રાજ્યમાં પાછલા 24 કલાકમાં 6 જિલ્લામાંથી 1564 લોકોને સલામત સ્થળે ખસેડાયા, સૌથી વધુ રાજકોટમાં 965 લોકોનું સ્થળાંતર
રાજ્યમાં કેટલાક સ્થળો પર ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને પગલે નદીઓ ગાંડીતૂર બની છે. નિચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે, ત્યારે પૂરની સ્થિતિને પગલે નિચાણવાળા વિસ્તારોમાંથી તંત્રએ લોકોને સલામત સ્થળે ખસેડવાની ફરજ પડી છે. રાજ્યમાં ભારે વરસાદથી 6 જિલ્લામાં સ્થળાંતરિત કરવાની કામગીરી કરાઇ અને કુલ 1564 લોકોને સલામત સ્થળે ખસેડાયા છે. સૌથી વધુ રાજકોટ […]
રાજ્યમાં કેટલાક સ્થળો પર ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને પગલે નદીઓ ગાંડીતૂર બની છે. નિચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે, ત્યારે પૂરની સ્થિતિને પગલે નિચાણવાળા વિસ્તારોમાંથી તંત્રએ લોકોને સલામત સ્થળે ખસેડવાની ફરજ પડી છે. રાજ્યમાં ભારે વરસાદથી 6 જિલ્લામાં સ્થળાંતરિત કરવાની કામગીરી કરાઇ અને કુલ 1564 લોકોને સલામત સ્થળે ખસેડાયા છે. સૌથી વધુ રાજકોટ શહેરમાંથી 965 લોકોનું સ્થળાંતર કરાયું છે, તો અમદાવાદના માંડલમાંથી 200 લોકોને સલામત સ્થળે ખસેડવાની ફરજ પડી છે. રાજકોટના ધોરાજીમાંથી 110, મહેસાણામાંથી 102, બેચરાજીમાંથી 90 લોકોને સલામત સ્થળે ખસેડાયા.
આ પણ વાંચો: રાજકોટઃ મોટા મૌવાના પુલ પર વરસાદી પાણી ફરી વળતા બે લોકો તણાયા, જુઓ VIDEO
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો