AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajkot : દિલ્હીના AAPના શિક્ષણ મોડેલનો શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ આપ્યો સણસણતો જવાબ

ગુજરાતના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું છે કે ગુજરાતની શાળાઓ રોલ મોડેલ છે.અહીંના સીસીસી સેન્ટર જોવા માટે અલગ અલગ રાજ્યોમાંથી લોકો આવે છે અને વર્લ્ડ બેંક અને એશિયન બેંકે 10 હજાર કરોડની શૈક્ષણિક લોન આપી છે.આ બેંકો વિશ્વભરના અભ્યાસ કરે છે અને તેના રિપોર્ટના આધારે નક્કી કરવામાં આવે છે.

Rajkot : દિલ્હીના AAPના શિક્ષણ મોડેલનો શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ આપ્યો સણસણતો જવાબ
Gujarat Education Minister Jitu Vaghani (File Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 06, 2022 | 7:55 PM
Share

ગુજરાતમાં(Gujarat) વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે.તેવા સમયે રાજકીય પક્ષો પોતાની રીતે રાજકારણ કરી રહ્યા છે.આ વખતે ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ત્રીજા પક્ષ તરીકે મેદાને છે અને દિલ્હીના શિક્ષણના મુદ્દે રાજકારણ કરી રહ્યા છે.આપ દ્રારા શિક્ષણના(Education)મુદ્દે રાજકારણ કરવામાં આવી રહ્યા છે અને દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદીયાએ શિક્ષણમંત્રી જીતુ વાઘાણીને(Jitu Vaghani)જાહેરમાં ચર્ચા કરવાનો પડકાર ફેંક્યો છે ત્યારે આજે શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ સળસળતો જવાબ આપ્યો છે.ગુજરાતની શિક્ષણ પદ્ધતિના વખાણ કરતા જીતુ વાઘાણીએ કહ્યું હતું કે રાજ્યમાં શિક્ષણ કાર્ય સારી રીતે ચાલી રહ્યું છે.તેમ છતા અનેક લોકો શિક્ષણને લઇને રાજનિતી કરી રહ્યા છે.આવા લોકોને હું કહેવા માંગુ છું કે તેઓ ભણ્યા અહીં,ધંધો અહીં કર્યો અને હવે અહીંની શિક્ષણ નિતીને વખોડી રહ્યા છે.આવા લોકોને અન્ય દેશનું રાજ્યનું શિક્ષણ સારૂ લાગતું હોય તો ત્યાં સર્ટિફિકેટ લઇને ત્યાં એડમિશન લઇ લેવું જોઇએ.

ભાજપનું શાસન આવ્યા બાદ શિક્ષણની સ્થિતિ સુધરી

જીતુ વાઘાણીએ કટાક્ષ કરતા કહ્યું હતું કે જો આવા લોકોને સર્ટિફિકેટ ન નીકળતા હોય તો મને કેજો હું કાઢી આપીશ.ગુજરાતની શિક્ષણની કામગીરીને વખાણ કરતા જીતુ વાધાણીએ કહ્યું હતું કે ગુજરાતમાં ભાજપનું શાસન આવ્યું ત્યારથી ગુજરાતમાં શૈક્ષણિક કાર્ય સુધર્યુ છે.પહેલા 10  વર્ષનું બાળક થાય તો પણ તે શાળાએ મોકલતા ન હતા આજે શિક્ષકો ઘરે ઘરે ફરીને એકપણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે માટે પ્રયત્ન કરે છે.આ શિક્ષણ નિતીને બદનામ કરીને કેટલાક લોકો શિક્ષકોનું અપમાન કરે છે.

વર્લ્ડ બેંકે ૧૦ હજાર કરોડની શિક્ષણ માટે લોન આપી

જીતુ વાઘાણીએ કહ્યું છે કે ગુજરાતની શાળાઓ રોલ મોડેલ છે.અહીંના સીસીસી સેન્ટર જોવા માટે અલગ અલગ રાજ્યોમાંથી લોકો આવે છે અને વર્લ્ડ બેંક અને એશિયન બેંકે 10 હજાર કરોડની શૈક્ષણિક લોન આપી છે.આ બેંકો વિશ્વભરના અભ્યાસ કરે છે અને તેના રિપોર્ટના આધારે નક્કી કરવામાં આવે છે.

આ પણ વાંચો : રાજકોટ જિલ્લા આયોજન મંડળની બેઠકમાં વર્ષ 2022-23માં રૂ.1250 કરોડના વિકાસ કામોની જોગવાઈ કરાઇ

આ પણ વાંચો :  Ahmedabad: પ્રતિબંધ છે છતાંય પેટ્રોલ પંપ સંચાલક ઉડાવી રહ્યા છે નિયમોના ધજાગરા

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">