IPL મેચમાં અંપાયરને વિરાટ કોહલી પર આવ્યો ગુસ્સો અને તોડી દીધો દરવાજો!
આઈપીએલ મેચમાં દિવસે અને દિવસે વિવાદ ઉભા થઈ રહ્યાં અને તેને લઈને ખબરો પણ આવી રહી છે. આ સીઝનમાં ઘણી એવી માહિતી આવી રહી છે જેમાં ખેલાડીયો અને અંપાયર વચ્ચે તકરાર થઈ હોય. બેંગ્લોરની ટીમના કપ્તાન વિરાટ કોહલી અને અંપાયર નાઈઝેલ વચ્ચે તકરાર થઈ હતી. આ તકરારમાં કોહલી અને અંપાયર વચ્ચે બોલાચાલી પણ થઈ હતી. આ […]
આઈપીએલ મેચમાં દિવસે અને દિવસે વિવાદ ઉભા થઈ રહ્યાં અને તેને લઈને ખબરો પણ આવી રહી છે. આ સીઝનમાં ઘણી એવી માહિતી આવી રહી છે જેમાં ખેલાડીયો અને અંપાયર વચ્ચે તકરાર થઈ હોય.
બેંગ્લોરની ટીમના કપ્તાન વિરાટ કોહલી અને અંપાયર નાઈઝેલ વચ્ચે તકરાર થઈ હતી. આ તકરારમાં કોહલી અને અંપાયર વચ્ચે બોલાચાલી પણ થઈ હતી. આ ઘટના ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે આ ઘટના બની હતી.
મીડિયાના અહેવાલો પરથી જાણવા મળ્યું કે કોહલીની સાથે બોલાચાલી બાદ અંપાયર નાઈઝેલ લોંગે અંપાયર રુમના દરવાજાને લાત મારી હતી અને તોડી નાખ્યો હતો. 4મે એટલે કે શનિવારના રોજ બેંગ્લોર અને હૈદરાબાદ વચ્ચે મુકાબલો હતો અને તેમાં હૈદરાબાદની પરિસ્થિતિ કફોડી બની હતી. આ મુકાબલો તેમના માટે કરો યા મરો જેવી પરિસ્થિતિ જેવો હતો. આ જીત મેળવવાની સાથે હૈદારબાદ પ્લે ઓફ માટે ક્વોલીફાય થઈ જાય તેવું હતું.
નાઈઝેલ લોંગએ બેંગ્લોરની ટીમના બોલર ઉમેશ યાદવના બોલને નોબોલ આપતા આ વિવાદ ઉભો થયો હતો. આ નોબલને સ્ક્રીનમાં જોતા ખબર પડી કે આ નોબોલ જ ન હતો. આથી ઉમેશ યાદવે અને વિરાટ કોહલીએ નાઈઝેલના નિર્ણયનો વિરોધ કર્યો પણ નાઈઝેલ પોતાના નિર્ણયને પાછો લીધો નહીં. આ બાબતે કોહલી અને અંપાયર નાઈઝેલ વચ્ચે મેદાનમાં ઉગ્ર બોલાચાલી થઈ ગયી અને હૈદરાબાદની રમત પુરી થયા બાદ નાઈઝેલ પોતાના અંપાયર રુમમાં પરત ફર્યા હતા. તેમણે ગુસ્સામાં અંપાયર રુમનો દરવાજો તોડી નાખ્યો હતો. આ તોડફોડ માટે નાઈઝેલને 5 હજારનો દંડ ભરવાની ફરજ પડી હતી અને નાઈઝેલે દંડ ભર્યો તેની રિસિપ્ટની પણ માગણી કરી છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]