને પાંદડામાં ઘણા સ્વાસ્થ્યપ્રદ તત્વો જોવા મળે છે, જેના ઉપયોગથી નીચેના સ્વાસ્થ્ય લાભો મળી શકે છે.

1. ચંદન ચામડીના રોગોને દૂર કરવામાં મદદ કરે છે

ચંદનમાં ચોક્કસ પ્રકારનાં બળતરા વિરોધી ગુણો જોવા મળે છે, જે ચહેરા પર સોજો, લાલાશ અને બળતરા જેવી સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે. સોરાયસીસ, ખરજવું અને એટોપિક ડર્મેટાઈટીસ જેવી પરિસ્થિતિઓમાં ચંદનનો ઉપયોગ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

સરફરાઝ ખાન બન્યો પિતા, જુઓ ફોટો
રોજ સવારે 1 કાચું આમળું ખાવાથી જાણો શું થાય છે?
માત્ર 20 રૂપિયામાં તમને મળશે સોના જેવો નિખાર, સ્કીન માટે વરદાન છે આ વસ્તુ
ગુલાબના છોડમાં નાખી દો આ વસ્તુ, ફુલોનો થશે ઢગલો
Lawrence : લેટિન ભાષાનો શબ્દ છે લોરેન્સ, આ નામનો અર્થ શું થાય?
દિવાળી પર ગૃહિણીઓ આ કાર્યો દ્વારા કમાઈ શકો છો હજારો રુપિયા

2. ચંદન પેટના રોગોને દૂર કરવામાં મદદગાર છે

ચંદનના પાન અને લાકડાના રસમાં ખાસ પ્રકારના તત્વો જોવા મળે છે જે પેટના આંતરિક રોગોની સારવારમાં મદદ કરે છે. કેટલાક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ચંદનમાં કેટલાય સંયોજનો હોય છે જે પેટના અલ્સરની સારવારમાં મદદ કરે છે.

3. ચંદન તાવ ઘટાડવામાં મદદ કરે છે

ચંદન પર કરવામાં આવેલા કેટલાક અભ્યાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે તેમાં એન્ટિપ્રાયરેટિક ગુણધર્મો પણ છે, જે શરીરના તાપમાનને સામાન્ય સ્તરે લાવવામાં મદદ કરે છે. જેમને હળવો તાવ હોય તેમના માટે ચંદન ફાયદાકારક સાબિત થઈ શકે છે.

4. ચંદનની સુગંધથી માનસિક તણાવ ઓછો થાય છે

ચંદન એક સુખદ સુગંધ ધરાવે છે, જેની ગંધ મગજના રાસાયણિક સ્તરની અસામાન્ય હિલચાલને ઘટાડે છે અને તમને સારું લાગે છે. આયુર્વેદ અનુસાર ચંદનની સુગંધ માનસિક શાંતિ પ્રદાન કરવામાં મદદ કરે છે. જો કે, ચંદનના ઉપરોક્ત ફાયદા સામાન્ય રીતે પ્રાચીન તબીબી પ્રણાલીઓ અથવા અભ્યાસો પર આધારિત છે અને દરેક વ્યક્તિના શરીર પર તેની અસર અલગ અલગ હોઈ શકે છે.

ચંદનની આડ અસરો

પેટ દુખાવો ઉલટી અથવા ઝાડા હાર્ટબર્ન આ સિવાય ચંદનની સુગંધ કેટલાક લોકો માટે માથાનો દુખાવો પેદા કરી શકે છે અને કેટલાક લોકોને તેનાથી એલર્જી થઈ શકે છે.

ચંદનનો ઉપયોગ કેવી રીતે કરવો

ચંદન પાવડરની પેસ્ટ લગાવી શકો છો ચંદનના પાનને પીસીને લગાવો તેની સુગંધ એરોમાથેરાપી તરીકે લઈ શકાય છે દૂધ સાથે ચંદન પાવડરનો ઉપયોગ કરી શકાય છે જો કે, જો તમે ચંદનનું સેવન કરવા જઈ રહ્યા છો, તો તે પહેલાં તમારે એકવાર ડૉક્ટરનો સંપર્ક કરવાની સલાહ આપવામાં આવે છે.

(નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે. તેનો ઉપયોગ પુર્વે આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી.)

આ પણ વાંચો: Health : જમ્યા પછી પેટમાં દુઃખાવાની કાયમી સમસ્યાથી મેળવો આ રીતે છુટકારો

આ પણ વાંચો: Health Tips : શરીરના દુઃખાવાથી છુટકારો મેળવવા પેઈનકિલર ન ખાઓ, આ 8 કુદરતી વસ્તુઓથી મળશે છુટકારો

ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ
ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ
મેઘરાજાએ વેર્યો વિનાશ, ધોવાયો તૈયાર પાક, ખેડૂતો થયા બરબાદ- Vidoe
મેઘરાજાએ વેર્યો વિનાશ, ધોવાયો તૈયાર પાક, ખેડૂતો થયા બરબાદ- Vidoe
g clip-path="url(#clip0_868_265)">