AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajkot : દિલ્હીના AAPના શિક્ષણ મોડેલનો શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ આપ્યો સણસણતો જવાબ

ગુજરાતના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું છે કે ગુજરાતની શાળાઓ રોલ મોડેલ છે.અહીંના સીસીસી સેન્ટર જોવા માટે અલગ અલગ રાજ્યોમાંથી લોકો આવે છે અને વર્લ્ડ બેંક અને એશિયન બેંકે 10 હજાર કરોડની શૈક્ષણિક લોન આપી છે.આ બેંકો વિશ્વભરના અભ્યાસ કરે છે અને તેના રિપોર્ટના આધારે નક્કી કરવામાં આવે છે.

Rajkot : દિલ્હીના AAPના શિક્ષણ મોડેલનો શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ આપ્યો સણસણતો જવાબ
Gujarat Education Minister Jitu Vaghani (File Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 06, 2022 | 7:55 PM
Share

ગુજરાતમાં(Gujarat) વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે.તેવા સમયે રાજકીય પક્ષો પોતાની રીતે રાજકારણ કરી રહ્યા છે.આ વખતે ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ત્રીજા પક્ષ તરીકે મેદાને છે અને દિલ્હીના શિક્ષણના મુદ્દે રાજકારણ કરી રહ્યા છે.આપ દ્રારા શિક્ષણના(Education)મુદ્દે રાજકારણ કરવામાં આવી રહ્યા છે અને દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદીયાએ શિક્ષણમંત્રી જીતુ વાઘાણીને(Jitu Vaghani)જાહેરમાં ચર્ચા કરવાનો પડકાર ફેંક્યો છે ત્યારે આજે શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ સળસળતો જવાબ આપ્યો છે.ગુજરાતની શિક્ષણ પદ્ધતિના વખાણ કરતા જીતુ વાઘાણીએ કહ્યું હતું કે રાજ્યમાં શિક્ષણ કાર્ય સારી રીતે ચાલી રહ્યું છે.તેમ છતા અનેક લોકો શિક્ષણને લઇને રાજનિતી કરી રહ્યા છે.આવા લોકોને હું કહેવા માંગુ છું કે તેઓ ભણ્યા અહીં,ધંધો અહીં કર્યો અને હવે અહીંની શિક્ષણ નિતીને વખોડી રહ્યા છે.આવા લોકોને અન્ય દેશનું રાજ્યનું શિક્ષણ સારૂ લાગતું હોય તો ત્યાં સર્ટિફિકેટ લઇને ત્યાં એડમિશન લઇ લેવું જોઇએ.

ભાજપનું શાસન આવ્યા બાદ શિક્ષણની સ્થિતિ સુધરી

જીતુ વાઘાણીએ કટાક્ષ કરતા કહ્યું હતું કે જો આવા લોકોને સર્ટિફિકેટ ન નીકળતા હોય તો મને કેજો હું કાઢી આપીશ.ગુજરાતની શિક્ષણની કામગીરીને વખાણ કરતા જીતુ વાધાણીએ કહ્યું હતું કે ગુજરાતમાં ભાજપનું શાસન આવ્યું ત્યારથી ગુજરાતમાં શૈક્ષણિક કાર્ય સુધર્યુ છે.પહેલા 10  વર્ષનું બાળક થાય તો પણ તે શાળાએ મોકલતા ન હતા આજે શિક્ષકો ઘરે ઘરે ફરીને એકપણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે માટે પ્રયત્ન કરે છે.આ શિક્ષણ નિતીને બદનામ કરીને કેટલાક લોકો શિક્ષકોનું અપમાન કરે છે.

વર્લ્ડ બેંકે ૧૦ હજાર કરોડની શિક્ષણ માટે લોન આપી

જીતુ વાઘાણીએ કહ્યું છે કે ગુજરાતની શાળાઓ રોલ મોડેલ છે.અહીંના સીસીસી સેન્ટર જોવા માટે અલગ અલગ રાજ્યોમાંથી લોકો આવે છે અને વર્લ્ડ બેંક અને એશિયન બેંકે 10 હજાર કરોડની શૈક્ષણિક લોન આપી છે.આ બેંકો વિશ્વભરના અભ્યાસ કરે છે અને તેના રિપોર્ટના આધારે નક્કી કરવામાં આવે છે.

આ પણ વાંચો : રાજકોટ જિલ્લા આયોજન મંડળની બેઠકમાં વર્ષ 2022-23માં રૂ.1250 કરોડના વિકાસ કામોની જોગવાઈ કરાઇ

આ પણ વાંચો :  Ahmedabad: પ્રતિબંધ છે છતાંય પેટ્રોલ પંપ સંચાલક ઉડાવી રહ્યા છે નિયમોના ધજાગરા

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Follow Us
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">