AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ચંદનના ફાયદા, નુકશાન અને તેના ઉપયોગ વિશે જાણો આ પોસ્ટમાં

ચંદનના પાન અને લાકડાના રસમાં ખાસ પ્રકારના તત્વો જોવા મળે છે જે પેટના આંતરિક રોગોની સારવારમાં મદદ કરે છે. કેટલાક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ચંદનમાં કેટલાય સંયોજનો હોય છે જે પેટના અલ્સરની સારવારમાં મદદ કરે છે.

ચંદનના ફાયદા, નુકશાન અને તેના ઉપયોગ વિશે જાણો આ પોસ્ટમાં
Benefits and disadvantages of sandalwood (Symbolic Image )
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 28, 2022 | 8:19 AM
Share

ચંદન(Sandal ) એ ખૂબ જ સુખદ સુગંધ(Smell ) ધરાવતું વૃક્ષ છે અને તેની સૌથી મહત્વની બાબત એ છે કે તેના લાકડામાંથી મળતી સુગંધ ઘણી સદીઓ સુધી રહે છે. ચંદનના પાન અને પાંદડા વિવિધ પ્રકારના ફાયદાઓ પ્રદાન કરે છે અને સદીઓથી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓની સારવાર માટે ઘરેલું ઉપચાર(Remedies ) તરીકે ઉપયોગ કરવામાં આવે છે. તેનાથી મળતા સ્વાસ્થ્ય લાભોને કારણે તેને ઔષધિ તરીકે પણ ઓળખી શકાય છે. ચંદનનો ઉપયોગ પ્રાચીન સમયથી આયુર્વેદિક ઔષધિ તરીકે કરવામાં આવે છે અને આજે પણ ચંદન અને તેની બનાવટો બજારમાં સરળતાથી મળી રહે છે.

ચંદનના લાકડા અને પાંદડામાં ઘણા સ્વાસ્થ્યપ્રદ તત્વો જોવા મળે છે, જેના ઉપયોગથી નીચેના સ્વાસ્થ્ય લાભો મળી શકે છે.

1. ચંદન ચામડીના રોગોને દૂર કરવામાં મદદ કરે છે

ચંદનમાં ચોક્કસ પ્રકારનાં બળતરા વિરોધી ગુણો જોવા મળે છે, જે ચહેરા પર સોજો, લાલાશ અને બળતરા જેવી સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે. સોરાયસીસ, ખરજવું અને એટોપિક ડર્મેટાઈટીસ જેવી પરિસ્થિતિઓમાં ચંદનનો ઉપયોગ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

2. ચંદન પેટના રોગોને દૂર કરવામાં મદદગાર છે

ચંદનના પાન અને લાકડાના રસમાં ખાસ પ્રકારના તત્વો જોવા મળે છે જે પેટના આંતરિક રોગોની સારવારમાં મદદ કરે છે. કેટલાક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ચંદનમાં કેટલાય સંયોજનો હોય છે જે પેટના અલ્સરની સારવારમાં મદદ કરે છે.

3. ચંદન તાવ ઘટાડવામાં મદદ કરે છે

ચંદન પર કરવામાં આવેલા કેટલાક અભ્યાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે તેમાં એન્ટિપ્રાયરેટિક ગુણધર્મો પણ છે, જે શરીરના તાપમાનને સામાન્ય સ્તરે લાવવામાં મદદ કરે છે. જેમને હળવો તાવ હોય તેમના માટે ચંદન ફાયદાકારક સાબિત થઈ શકે છે.

4. ચંદનની સુગંધથી માનસિક તણાવ ઓછો થાય છે

ચંદન એક સુખદ સુગંધ ધરાવે છે, જેની ગંધ મગજના રાસાયણિક સ્તરની અસામાન્ય હિલચાલને ઘટાડે છે અને તમને સારું લાગે છે. આયુર્વેદ અનુસાર ચંદનની સુગંધ માનસિક શાંતિ પ્રદાન કરવામાં મદદ કરે છે. જો કે, ચંદનના ઉપરોક્ત ફાયદા સામાન્ય રીતે પ્રાચીન તબીબી પ્રણાલીઓ અથવા અભ્યાસો પર આધારિત છે અને દરેક વ્યક્તિના શરીર પર તેની અસર અલગ અલગ હોઈ શકે છે.

ચંદનની આડ અસરો

પેટ દુખાવો ઉલટી અથવા ઝાડા હાર્ટબર્ન આ સિવાય ચંદનની સુગંધ કેટલાક લોકો માટે માથાનો દુખાવો પેદા કરી શકે છે અને કેટલાક લોકોને તેનાથી એલર્જી થઈ શકે છે.

ચંદનનો ઉપયોગ કેવી રીતે કરવો

ચંદન પાવડરની પેસ્ટ લગાવી શકો છો ચંદનના પાનને પીસીને લગાવો તેની સુગંધ એરોમાથેરાપી તરીકે લઈ શકાય છે દૂધ સાથે ચંદન પાવડરનો ઉપયોગ કરી શકાય છે જો કે, જો તમે ચંદનનું સેવન કરવા જઈ રહ્યા છો, તો તે પહેલાં તમારે એકવાર ડૉક્ટરનો સંપર્ક કરવાની સલાહ આપવામાં આવે છે.

(નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે. તેનો ઉપયોગ પુર્વે આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી.)

આ પણ વાંચો: Health : જમ્યા પછી પેટમાં દુઃખાવાની કાયમી સમસ્યાથી મેળવો આ રીતે છુટકારો

આ પણ વાંચો: Health Tips : શરીરના દુઃખાવાથી છુટકારો મેળવવા પેઈનકિલર ન ખાઓ, આ 8 કુદરતી વસ્તુઓથી મળશે છુટકારો

તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
g clip-path="url(#clip0_868_265)">