પાંડેસરાની અંબાજી મિલમાં કારીગરના મોત બાદ હંગામો, લાશને બોઇલરમાં નાખી નાશ કરવાના પ્રયાસનો આક્ષેપ
સુરતના પાંડેસરા વિસ્તારમાં અંબાજી મિલમાં ગઈકાલે રાત્રે એક કામદારનું મોત થતા અન્ય કારીગરોએ હોબાળો મચાવીને મિલ માથે લઈ લીધી હતી. પાંડેસરા વિસ્તારમાં આવેલી અંબાજી મિલમાં ગઈકાલે રાત્રે આ બનાવ બન્યો હતો. જેમાં ભેસ્તાન વિસ્તારમાં રહેતા 55 વર્ષીય શ્રીજીવન ઝા નામના વૃદ્ધ કારીગરનું ગટરમાં પડી જવાના કારણે મોત થયું હોવાનું મિલ સંચાલકોએ પરિવારજનોને જણાવ્યું હતું. જોકે […]
સુરતના પાંડેસરા વિસ્તારમાં અંબાજી મિલમાં ગઈકાલે રાત્રે એક કામદારનું મોત થતા અન્ય કારીગરોએ હોબાળો મચાવીને મિલ માથે લઈ લીધી હતી. પાંડેસરા વિસ્તારમાં આવેલી અંબાજી મિલમાં ગઈકાલે રાત્રે આ બનાવ બન્યો હતો.
જેમાં ભેસ્તાન વિસ્તારમાં રહેતા 55 વર્ષીય શ્રીજીવન ઝા નામના વૃદ્ધ કારીગરનું ગટરમાં પડી જવાના કારણે મોત થયું હોવાનું મિલ સંચાલકોએ પરિવારજનોને જણાવ્યું હતું. જોકે અન્ય કારીગરોનો આક્ષેપ હતો કે કામદારના મોત બાદ તેના મૃતદેહને બોઇલરમાં નાંખવાનો પ્રયાસ મિલ દ્વારા કરવામાં આવી રહ્યો હતો. કામદારના મોતની જાણ ન થાય અથવા તો તેને અન્ય કોઈ રીતે અકસ્માતમાં ખપાવવાના આશયથી મિલ દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યો હોય તેવો આક્ષેપ કરવામાં આવ્યો હતો.
આ વાત વાયુવેગે પ્રસરતા અન્ય કારીગરો અને પરિવારજનો ભેગા થઈ ગયા હતા અને મિલ પર હોબાળો મચાવ્યો હતો. આ વાતની જાણ પાંડેસરા પોલીસને થતા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને સમજાવટ બાદ લાશને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
જોકે કારીગરના મોતના કારણથી પરિવારજનોમાં અસંતોષ જોવા મળ્યો હતો. અને તેઓ મિલ સંચાલકો તેમજ પાંડેસરા પોલીસ સમક્ષ ન્યાયની માંગણી કરી રહ્યા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો