જો જીવતો હોય, તો પણ નહીં બચી શકે મસૂદ અઝહર, UNSCમાં મસૂદનો ખેલ પાડી દેવાની ભારતની જોરદાર કવાયત, ચીન ઉપર પણ ભારે વૈશ્વિક દબાણ

મસૂદ અઝહરના મોતને લઈને અનેક પ્રકારની અટકળો વહી રહી છે. જોકે પાકિસ્તાની મીડિયાએ દાવો કર્યો છે કે તે જીવતો છે. TV9 Gujarati   Web Stories View more આજનું રાશિફળ તારીખ 26-04-2024 ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ જમતા પહેલા, જમતી વખતે કે […]

જો જીવતો હોય, તો પણ નહીં બચી શકે મસૂદ અઝહર, UNSCમાં મસૂદનો ખેલ પાડી દેવાની ભારતની જોરદાર કવાયત, ચીન ઉપર પણ ભારે વૈશ્વિક દબાણ
Follow Us:
| Updated on: Mar 04, 2019 | 4:32 AM

મસૂદ અઝહરના મોતને લઈને અનેક પ્રકારની અટકળો વહી રહી છે. જોકે પાકિસ્તાની મીડિયાએ દાવો કર્યો છે કે તે જીવતો છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

આ તરફ ભારત એવો જોરદાર પ્રયત્ન કરી રહ્યો છે કે જેનાથી મસૂદ અઝહર જીવતો હશે, તો પણ નહીં બચી શકે. ભારત મસૂદને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવા માટે તમામ કૂટનીતિક પ્રયત્નો કરી રહ્યું છે અને જો તે સફળ રહ્યા, તો સૌથી મોટા વિઘ્નકર્તા ચીનની કારી પણ નહીં ચાલે.

નોંધનીય છે કે પુલવામા આતંકી હુમલા બાદ અમેરિકા, બ્રિટન અને ફ્રાંસે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ્ (UNSC)માં મસૂદને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. યૂએનએસસી સૅંક્શન કમિટી આ પ્રસ્તાવ પર આગામી 13 માર્ચે સુનાવણી કરવાની છે. કમિટીએ સંબંધિત પક્ષોને આ અંગેનું જાહેરનામુ બહાર પાડી દીધું છે.

જાહેરનામામાં કહેવામાં આવ્યું છે, ‘અમેરિકા, બ્રિટન અને ફ્રાંસ તરફથી આતંકવાદી મસૂદ અઝહરને ગ્લોબલ આતંકવાદીની યાદી (1267 ISIL)માં સામેલ કરવા અને અલકાયદાને સૅંક્શન લિસ્ટમાં સામેલ કરવાનો પ્રસ્તાવ મળ્યો છે.’

માનવામાં આવે છે કે જો ચીન આ પ્રસ્તાવ પર કોઈ અડંગો નહીં નાખે, તો આ પ્રસ્તાવ પાસ થઈ જશે અને મસૂદ અઝહર વૈશ્વિક આતંકવાદી જાહેર થઈ જશે અને ત્યાર બાદ પાકસ્તાને તેની વિરુદ્ધ કાર્યવાહી કરવી જ પડશે.

ઉલ્લેખનીય છે કે મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાની ભારતની માંગને યૂએનએસસીના પાંચ કાયમી સભ્યોમાંથી ચાર એટલે કે ફ્રાંસ, અમેરિકા, બ્રિટન અને જાપાનનો ટેકો પહેલાથી જ હાસલ છે, પરંતુ પાંચમો સભ્ય ચીન વીટો પાવરનો ઉપયોગ કરી મસૂદને વૈશ્વિક આતંકી જાહેર થતા રોકી દે છે.

દરમિયાન ભારતે એવા જોરદાર કૂટનીતિક પ્રયત્નો આદર્યા છે કે 13 માર્ચે મસૂદ અઝહરનો ખેલ પડી જ જાય. યૂએનએસસીમાં ચીન કોઈ અડંગો ન નાખી શકે, તેના માટે ભારતે યૂએનએસસીના ચાર કાયમી સભ્યો કે જેઓ ભારતના ગાઢ મિત્ર અને ટેકેદાર પણ છે, તેમના દ્વારા ચીન પર દબાણ લાવવાની રણનીતિ અપનાવી છે. અમેરિકાનું ચીન ઉપર પહેલાથી જ ભારે દબાણ છે કે તે પાકિસ્તાન સ્થિત આતંકવાદી મસૂદ અઝહરર વિરુદ્ધ કડક વલણ અપનાવે. રશિયા પણ ચીન સાથે પોતાના સારા સંબંધોનો ઉપયોગ કરી ભારતની ચિંતાઓ દૂર કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે.

આ તરફ મસૂદને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવા સામે પાકિસ્તાન સરકાર પણ કોઈ વિરોધ નહીં કરે, તેવી શક્યતાઓ વહેતી થઈ છે. પાકિસ્તાન સરકારે જૈશ એ મોહમ્મદના ચીફ મસૂદ વિરુદ્ધ કાર્યવાહી કરવાનો નિર્ણય કર્યો છે, તો સૂત્રોએ જણાવ્યું કે પાકિસ્તાન યૂએનએસસીમાં વૈશ્વિક આતંકવાદીઓની યાદીમાં મસૂદને સામેલ કરવાના પ્રસ્તાવ સામે પોતાનો વિરોધ પાછો ખેંચી શકે છે. પીટીઆઈના સૂત્રોએ જણાવ્યું કે પાકિસ્તાન સરકારે સૈદ્ધાંતિક રીતે જેઈએમ (અઝહર)ના નેતૃત્વ પર કાર્યવાહી કરવાનો નિર્ણય લઈ લીધો છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
g clip-path="url(#clip0_868_265)">