Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલા વાયદાઓ પુરા કરવા ખેડૂત સમાજ દ્વારા આવેદન

કેન્દ્ર સરકાર પોતાના ખેડૂત વિરોધી એજેન્ડા પર પાછલા બારણેથી આગળ વધી રહી હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. હાલમાં જ ઓસ્ટ્રેલિયા સાથે મુક્ત વેપાર સમજુતીને કારણે ડેરી ઉદ્યોગ સાથે સંકળાયેલા ખેડૂતોનું અસ્તિત્વ જોખમમાં મુકાયું છે.

Surat : કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલા વાયદાઓ પુરા કરવા ખેડૂત સમાજ દ્વારા આવેદન
Application by the farming community to fulfill the promises made by the Central Government(File Image )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 31, 2022 | 6:39 PM

કેન્દ્ર સરકાર(Government )  દ્વારા વિવાદાસ્પદ ત્રણેય કૃષિ કાયદાઓ પરત લેવાની સાથે જ ખેડૂતો(Farmers  ) દ્વારા આંદોલન રદ્દ કરવાનો નિર્ણય(Decision ) લેવામાં આવ્યો હતો. જો કે, બીજી તરફ ખેડૂતો દ્વારા કરવામાં આવેલી રજુઆતો પર હજી સુધી કેન્દ્ર સરકાર દ્વારા મગનું નામ મરી પાડવામાં ન આવતાં આજે સંયુક્ત કિસાન મોર્ચા દ્વારા વિશ્વાસઘાત દિવસ તરીકે મનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. આ સાથે જ ખેડૂતો દ્વારા રાષ્ટ્રપતિને આવેદન પત્ર પાઠવીને કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલી જાહેરાતો વહેલી તકે પૂર્ણ કરવા સંદર્ભે પણ રજુઆત કરવામાં આવી છે.

ખેડૂત સમાજ ગુજરાતના અગ્રણીઓ દ્વારા આજે જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવતાં જણાવવામાં આવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ખેડૂત આંદોલન દરમ્યાન ખેડૂતો પર કરવામાં આવેલા પોલીસ કેસ તાત્કાલિક અસરથી પરત લેવામાં આવશે. જો કે આજ દિન સુધી આ મુદ્દે કોઈ હકારાત્મક અભિગમ દાખવવામાં આવ્યો નથી.

માત્ર હરિયાણા સરકાર દ્વારા કેટલાક પગલાં ઉઠાવવામાં આવ્યા છે. આ સિવાય મોટા ભાગના રાજ્યો – કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલા પોલીસ કેસો પરત લેવામાં આવ્યા નથી. આ સંદર્ભે કેન્દ્ર સરકાર દ્વારા પણ રાજ્ય સરકારોને કોઈ રજુઆત સુદ્ધાં કરવામાં આવી નથી. આ સિવાય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા પણ એમ.એસ.પી. પર એક સમિતિ બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી.

Raw papaya: ઉનાળામાં દરરોજ કાચા પપૈયા ખાવાથી શું ફાયદા થાય છે?
Vastu Tips: ઓફિસના ટેબલ પર ભુલથી પણ ના રાખવી જોઈએ આ વસ્તુઓ
આજનું રાશિફળ તારીખ : 26-04-2025
IPL 2025માં પાવરપ્લેમાં કઈ ટીમે સૌથી ઓછા છગ્ગા ફટકાર્યા છે?
CID માં કરી જોરદાર એન્ટ્રી, કોણ છે અભિનેત્રી લેખા પ્રજાપતિ?
35 વર્ષની ઉંમરે કુંવારી અભિનેત્રી બીજા ધર્મમાં કરશે લગ્ન..

જો કે, આ મુદ્દે પણ હજી સુધી સરકાર દ્વારા કોઈ સમિતિની જાહેરાત કરવામાં આવી નથી. આ સિવાય ઉત્તર પ્રદેશના લખીમપુરા ખીરી હત્યાકાંડમાં એસઆઈટી રિપોર્ટમાં મુખ્ય આરોપી તરીકે અજય મિશ્ર ટેનીના નામનો ઉલ્લેખ હોવા છતાં કેન્દ્રીય મંત્રી મંડળમાંથી તેમની હકાલપટ્ટી કરવામાં આવી નથી. જે ખેડૂતો સાથે ધરાર વિશ્વાસઘાત સમાન છે.

