દિલ્લીમાં PM મોદી અને બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના વચ્ચે મુલાકાત, 3 પરિયોજનાનું કરશે ઉદ્ધાટન
દિલ્લીમાં આજે પીએમ મોદી અને બાંગ્લાદેશના પીએમ શેખ હસીના વચ્ચે મુલાકાત શરૂ થઈ છે. પીએમ મોદી અને શેખ હસીના 3 પરિયોજનાનું ઉદ્ઘાટન કરશે. ત્યારબાદ બંને નેતાઓ વચ્ચે દ્વીપક્ષીય વાતચીત થશે. જેમાં વિવિધ ક્ષેત્રે કરારો થવાની શક્યતા છે. આ મુલાકાતનો મુખ્ય મુદ્દો દ્વીપક્ષીય સંબંધો મજૂબત કરવાનો રહેશે. સાથે જ વેપાર, પરિવહન, સંપર્ક, સંસ્કૃતિ સહિત કુલ 6થી […]
દિલ્લીમાં આજે પીએમ મોદી અને બાંગ્લાદેશના પીએમ શેખ હસીના વચ્ચે મુલાકાત શરૂ થઈ છે. પીએમ મોદી અને શેખ હસીના 3 પરિયોજનાનું ઉદ્ઘાટન કરશે. ત્યારબાદ બંને નેતાઓ વચ્ચે દ્વીપક્ષીય વાતચીત થશે. જેમાં વિવિધ ક્ષેત્રે કરારો થવાની શક્યતા છે. આ મુલાકાતનો મુખ્ય મુદ્દો દ્વીપક્ષીય સંબંધો મજૂબત કરવાનો રહેશે. સાથે જ વેપાર, પરિવહન, સંપર્ક, સંસ્કૃતિ સહિત કુલ 6થી 7 ક્ષેત્રે સમજૂતી કરાર થઈ શકે છે.
આ પણ વાંચોઃ જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં ડેપ્યુટી કમિશનરની ઓફિસ બહાર આતંકીઓ દ્વારા ગ્રેનેડનો હુમલો
વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે- ભારત અને બાંગ્લાદેશ વચ્ચે સંબંધો એટલા નજીકના નથી રહ્યા. તેવામાં વાતચીતનો મુખ્ય મુદ્દો દ્વીપક્ષીય સંબંધો જ રહેશે. બંને દેશોના સંબંધોને નવી ઉંચાઈ પર લઈ જવાના પ્રયત્નો કરાશે. સાથે જ વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરાશે.
મહત્વનું છે કે આ પહેલા વિદેશ પ્રધાન એસ. જયશંકર અને શેખ હસીના વચ્ચે મુલાકાત થઈ હતી. જેમાં બંને દેશના ડેલીગેશન વચ્ચેની આ મુલાકાતમાં મહત્વના મુદ્દા પર ચર્ચા થઈ. જે દોસ્તીનો એક નવો અધ્યાય છે.