જો અચાનક શરીરમાં ઓક્સિજનનું લેવલ ઓછું થવા માંડે તો શું કરવું? જાણો આ ઘરેલું ઉપાય
એક અહેવાલ અનુસાર ઓક્સિજન લેવલ વધારવા માટે, સિરામિક એન્જિનિયરિંગ વિભાગના આઇઆઇટી બીએચયુના હાઇડ્રોજન એનર્જી નિષ્ણાંત ડો.પ્રિતમસિંહે કેટલાક સરળ ઉપાય સૂચવ્યા છે.
માત્ર કોરોનાને લીધે જ નહીં, પરંતુ અન્ય કોઈ પરિસ્થિતિમાં પણ, જો અચાનક શરીરમાં ઓક્સિજનનું સ્તર ઓછું થવાનું શરૂ જી જાય. ત્યારે આવી પરિસ્થિતિમાં દર્દીઓને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગે છે. અને ઓક્સિજન ન મળવાથી ગભરાટ થઇ જતી હોય છે. પરંતુ આવી સ્થિતિમાં ગભરાયા વગર સાવચેતીના પગલા લેવાની જરૂર છે. પ્રથમ તો જો આવી સ્થિતિ લાગે તો તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.
એક ખાનગી સમાચાર સંસ્થાના અહેવાલ અનુસાર જો કૃત્રિમ ઓક્સિજન ન મળે તો ગભરાવાની જરૂર નથી. સિરામિક એન્જિનિયરિંગ વિભાગના આઇઆઇટી બીએચયુના હાઇડ્રોજન એનર્જી નિષ્ણાંત ડો.પ્રિતમસિંહે કેટલાક સરળ ઉપાય સૂચવ્યા છે. જેની મદદથી દર્દીના શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ તાત્કાલિક જરૂરિયાત મુજબ વધારી શકાય છે. ડો.પ્રિતમે કહ્યું કે આવી કટોકટીની સ્થિતિમાં તાત્કાલિક દર્દીનું માથુ દબાવો. નરમાશથી તેના માથાના વાળ ઉપરની તરફ ખેંચો. આ પ્રક્રિયાને વારંવાર પુનરાવર્તન કરવાથી, ન્યુરોન સક્રિય થઈ જશે અને શરીરમાં જરૂરી ઓક્સિજન સપ્લાય આપમેળે સુનિશ્ચિત થશે.
બીજી રીત એ છે કે બાથરૂમમાં ફુવારો ચાલુ કરીને દર્દીને તેની નીચે બેસાડો અથવા બાથટબમાં અડધો કલાક સૂવા દો. આ કરવાથી, પાણીમાં રહેલું ઓક્સિજન છિદ્રો દ્વારા શરીરમાં પહોંચશે. જ્યારે છિદ્ર દ્વારા શરીરમાં ઓક્સિજન પહોંચે છે ત્યારે ઝેરી તત્વો મુક્ત થાય છે. આનાથી દર્દીને માત્ર તાજગીનો અનુભવ જ નહીં થાય, પરંતુ સાથે સાથે શરીરનું તાપમાન પણ સ્થિર રહેશે.
કોરોના દર્દીઓ માટે નાસ ઉપયોગ ખૂબ ઉપયોગી હોવાનું પણ કહેવામાં આવે છે કારણ કે અજવાઇન અને લીંબુનો રસ ધરાવતા ગરમ પાણીની વરાળ ફેફસાંમાં જમાવેલ કફને બહાર નીકળવામાં મદદ કરે છે. તેનાથી ફેફસાં વધુ સારી રીતે કાર્ય કરે છે અને લોહીમાં ઓક્સિજનની સપ્લાય સુધરવા માંડે છે.
જ્યારે ગભરાટ થાય છે ત્યારે 20 ટકા ઓક્સિજન ઘટે છે
દિવસ અને રાત ઓક્સિમીટરમાંથી ઓક્સિજનને માપવાની જરૂર નથી. માનસિક ગભરાટના ભોગ બનેલા લોકોના શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ કુદરતી રીતે 20 ટકાનો ઘટી જાય છે. જો ત્યાં ઓક્સિજનનો અભાવ હોય, તો શરીર પોતે જ સંકેતો આપવાનું શરૂ કરશે. જે લોકોના શરીરમાં ઓક્સિજનનો અભાવ જોવા મળશે તે નબળાઇ અનુભવાશે. શ્વાસ ઝડપથી વધવા લાગશે. અને અતિશય અછતની સ્થિતિમાં બેભાન પણ થઈ શકે છે.
(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)
આ પણ વાંચો: મુખ્યમંત્રી પદ માટે આજે શપથ ગ્રહણ કરશે મમતા, પરંતુ 6 મહિનામાં ના થયું આ કામ તો છોડવું પડશે પદ
આ પણ વાંચો: PM Kisan : કેમ હજુ સુધી ખેડૂતોના ખાતામાં જમા નથી થઈ રકમ , જાણો શું છે કારણ