AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Natural Oils For Skin: ઝાડમાંથી મેળતા આ 10 તેલ તમારી ત્વચા માટે છે વરદાન

કોઈપણ ઋતુમાં ત્વચાને મોઇશ્ચરાઇઝ કરવાનું ભૂલવું ન જોઈએ. આ માટે તમને બજારમાં ઘણા વિકલ્પો મળશે પરંતુ કુદરતી તેલ ખૂબ જ અસરકારક રીત છે. કારણ કે તે ત્વચાને ભેજ તેમજ પોષણ પ્રદાન કરે છે. આ આર્ટિકસમાં આપણે ઝાડમાંથી મેળવેલા 10 તેલ વિશે જાણીશું જે ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે.

Natural Oils For Skin: ઝાડમાંથી મેળતા આ 10 તેલ તમારી ત્વચા માટે છે વરદાન
Oils for Glowing Skin
| Updated on: Aug 09, 2025 | 10:27 AM
Share

આજના સમયમાં પ્રદૂષણ પણ ત્વચાની સમસ્યાઓનું એક મુખ્ય કારણ બની ગયું છે. આ ઉપરાંત મોટાભાગના લોકો રાસાયણિક સૌંદર્ય પ્રસાધનોથી પણ દૂર રહે છે અને કુદરતી વસ્તુઓ હવે ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. આજે ત્વચાને મોઇશ્ચરાઇઝ કરવા માટે બજારમાં ઘણા મોઇશ્ચરાઇઝર વિકલ્પો ઉપલબ્ધ છે પરંતુ પહેલાના સમયમાં લોકો કુદરતી તેલનો ઉપયોગ કરતા હતા, જે ફક્ત તમારી ત્વચામાં ભેજ જાળવી રાખતા નથી પણ તેને ઊંડાણપૂર્વક પોષણ પણ આપે છે.

તમે નારિયેળ તેલ, બદામ તેલ, ઓલિવ તેલ વગેરે વિશે સાંભળ્યું હશે. આ ઉપરાંત ઝાડમાંથી ઘણા કુદરતી તેલ મેળવવામાં આવે છે જે તમારી ત્વચા સંબંધિત સમસ્યાઓથી પણ છુટકારો મેળવી શકે છે.

માલિશ કરવાથી રક્ત પરિભ્રમણ પણ સુધરે

કુદરતી તેલ તમારી ત્વચાને ભેજયુક્ત બનાવે છે અને તેને સ્વસ્થ અને કુદરતી રીતે ચમકદાર બનાવે છે. આ તેલ ખાસ કરીને સંવેદનશીલ-ડ્રાય ત્વચા ધરાવતા લોકો માટે ફાયદાકારક છે. દરરોજ રાત્રે ચહેરો ધોયા પછી કોઈપણ કુદરતી તેલના થોડા ટીપાં તમારા હાથ પર લગાવીને ચહેરા પર માલિશ કરવાથી રક્ત પરિભ્રમણ પણ સુધરે છે. જે વૃદ્ધત્વના સંકેતોને ઘટાડવામાં પણ મદદ કરે છે.

આ આર્ટિકલમાં આપણે ઝાડમાંથી મેળવેલા 10 આવા તેલ વિશે જાણીશું જે તમારી ત્વચાને ભેજયુક્ત બનાવવામાં તેમજ વિવિધ સમસ્યાઓ ઘટાડવામાં મદદરૂપ થાય છે.

  1. લીમડાનું તેલ: ખીલ હોય કે ત્વચા પર કોઈપણ પ્રકારની એલર્જી હોય કે ફોડલા હોય. લીમડાનું તેલ બેસ્ટ છે. કારણ કે તેમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે.
  2. ચંદનનું તેલ: જો તમે ત્વચાને હાઇડ્રેટ કરવા માંગતા હો અને તેને હિલ પણ કરવા માંગતા હો તો ચંદનનું તેલ તમારા માટે શ્રેષ્ઠ રહેશે. તે ત્વચાને ઠંડક પણ આપે છે.
  3. ટી ટ્રી ઓઈલ: આ તેલ ત્વચા માટે વરદાનથી ઓછું નથી. આ તેલ ત્વચાના છિદ્રોને સાફ કરે છે અને ખીલ અને ત્વચાના ચેપથી પણ બચાવે છે.
  4. નાગકેસર તેલ: તે ત્વચાના ડાઘ દૂર કરીને ત્વચાનો રંગ સુધારવામાં મદદ કરે છે અને ત્વચાની બળતરા અને સોજો ઘટાડે છે.
  5. નીલગિરી તેલ: આ તેલ તમારી ત્વચાને આરામ આપે છે અને ખીલથી લઈને ખંજવાળ સુધીની સમસ્યાઓ ઘટાડે છે.
  6. કપૂર તેલ: જો ત્વચા પર ખંજવાળ આવે છે, તો કપૂર તેલ ખૂબ ફાયદાકારક છે અને તે ડાઘ ઘટાડવામાં પણ અસરકારક છે.
  7. શિરીષ તેલ: આ તેલ તેના ડિટોક્સિફાઇંગ ગુણધર્મો માટે જાણીતું છે. તેથી તે ત્વચાને પોષણ આપે છે એટલું જ નહીં પણ તેને ઊંડે સુધી સાફ પણ કરે છે.
  8. મહુઆ તેલ: તે ત્વચા માટે એક ઉત્તમ મોઇશ્ચરાઇઝર છે. તે તમારી ત્વચાને નરમ બનાવે છે.
  9. નીલગિરી તેલ: આ તેલ તમારી ત્વચાને ચેપથી બચાવે છે તેમજ ત્વચાને ડિટોક્સિફાઇ કરવામાં મદદ કરે છે અને ત્વચાને ચમકદાર બનાવે છે.
  10. ખૈર તેલ: આ તેલ તેના એન્ટિસેપ્ટિક ગુણધર્મો માટે પણ જાણીતું છે. તે ઘાને મટાડવામાં અને ડાઘને હળવા કરવામાં મદદરૂપ છે.

Tv9 ગુજરાતી પર બ્યૂટી ટિપ્સ, રેસિપી, રિલેશનશિપ ટિપ્સ તેમજ ઘરેલુ ઉપચાર અને લાઈફસ્ટાઈલ બાબતે અવનવી સરળ ટીપ્સ નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો વધુ લાઈફસ્ટાઈલની સ્ટોરી વાંચવા માટે તમે આ પેજને ફોલો કરી શકો છો.

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">