30 અને 31મી એ PM મોદી ગુજરાતના પ્રવાસે, જાણો વડાપ્રધાન મોદીના કાર્યક્રમની તમામ વિગતો
આગામી 30 અને 31 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. 30 ઓક્ટોબરના રોજ કેવડિયા ખાતે આગમન બાદ પ્રવાસીઓ માણી શકે તે માટે લક્ઝુરિયસ પ્રોજેક્ટનું લોકાર્પણ કરવાના છે. PM મોદીના કાર્યક્રમની વાત કરીએ તો, તેઓ 30મીએ બપોરે 3:00 કેવડિયા કોલોની પહોંચશે, જ્યાં તેઓ જંગલ સફારી પાર્ક, ફેરી બોટનું ઉદ્ઘાટન કરશે. એ પછી સાંજે […]
આગામી 30 અને 31 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. 30 ઓક્ટોબરના રોજ કેવડિયા ખાતે આગમન બાદ પ્રવાસીઓ માણી શકે તે માટે લક્ઝુરિયસ પ્રોજેક્ટનું લોકાર્પણ કરવાના છે. PM મોદીના કાર્યક્રમની વાત કરીએ તો, તેઓ 30મીએ બપોરે 3:00 કેવડિયા કોલોની પહોંચશે, જ્યાં તેઓ જંગલ સફારી પાર્ક, ફેરી બોટનું ઉદ્ઘાટન કરશે. એ પછી સાંજે કેવડિયા કોલોની ખાતે જ ગ્લો ગાર્ડન, ભારત ભવન અને એકતા નર્સરીનું ઉદ્ઘાટન કરશે તથા ગાર્ડનમાં ટહેલશે તેમજ તેઓ રાત્રે કેવડિયા કોલોની ખાતે જ રોકાશે. ત્યારબાદ 31મી સવારે 7 કલાકે તેઓ આરોગ્ય વનનું ઉદ્ઘાટન કરશે, સવારે 7.30 કલાકે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર ચરણ પૂજા કરે છે. સવારે 8 કલાકે રાષ્ટ્રીય એકતા પરેડ સલામી નિરીક્ષણ નિહાળશે અને 8:45 રાષ્ટ્રજોગ પ્રવચન આપશે. સવારે 9 કલાક પછી IAS વર્ચ્યુઅલ સંવાદ યોજશે અને બાદમાં તળાવ નંબર 3 પર જશે અને ત્યાંથી સી પ્લેનનું ઉદ્ઘાટન કરી અમદાવાદ જવા રવાના થશે.
આ પણ વાંચો: નર્મદા: ફરી એકવાર સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે બંધ, વડાપ્રધાનની મુલાકાતને લઇ લેવાયો નિર્ણય
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો