વાલીઓમાં પડી તકરાર, શિક્ષણપ્રધાન સાથેની બેઠકમાં મંડળનાં સામસામે આક્ષેપો, કહ્યું કે એક મંડળ બની રહ્યું છે રાજકીય હાથો, ફી મુદ્દે સરકાર કરી શકે છે આવતીકાલે જાહેરાત
કોરોના કાળમાં ફી રાહતનો મુદ્દો ચર્ચા છે અને હવે જ્યારે સરકાર સાથે બેઠકની વાત ચાલી રહી હતી તે સમયે જ વાલી મંડળમાં બે ભાગ પડી ગયા છે અને મિડીયા સામેજ એકબીજા પર આક્ષેપબાજી શરૂ કરી દીધી હતી. એક મંડળે કહ્યું કે નરેશ શાહ કઈ રીતે ઓલ ગુજરાત વાલી મંડળનાં પ્રમુખ બની ગયા તે જ નથી […]
કોરોના કાળમાં ફી રાહતનો મુદ્દો ચર્ચા છે અને હવે જ્યારે સરકાર સાથે બેઠકની વાત ચાલી રહી હતી તે સમયે જ વાલી મંડળમાં બે ભાગ પડી ગયા છે અને મિડીયા સામેજ એકબીજા પર આક્ષેપબાજી શરૂ કરી દીધી હતી. એક મંડળે કહ્યું કે નરેશ શાહ કઈ રીતે ઓલ ગુજરાત વાલી મંડળનાં પ્રમુખ બની ગયા તે જ નથી ખબર. તેઓ રાજકીય હાથો બનીને એકલા મળવા માટે પહોચી ગયા હતા, જ્યારે કે અમને બધાને સાથે મળવા બોલાવ્યા હતા. સુરત અને અમદાવાદનાં જ અન્ય એક મંડળનાં સદસ્યોએ તો ત્યાં સુધી કીધુ કે શિક્ષણ વિભાગ પારદર્શિતા લાવવાના બદલે નિશ્ચિત વાલી મંડળો સાથે ચર્ચા કરે છે, સુરતના વાલી મંડળે CM, ડે. CM, અનેશિક્ષણ પ્રધાનને પત્ર લખ્યો છે જો કે ચર્ચા માટે ક્યારેય કોઈ આમંત્રણ મળતું જ નથી. આ મુદ્દે નરેશ શાહે કહ્યું કે તેમને શિક્ષણપ્રધાન દ્વારા જ બોલાવવામાં આવ્યા હતા અને સરકાર આવતીકાલે જ જાહેર કરશે તેમનો નિર્ણય.