રાજ્યસભામાં આ સાંસદે ‘આયુર્વેદિક મરઘી’ અને ‘આયુર્વેદિક ઈંડા’ની વાત કરી સૌને ચોંકાવી દીઘા, જુઓ VIDEO
રાજ્યસભામાં સોમવારે આયુષ મંત્રાલય અને તેના કામકાજ પર ચર્ચા કરવામાં આવી હતી. આ દરમિયાન શિવસેના નેતા સંજય રાઉતે સંસદમાં ‘આયુર્વેદિક મરઘી’ અને ‘આયુર્વેદિક ઈંડા’ને લઈને એક કિસ્સો સંભળાવ્યો હતો. સંજય રાઉત આયુષ મંત્રાલયની ભુમીકા પર વાત કરતા કહ્યું કે તેઓ એક વખત મહારષ્ટ્રના આદિવાસી વિસ્તારમાં ગયા હતા ત્યાં લોકોએ તેમને જમવાનુ આપ્યું તો તેમણે પુછ્યું […]
રાજ્યસભામાં સોમવારે આયુષ મંત્રાલય અને તેના કામકાજ પર ચર્ચા કરવામાં આવી હતી. આ દરમિયાન શિવસેના નેતા સંજય રાઉતે સંસદમાં ‘આયુર્વેદિક મરઘી’ અને ‘આયુર્વેદિક ઈંડા’ને લઈને એક કિસ્સો સંભળાવ્યો હતો. સંજય રાઉત આયુષ મંત્રાલયની ભુમીકા પર વાત કરતા કહ્યું કે તેઓ એક વખત મહારષ્ટ્રના આદિવાસી વિસ્તારમાં ગયા હતા ત્યાં લોકોએ તેમને જમવાનુ આપ્યું તો તેમણે પુછ્યું કે આ શું છે?.
આ પણ વાંચો: રાજકોટઃ પડવલા ગામ પાસે સૌની યોજનાની પાઈપલાઈનમાં ભંગાણ, ભંગાણ થતાં ચેકડેમમાં ભરાયા પાણી, જુઓ VIDEO
તો ત્યાંના આદિવાસી લોકોએ જણાવ્યું કે આ મરધી છે. બાદમાં તેમણે કહ્યું કે હું મરઘી નથી ખાતો. આ વાત પર આદિવાસીઓએ તેમને જણાવ્યું કે આ મરધી આયુર્વેદિક છે. એ લોકોએ આ મરઘીનું ભરણ પોષણ એવી રીતે કર્યું છે કે આ ખાઈને તમારા શરીરની તમામ બીમારીઓ દુર થઈ જશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
વધુમાં વાત કરતા સંજય રાઉતે જણાવ્યું કે આવી જ રીતે એક વખત ચૌધરી ચરણસિંહ કૃષિ વિદ્યાલયના કેટલાક લોકો તેમને મળવા આવ્યાં હતા અને તેમણે જણાવ્યું કે તેઓ આયુર્વેદ પર રિસર્ચ કરી રહ્યાં છે. તેઓ આયુર્વેદિક ઈંડા પર રિસર્ચ કર્યું હતુ. તેમણે જણાવ્યું કે આ ઈંડાને બનાવવા માટે મરઘીને માત્ર હર્બલ ખોરાક આપવામાં આવે છે.
આનાથી જે ઈંડુ બને છે તે સંપૂર્ણ શાકાહારી હોય છે. સંજય રાઉતે આ બાબતે આયુષ મંત્રાલયને શાકાહાર અને માંસાહાર વચ્ચેના વિવાદને પુરો કરવા માટે જણાવ્યુ હતુ. અને મંત્રાલયે જણાવવું જોઈએ કે મરધી શાકાહારી શ્રેણીમાં આશે કે માંસાહારી શ્રેણીમાં.
[yop_poll id=”1″]
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો