મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ પણ સેલ્ફ આઈસોલેશનમાં? જાણો વિગત
મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન કમલનાથે પોતાને આઇસોલેટ કરી દીધા છે. રવિવારે પ્રોફેસર કોલોનીમાં પોઝિટીવ રિપોર્ટ આવેલી એક યુવતી અને તેના પિતામાં પણ સંક્રમણ જોવા મળ્યું છે. તે યુવતીના પિતા પત્રકાર છે. તેઓ 20 માર્ચના પૂર્વ મુખ્યપ્રધાન કમલનાથની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ થયા હતા. આ પ્રેસ કોન્ફરન્સમાં કમલનાથે રાજીનામાની જાહેરાત કરી હતી. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા […]
મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન કમલનાથે પોતાને આઇસોલેટ કરી દીધા છે. રવિવારે પ્રોફેસર કોલોનીમાં પોઝિટીવ રિપોર્ટ આવેલી એક યુવતી અને તેના પિતામાં પણ સંક્રમણ જોવા મળ્યું છે. તે યુવતીના પિતા પત્રકાર છે. તેઓ 20 માર્ચના પૂર્વ મુખ્યપ્રધાન કમલનાથની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ થયા હતા. આ પ્રેસ કોન્ફરન્સમાં કમલનાથે રાજીનામાની જાહેરાત કરી હતી.
આ પણ વાંચો : લોકડાઉન : દુકાનદારો વસ્તુની MRP કરતાં પણ વધારે કિંમત વસૂલે છે? અહીં કરો ફરિયાદ
પત્રકારમાં કોરોનાનું સંક્રમણ સામે આવ્યા બાદ કમલનાથે પોતાને આઇસોલેટ કર્યા છે. આ પ્રેસ કોન્ફરન્સમાં ઉપસ્થિત દરેક પત્રકારને ક્વોરન્ટાઇનમાં જવું પડી શકે છે. ઉલ્લેખનીય છે કે કમલનાથના રાજકીય સલાહકાર મિગલાની પણ સંક્રમિત યુવતીના પિતાને મળ્યા હતા. જે બાદ 21 માર્ચે મિગલાનીની તબિયત પણ ખરાબ થઇ હતી. જે બાદ હવે કમલનાથે પણ પોતાને આઇસોલેટ કરી દીધા છે. જો કે આ બાદ મીડિયા સંયોજકે માહિતી આપી કે તેઓ આઈસોલેટ થયા નથી પણ પોતાનું કામ કરી રહ્યાં છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આમ કોરોનાની ચેઈન નેતાઓ સુધી પહોંચી છે. પહેલાં કનિકા કપૂરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને નેતાઓ આઈસોલેશનમાં ગયા હતા. જેમાં દુષ્યંત, વસુંધરા રાજે અને અનુપ્રિયા પટેલ જેવા નેતાઓનો સમાવેશ થાય છે. મધ્યપ્રદેશના મુદે કોરોનાથી બચવા માટે તમામ પત્રકારો જે તે દિવસે પ્રેસ કોન્ફરન્સમાં હાજર રહ્યાં હતા તેમને ક્વોરન્ટાઈન થવા માટે કહેવામાં આવ્યું છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]