આ સિવાય ખેડૂત સમાજ દ્વારા આવેદન પત્રમાં જણાવવામાં આવ્યું હતું કે, કેન્દ્ર સરકાર પોતાના ખેડૂત વિરોધી એજેન્ડા પર પાછલા બારણેથી આગળ વધી રહી હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. હાલમાં જ ઓસ્ટ્રેલિયા સાથે મુક્ત વેપાર સમજુતીને કારણે ડેરી ઉદ્યોગ સાથે સંકળાયેલા ખેડૂતોનું અસ્તિત્વ જોખમમાં મુકાયું છે.

આ તમામ વિષમ સ્થિતિઓ વચ્ચે પણ ખેડૂતો દ્વારા રાત – દિવસની કાળી મજુરી કરીને દેશને આજે ખાદ્યાન્ન મુદ્દે આત્મ નિર્ભર બનાવવામાં સૌથી મોટો ફાળો આપવામાં આવ્યો છે. જેને પગલે ખેડૂતો દ્વારા રાષ્ટ્રપતિને અપીલ કરવામાં આવી છે કે, સરકાર દ્વારા કરવામાં આવેલા તમામ વાયદાઓ વહેલી તકે પૂર્ણ કરાવવામાં આવે અને જો તેમ છતાં કેન્દ્ર સરકાર પોતાના વચનો પાળવામાં નિષ્ફળ જશે તો ખેડૂતોએ નાછૂટકે પુનઃ આંદોલનના રસ્તે વળવું પડશે.

આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત, જાણો આજનું રાશિફળ
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત, જાણો આજનું રાશિફળ
ગુજરાતમાં ગરમી યથાવત રહેશે ! જાણો તમારા જિલ્લાનું તાપમાન
ગુજરાતમાં ગરમી યથાવત રહેશે ! જાણો તમારા જિલ્લાનું તાપમાન
જમ્મુ કાશ્મીર હુમલા બાદ ભારતે 'એક્શન મોડ' એક્ટિવેટ કર્યો
જમ્મુ કાશ્મીર હુમલા બાદ ભારતે 'એક્શન મોડ' એક્ટિવેટ કર્યો
નાની ઉંમરે કેમ આવી રહ્યા છે હાર્ટ એટેક ? જાણો એક્સપર્ટે શું કહ્યું
નાની ઉંમરે કેમ આવી રહ્યા છે હાર્ટ એટેક ? જાણો એક્સપર્ટે શું કહ્યું
મહુધામાં યુવક-યુવતીની હત્યાનો ભેદ ઉકેલાયો, આરોપીની ધરપકડ
મહુધામાં યુવક-યુવતીની હત્યાનો ભેદ ઉકેલાયો, આરોપીની ધરપકડ
હાઈડ્રો પ્રોજેક્ટનો વિરોધ, આદિવાસીઓ સમાજમાં રોષ ભભૂક્યો
હાઈડ્રો પ્રોજેક્ટનો વિરોધ, આદિવાસીઓ સમાજમાં રોષ ભભૂક્યો
સિંગતેલના ભાવ 4 વર્ષના તળિયે પહોચતા સામાન્ય જનતામાં હાશકારો
સિંગતેલના ભાવ 4 વર્ષના તળિયે પહોચતા સામાન્ય જનતામાં હાશકારો
મોરબીમાં જાહેર રસ્તા પર પાકિસ્તાની ધ્વજ દોરી કરાયો વિરોધ
મોરબીમાં જાહેર રસ્તા પર પાકિસ્તાની ધ્વજ દોરી કરાયો વિરોધ
જેવા સાથે તેવાનો વ્યવહાર કરો, આતંકીને ગોળી મારો- પીડિત કાશ્મીરી પરિવાર
જેવા સાથે તેવાનો વ્યવહાર કરો, આતંકીને ગોળી મારો- પીડિત કાશ્મીરી પરિવાર
વક્ફ બોર્ડના બની બેઠેલા ટ્રસ્ટીઓના કેસમાં વધુ 2 આરોપી વિરુદ્ધ ફરિયાદ
વક્ફ બોર્ડના બની બેઠેલા ટ્રસ્ટીઓના કેસમાં વધુ 2 આરોપી વિરુદ્ધ ફરિયાદ
g clip-path="url(#clip0_868_265)">