મચ્છર, માખી, કીડી, ગરોળીના ત્રાસથી છુટકારો મેળવવા અપનાવો આ ઘરેલુ નુસખા
ઘરને સલામતીનો પર્યાય ગણવામાં આવે છે પણ જો ઘરમાં જ મચ્છર, માખી, કીડી અને ગરોળીનું સામ્રાજ્ય હોય તો ગંદકી ફેલાય છે અને અનેક રોગોને આમંત્રણ મળે છે. આવો તમને જણાવીએ ઘરગથ્થુ પેસ્ટ કંટ્રોલ. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો Web Stories View more IPL 2024 : આઈપીએલની […]
ઘરને સલામતીનો પર્યાય ગણવામાં આવે છે પણ જો ઘરમાં જ મચ્છર, માખી, કીડી અને ગરોળીનું સામ્રાજ્ય હોય તો ગંદકી ફેલાય છે અને અનેક રોગોને આમંત્રણ મળે છે. આવો તમને જણાવીએ ઘરગથ્થુ પેસ્ટ કંટ્રોલ.
1). મચ્છર ભગાવવાની ટીપ્સ :
1. લીમડાનું ટેક અને કોપરેલ સરખા પ્રમાણમાં લઈને શરીરે લગાવો. મચ્છર નજીક નહીં આવે. તુલસીના પાનનો રસ પણ લગાવી શકાય છે. 2. કોઈલને બદલે રૂમ બંધ કરીને 15-20 મિનિટ માટે કપૂરનું દહન કરો. 3. રૂમની બારી કે દરવાજા પાસે તુલસી, ગલગોટા કે લીંબુનો છોડ લગાવો.
2). વંદાને ભગાવવાની ટિપ્સ :
1. બોરેકસ અને ખાંડને 3:1ના પ્રમાણમાં મિક્ષ કરીને આખા ઘરમાં છાંટી દો. 2. એક સ્પ્રે બોટલમાં લીમડાના તેલ અને પાણીને મિક્ષ કરો અને રાત્રે ઘરમાં સ્પ્રે કરી દો. 3. ડોલમાં લીંબુના રસ નાંખીને પોતું કરો.
3). કીડી ભગાવવાની ટિપ્સ :
1. પાણી અને એપલ વિનેગર મિક્સ કરી ઘરમાં સ્પ્રે કરો. 2. કીડી ઘરમાં ન આવે તે માટે દરવાજા પાસે થોડું મીઠું કે મરચું છાંટી દો. 3. ખાંડનો પાઉડર અને બેકિંગ સોડા મિક્ષ કરીને તિરાડોમાં ભરી દો.
4). માખી ભગાવવાની ટિપ્સ :
1. કપૂરનું દહન કરીને ઘરમાં ધુમાડો કરો. 2. લેવેન્ડર, નીલગીરી અને લેમનગ્રાસ ઓઈલને ઘરના બેડરૂમ કે કિચનમાં છાંટો. 3. બાઉલમાં વિનેગર અને ડિટરજન્ટ મિક્સ કરીને રૂમમાં મૂકી રાખો.
5). ગરોળી ભગાવવાની ટિપ્સ :
1. દીવાલ પર 5 કે 6 મોરપીંછ લગાવી દો. 2. તમાકુ અને કોફી પાઉડર મિક્સ કરીને બોલ્સ બનાવો. ઘરમાં જ્યાં ગરોળી દેખાય ત્યાં આ બોલ્સ રાખો. 3. ઘરના મહત્વના ખૂણાઓમાં ફીનાઈલની ગોળીઓ રાખો.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો