ભરૂચ: જૂનો સરદાર બ્રિજ ક્ષતિગ્રસ્ત હોવાથી વાહનવ્યવહાર કરાયો બંધ, 5 કિમી લાંબો ટ્રાફિક જામ સર્જાતા વાહનચાલકો પરેશાન
નેશનલ હાઈવે 48 પર જૂનો સરદાર બ્રિજ ક્ષતિગ્રસ્ત થયો છે. જેને કારણે વાહનવ્યવહાર બંધ કરવાની ફરજ પડી છે. અતિવ્યસ્ત હાઈવે પર બોટલનેકની સ્થિતિ સર્જાતા ચક્કાજામના દ્રશ્યો સર્જાયા છે. ગઈકાલે રાત્રે જૂના સરદાર બ્રિજ પર પહેલા ગાળામાં ક્ષતિ નજરે પડતા તાત્કાલિક બ્રિજ પર વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો. Web Stories View more ડાઉન ટુ અર્થ […]
નેશનલ હાઈવે 48 પર જૂનો સરદાર બ્રિજ ક્ષતિગ્રસ્ત થયો છે. જેને કારણે વાહનવ્યવહાર બંધ કરવાની ફરજ પડી છે. અતિવ્યસ્ત હાઈવે પર બોટલનેકની સ્થિતિ સર્જાતા ચક્કાજામના દ્રશ્યો સર્જાયા છે. ગઈકાલે રાત્રે જૂના સરદાર બ્રિજ પર પહેલા ગાળામાં ક્ષતિ નજરે પડતા તાત્કાલિક બ્રિજ પર વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
ત્યારે સમયાંતરે સમારકામ માંગતા આ બ્રિજમાં ગાબડા પડ્યા હોવાથી બ્રિજને સંપૂર્ણ બંધ કરવામાં આવ્યો છે. તેથી એક બ્રિજ પર વાહનોનું ભારણ વધવાથી ચક્કાજામના દ્રશ્યો સર્જાયા છે. ભરૂચ તરફથી આવતા વાહનચાલકોએ 5 કિ.મી સુધી લાંબી કતારમાં બેથી ત્રણ કલાક ટ્રાફિક જામનો સામનો કરવો પડ્યો હતો.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો