બંધ થયા પહેલા જેટ એરવેઝે વેચી હતી 3,500 કરોડ રૂપિયાની ટિકીટ, હવે મુસાફરોને કેવી રીતે મળશે રિફંડ?
જેટ એરવેઝની એરલાઈન્સ બંધ થઈ ગયા પછી હવે તેમના મુસાફરોને પણ મોટી મુશ્કેલી ઉભી થઈ છે. જે લોકોએ આ એરલાઈન્સ માટે એડવાન્સ ટિકીટ બુક કરી હતી. તેમના પૈસા ફસાઈ ગયા છે અને રિફંડ નથી મળ્યા. તેમની મુસાફરી માટે હવે તેમને બીજી એરલાઈન્સ પાસે વધારે ભાવમાં ટિકીટ ખરીદવી પડી રહી છે. જો કોઈ યાત્રીએ દિલ્હીથી લંડનની […]
જેટ એરવેઝની એરલાઈન્સ બંધ થઈ ગયા પછી હવે તેમના મુસાફરોને પણ મોટી મુશ્કેલી ઉભી થઈ છે. જે લોકોએ આ એરલાઈન્સ માટે એડવાન્સ ટિકીટ બુક કરી હતી. તેમના પૈસા ફસાઈ ગયા છે અને રિફંડ નથી મળ્યા.
તેમની મુસાફરી માટે હવે તેમને બીજી એરલાઈન્સ પાસે વધારે ભાવમાં ટિકીટ ખરીદવી પડી રહી છે. જો કોઈ યાત્રીએ દિલ્હીથી લંડનની ટિકીટ 2 મહિના પહેલા 66 હજાર રૂપિયામાં લીધી હતી તો હવે આ ટિકીટ 1.20 લાખ રૂપિયાની છે.
નિષ્ણાંતો ના મત મુજબ જે દિવસે એરલાઈન્સ બંધ થઈ તે સમય સુધી જેટ એરવેઝે 3,500 કરોડ રૂપિયાની ટિકીટ બુક કરી ચૂકી હતી. આ મુસાફરોને રિફંડ માટે રાહ જોવાની રહેશે. નિષ્ણાંતોએ કહ્યું કે સરકાર દ્વારા તરત જ પગલા લેવામાં આવે જેથી નિયમની હેઠળ કે મુસાફરોને તેમના પૈસા રિફંડ મળે અથવા તો તેમને બીજી એરલાઈન્સમાં મુસાફરી કરાવવામાં આવે.
આ રીતે મુસાફરોને મળી શકે છે તેમના રૂપિયા
1.જો કંપની ફરીથી ચાલુ થશે તો મુસાફરોને તેમના પૈસા મળી શકે છે.
2.બૅંક કંપનીની મિલ્કત વેચીને મુસાફરોને રિફંડ આપી શકે છે.
કર્મચારીઓએ માગી મદદ
ત્યારે બીજી તરફ જેટ એરવેઝના કર્મચારીઓએ તેમના પગાર માટે અને કંપનીને મદદ આપવા માટે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. તેમને નાણાંમંત્રી અરૂણ જેટલીને મળીને મદદ માગી છે. જેટ એરવેઝ બંધ થવાથી 20 હજારથી વધારે કર્મચારીઓની નોકરીઓ જોખમમાં છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]