તણાવની સ્થિતિ વચ્ચે ભારત પાકિસ્તાને પરમાણુ મથકોની સૂચી એકબીજાને સોંપી, જાણો કારણ
કાશ્મીર મુદાને લઈને ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવભર્યો માહોલ છે. આ માહોલની વચ્ચે ભારત અને પાકિસ્તાન સતત 29 વર્ષથી જે કામ કરતાં આવ્યા છે તેને આ વર્ષે કરવાનું ભુલ્યા નથી. બુધવારના રોજ ભારત-પાકિસ્તાને એકબીજાને પરમાણુ મથકોની સૂચી એકબીજાને આપી છે. દ્વિપક્ષી વ્યવસ્થાના લીધે બંને દેશ એકબીજાને દર વર્ષે આ સૂચી સુપ્રત કરતાં હોય છે. Facebook […]
કાશ્મીર મુદાને લઈને ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવભર્યો માહોલ છે. આ માહોલની વચ્ચે ભારત અને પાકિસ્તાન સતત 29 વર્ષથી જે કામ કરતાં આવ્યા છે તેને આ વર્ષે કરવાનું ભુલ્યા નથી. બુધવારના રોજ ભારત-પાકિસ્તાને એકબીજાને પરમાણુ મથકોની સૂચી એકબીજાને આપી છે. દ્વિપક્ષી વ્યવસ્થાના લીધે બંને દેશ એકબીજાને દર વર્ષે આ સૂચી સુપ્રત કરતાં હોય છે.
આ પણ વાંચો : નવા વર્ષમાં સરકારની ભેટ, કેબલ ટીવીના ચાર્જમાં માર્ચ મહિનાથી થશે ઘટાડો
આ સૂચી સોંપવાથી શું ફાયદો થાય? પરમાણુનો વિનાશ દુનિયાએ નિહાળેલો છે અને જાપાનના નાગાસાકી અને હિરોશીમાં શહેરમાં આજે પણ તેની ઓળખાણ છે. આમ ભારત અને પાકિસ્તાન એકબીજાને આ સૂચી આપીને પરમાણુ મથકો હુમલો કરવાથી એકબીજાને રોકે છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
1998ના વર્ષમાં એક સંધિ કરવામાં આવી હતી અને તેને લઈને આજે સુધી ભારત અને પાકિસ્તાન નિયમોનું પાલન કરી રહ્યાં છે. 31 ડિસેમ્બર, 1988ના રોજ આ સંધિ પર ભારત અને પાકિસ્તાને હસ્તાક્ષર કર્યા હતા અને તે 27 જાન્યુઆરી, 1991થી લાગુ થઈ ગયી હતી. આ સંધિ અનુસાર બંને દેશ જાન્યુઆરી-ફેૂબ્રુઆરી મહિનામાં એકબીજાને પરમાણુ મથકોનું લિસ્ટ સોંપે છે. પ્રથમ વખત આ લિસ્ટ 1 જાન્યુઆરી, 1992ના રોજ બંને દેશોએ એકબીજાને સોંપ્યું હતું.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]