ચૂંટણી પંચ બાદ ટ્વિટરની ટીમ પણ આવી હરકતમાં, યોગી આદિત્યનાથ સહિતના આ નેતાઓના ટ્વિટને કર્યા ડિલીટ
ચૂંટણી પંચ બાદ હવે સાંપ્રદાયિક નિવેદનોને લઈને ટ્વિટર પણ હરકતમાં આવ્યું છે. ટ્વિટરે કાર્યવાહી કરીને યુપીના સીએમ યોગી આદિત્યનાથ સહિતના નેતાઓના 34 ટ્વિટને ટ્વિટર દ્વારા હટાવી લેવામાં આવ્યા છે. ટ્વિટર ઈન્ડિયા પણ ચૂંટણી પંચ બાદ હરકતમાં આવ્યું છે અને સાંપ્રદાયિક રીતે તણાવ ઉભા કરતા નેતાઓના ટ્વિટ પર લગામ કસી રહ્યું છે. યુપીના સીએમ યોગી આદિત્યનાથ […]
ચૂંટણી પંચ બાદ હવે સાંપ્રદાયિક નિવેદનોને લઈને ટ્વિટર પણ હરકતમાં આવ્યું છે. ટ્વિટરે કાર્યવાહી કરીને યુપીના સીએમ યોગી આદિત્યનાથ સહિતના નેતાઓના 34 ટ્વિટને ટ્વિટર દ્વારા હટાવી લેવામાં આવ્યા છે.
ટ્વિટર ઈન્ડિયા પણ ચૂંટણી પંચ બાદ હરકતમાં આવ્યું છે અને સાંપ્રદાયિક રીતે તણાવ ઉભા કરતા નેતાઓના ટ્વિટ પર લગામ કસી રહ્યું છે. યુપીના સીએમ યોગી આદિત્યનાથ મુસ્લિમ લીગને લઈને એક ટ્વિટ કરતા તેમાં ‘વાયરસ’ શબ્દનો ઉપયોગ કર્યો હતો. આ શબ્દના ઉપયોગના લીધે મુસ્લિમે લીગે પણ વિરોધ નોંધાવ્યો હતો જેને લઈને ટ્વિટર ઈન્ડિયા હરકતમાં આવ્યું છે અને આ વિવાદાસ્પદ ટ્વિટને જ હટાવી દીધું છે.
ટ્વિટર ઈન્ડિયાએ માત્ર યોગી આદિત્યનાથ જ નહીં પણ એકસાથે 34 ટ્વિટ પર એકશન લીધું છે. જેમાં ભાજપના દિગ્ગજ નેતા ગિરિરાજ સિંહ, MLA મનજિંદર સિંહ સિરસા, અભિનેત્રી કોયના મિત્રાનો પણ સમાવેશ થાય છે. ટ્વિટર ઈન્ડિયાએ કાર્યવાહી કરીને આ ટ્વિટને ભારતમાં દેખાતા જ બંધ કરી દીધા છે અથવા તો તેને સાઈટ પરથી હટાવી લીધા છે.
આ ઉપરાંતની કાર્યવાહીમાં ટ્વિટરે અમુક નેતાઓના તો ટ્વિટ પર તો ટ્વિટ કરવાને લઈને જ પ્રતિબંધ લગાવી દીધો છે. ચૂંટણી પંચની કાર્યવાહી બાદ આમ ટ્વિટર ઈન્ડિયા ટીમ પણ નેતાઓ પર સકંજો કસી દીધો છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]