દિવાળી પર્વ પર અયોધ્યા નગરીમાં ઝગમગાટ, ભગવાન શ્રીરામના સ્વાગત માટે હજારો દિવડાઓથી અયોધ્યા નગરીને શણગારાઇ
દિવાળી પર અયોધ્યાને ભગવાન રામના સ્વાગત માટે સજાવવામાં આવી છે. અને, અયોધ્યાની જાણે કે કાયપલટ કરી દેવાઇ છે. વર્ષો બાદ આજે પ્રથમવાર રામલલા મંદિરમાં 11 હજાર દીપ પ્રગટાવાશે. તો આ તરફ પવિત્ર સરયૂ નદીના 24 અલગ અલગ તટોને 5.51 લાખ દીવાથી સજાવાયા છે. આ તમામ દિવડા સાંજે ઝગમગી ઉઠશે. જોકે હાલ કેવો છે ભગવાન શ્રીરામની […]
દિવાળી પર અયોધ્યાને ભગવાન રામના સ્વાગત માટે સજાવવામાં આવી છે. અને, અયોધ્યાની જાણે કે કાયપલટ કરી દેવાઇ છે. વર્ષો બાદ આજે પ્રથમવાર રામલલા મંદિરમાં 11 હજાર દીપ પ્રગટાવાશે. તો આ તરફ પવિત્ર સરયૂ નદીના 24 અલગ અલગ તટોને 5.51 લાખ દીવાથી સજાવાયા છે. આ તમામ દિવડા સાંજે ઝગમગી ઉઠશે. જોકે હાલ કેવો છે ભગવાન શ્રીરામની અયોધ્યાનગરીનો નજારો આવો જોઇએ.
રોશનીના પર્વ નિમિત્તે અયોધ્યાનગરી હાલ રામમય બની ગઇ છે. અને ચારેકોર રોશનીનો ઝગમગાટ જોવા મળી રહ્યો છે. CM યોગી આદિત્યનાથ અને રાજ્યપાલ આનંદીબેન પટેલ સાંજે રામ જન્મ ભૂમિ પરિસરમાં રામલલાના દર્શન કર્યા. ત્યારપછી દીપ પ્રગટાવીને દિપોત્સવનું ઉદ્ધાટન કર્યું. આ બધાની વચ્ચે કોવિડ પ્રોટોકોલનું પાલન કરાવવા માટે અયોધ્યાને સીલ કરી દેવાયું છે. બહારના લોકોના અયોધ્યામાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દેવાયો છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો