મુંબઈ: ભિવંડીમાં 3 માળની ઈમારત ધરાશાયી, 5 લોકોનાં મોત 20 લોકોનુ કરાયુ રેસ્ક્યુ
મુંબઈના ભિવંડીમાં 3 માળની ઈમારત ધરાશાયી થયાની ઘટના બની છે. 5 લોકોનાં મોત નિપજયાં જ્યારે 20થી વધુ લોકોની બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. અન્ય લોકોની બચાવ કામગીરી ચાલુ હોવાનું NDRFદ્વારા જાણવા મળ્યું છે. ધરાશાયી થયેલી ઇમારત 30 વર્ષ જૂની હોવાના અહેવાલ પણ સામે આવી રહ્યા છે. પટેલ કમ્પાઉન્ડમાં જિલાની બિલ્ડીંગ આવેલી છે. બિલ્ડીંગને મનપાએ […]
મુંબઈના ભિવંડીમાં 3 માળની ઈમારત ધરાશાયી થયાની ઘટના બની છે. 5 લોકોનાં મોત નિપજયાં જ્યારે 20થી વધુ લોકોની બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. અન્ય લોકોની બચાવ કામગીરી ચાલુ હોવાનું NDRFદ્વારા જાણવા મળ્યું છે. ધરાશાયી થયેલી ઇમારત 30 વર્ષ જૂની હોવાના અહેવાલ પણ સામે આવી રહ્યા છે. પટેલ કમ્પાઉન્ડમાં જિલાની બિલ્ડીંગ આવેલી છે. બિલ્ડીંગને મનપાએ 2 વખત નોટિસ પણ આપી હતી. ઘટનાની જાણ થતાની સાથે જફાયર વિભાગ, TDRF અને NDRF ઘટના સ્થળે પહોંચી હતી. ઘાયલોને આઇજીએમ હોસ્પિટલમાં ખસેડાવામાં આવ્યા હતા.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો