ટીવી-9 ભારતવર્ષ સંમલેનમાં ગૃહમંત્રી રાજનાથ સિંહે પહેલી વખત સ્વીકાર્યું, ઉત્તર પ્રદેશમાં ભાજપને થશે મોટું નુકસાન,પણ દેશમાં જીત નક્કી મેળવીશું
ટીવી-9 ભારત વર્ષના સંમેલનમાં દેશના વરિષ્ઠ નેતાઓએ સંબોધન કર્યું છે. જેના સ્વાગત કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધન કર્યું હતું. જે પછી દેશના ગૃહમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા રાજનાથ સિંહે વાતચીત કરી હતી. જેમાં રાજનાથ સિંહે કોંગ્રેસના પર પ્રહાર કર્યા હતા. જેમાં રાજનાથ સિંહે કહ્યું કે, હું ક્યારેય જૂઠ્ઠું બોલ્યો નથી. અમે ક્યારેય જૂઠું બોલવાનો પ્રયત્ન […]
ટીવી-9 ભારત વર્ષના સંમેલનમાં દેશના વરિષ્ઠ નેતાઓએ સંબોધન કર્યું છે. જેના સ્વાગત કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધન કર્યું હતું. જે પછી દેશના ગૃહમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા રાજનાથ સિંહે વાતચીત કરી હતી. જેમાં રાજનાથ સિંહે કોંગ્રેસના પર પ્રહાર કર્યા હતા.
જેમાં રાજનાથ સિંહે કહ્યું કે, હું ક્યારેય જૂઠ્ઠું બોલ્યો નથી. અમે ક્યારેય જૂઠું બોલવાનો પ્રયત્ન પણ કર્યો નથી. દેશનો ચોકીદાર ચોર નથી પણ પ્યોર છે. તે વાત ભૂલવી ન જોઇએ. તેમજ 2019ની ચૂંટણીમાં ભાજપને 15 થી 20 બેઠકોનું નુકસાન ભાજપને ઉત્તર પ્રદેશમાં થઈ શકે છે તેવી સ્થિતિ લાગી રહી છે. જેના માટે તેમણે સપા-બસાપાને એકજૂથ થવાનું કારણ આપ્યું છે.
આ પણ વાંચો : રવિવારે પણ રાજ્યમાં ગરમીનો પારો વધશે, અમદાવાદ-રાજકોટ સહિત ઘણાં સ્થાનો પર ‘યલો એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું
આ સાથે રાજનાથ સિંહે કહ્યું કે, મુસ્લિમ આપણા દેશના જ નાગરિક છે. દેશ બનાવવા માટે રાજનીતિ કરવી જોઇએ નહીં. સમાજ બનાવવા માટે રાજનીતિ કરવી ન જોઇએ. તેમને સાથે લઈને ચાલવામાં આવશે. તેમજ તેમણે કહ્યું કે, અમારી સરકાર દેશના કામકાજમાં હિન્દુ-મુસ્લિમમાં કોઈ ભેદ કરી રહ્યા નથી. નાગરિકો વચ્ચે કોઈ પણ ભેદ રાખ્યો નથી.
જે સાથે જ ગૃહમંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, દેશની આઝાદી સમયે કોંગ્રેસને પણ Communal party(કોમ્યુનલ પાર્ટી) કહેવામાં આવી હતી. જે તે સમયની સ્થિતિના અનુરૂપ હતું.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]