AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chhotaudepur: ‘નલ સે જલ’ યોજનામાં ભ્રષ્ટાચાર, સરપંચે કોન્ટ્રાક્ટરનું કૌભાંડ ખુલ્લું પાડ્યું

બોરથી ગામ સુધી પાણી પહોંચાડવા માટે કોન્ટ્રાક્ટરે પાઈપ ન નાખી કામ પૂર્ણ કરી દીધુ. સરપંચે સ્થળ તપાસ કરતા આ વાત તેમના ધ્યાને આવી હતી. જેથી સરપંચે તાત્કાલિક કોન્ટ્રાક્ટરનું પેમેન્ટ અટકાવી દીધું હતું.

Chhotaudepur: ‘નલ સે જલ’ યોજનામાં ભ્રષ્ટાચાર, સરપંચે કોન્ટ્રાક્ટરનું કૌભાંડ ખુલ્લું પાડ્યું
Corruption in Nal Se Jal scheme in Rajkherwa village of Bodeli in Chhotaudepur Sarpanch exposes contractor scam
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 16, 2022 | 8:51 AM
Share

છોટાઉદેપુરના બોડેલીના રાજખેરવા ગામે ‘નલ સે જલ’ યોજનામાં કોન્ટ્રાક્ટર કૌભાંડ કરે તે પહેલાં જ સરપંચે કોન્ટ્રાક્ટરને ખુલ્લો પાડ્યો. કોન્ટ્રાક્ટરે કૌભાંડ કર્યું છે તેવી જાણ થતાં જ સરપંચે પેમેન્ટ અટકાવી દીધુ છે. સાથે જ કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહીની પણ માગણી કરી છે. પાણી પુરવઠા વિભાગે 17 લાખના ખર્ચે એજન્સીને ટેન્ડર આપ્યું હતું. જેનું 7 લાખનું બિલ પાણી સમિતિ પાસે પાણી પુરવઠા વિભાગના અધિકારીઓએ મોકલતા મામલો સામે આવ્યો છે.

રાજખેરવાના લોકોને ઘર સુધી પણી પહોંચાડવા માટે કોન્ટ્રાક્ટરને કામ સોપાયું હતું. આ માટે સરકારે 17 લાખનું ટેન્ડર બહાર પાડ્યું હતું. કોન્ટ્રાક્ટરે આ કામ 7.14 લાખમાં રાખી કામની શરૂઆત કરી હતી. ત્યારબાદ વાસમો દ્વારા ગામને પાણી પહોંચાડવા ગામની સીમમાં બોર બનાવ્યો હતો. જો કે, બોરથી ગામ સુધી પાણી પહોંચાડવા માટે કોન્ટ્રાક્ટરે પાઈપ ન નાખી કામ પૂર્ણ કરી દીધુ. સરપંચે સ્થળ તપાસ કરતા આ વાત તેમના ધ્યાને આવી હતી. જેથી સરપંચે તાત્કાલિક કોન્ટ્રાક્ટરનું પેમેન્ટ અટકાવી દીધું હતું.

પાણી પુરવઠા વિભાગ દ્વારા રાજખેરવા ગામે બોર બનાવવાની જગ્યાએ ગામથી ગામથી 1 કિલોમીટર દૂર બોર બનાવવામાં આવ્યો પરંતુ, તેમાં પાઇપલાઈન નાખવામાં નથી આવી તો બોરમાં પણ મોટર નાંખવામાં નથી તો વીજ કનેક્શન પણ નથી મેળવવામાં આવ્યું. એક વર્ષથી કામ અધૂરું હોવા છતાં ભ્રષ્ટાચાર આચરી પાણીનું બિલ બનાવી દેતા ગ્રામજનોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.આ યોજનામાં અધૂરી કામગીરીને લઇને લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનો આક્ષેપ ગ્રામજનોએ કર્યો છે.

આ પણ વાંચોઃ Surat: કોલસા લિગ્નાઇટના વધેલા ભાવોથી બચવા સુરતની અનેક કાપડ મિલોએ લાકડાનો ગેરકાયદે વપરાશ શરૂ કરી દીધો

આ પણ વાંચોઃ Surendranagar : ચોટીલા ખાતે ચામુંડા માતાના દર્શનાર્થે મોટી સંખ્યામાં યાત્રાળુઓ ઉમટી પડયા

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Follow Us
વરસાદથી વલસાડની વરવી સ્થિતિ, DyCM હર્ષ સંઘવીએ કરી સમીક્ષા
વરસાદથી વલસાડની વરવી સ્થિતિ, DyCM હર્ષ સંઘવીએ કરી સમીક્ષા
પાટણમાં ચાલુ વરસાદે તંત્ર રોડ ખોદીને પાણીના નિકાલની વ્યવસ્થા કરવા બેઠુ
પાટણમાં ચાલુ વરસાદે તંત્ર રોડ ખોદીને પાણીના નિકાલની વ્યવસ્થા કરવા બેઠુ
બનાસકાંઠાના ભાભરમાં મેઘતાંડવ! 10 ઈંચ વરસાદથી પાણીમાં ગરકાવ થયું ગામ
બનાસકાંઠાના ભાભરમાં મેઘતાંડવ! 10 ઈંચ વરસાદથી પાણીમાં ગરકાવ થયું ગામ
દક્ષિણ-મધ્ય બાદ હવે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રનો વારોઃ અંબાલાલ પટેલ
દક્ષિણ-મધ્ય બાદ હવે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રનો વારોઃ અંબાલાલ પટેલ
વિકાસને નામે AMC-સરકારે શહેરીજનો માટે સમસ્યા સર્જીઃ સ્થાનિક રહીશો
વિકાસને નામે AMC-સરકારે શહેરીજનો માટે સમસ્યા સર્જીઃ સ્થાનિક રહીશો
છાપરા પર ફસાયેલા લોકોને હેલિકોપ્ટરથી બચાવવામાં આવ્યા
છાપરા પર ફસાયેલા લોકોને હેલિકોપ્ટરથી બચાવવામાં આવ્યા
ખેડાના નડિયાદમાં 15 ઈંચથી વધુ વરસાદ, શહેરના અનેક વિસ્તારો જળબંબાકાર
ખેડાના નડિયાદમાં 15 ઈંચથી વધુ વરસાદ, શહેરના અનેક વિસ્તારો જળબંબાકાર
અમદાવાદ પાણી-પાણી! મેયર-કમિશનર ટ્રેક્ટર લઈને નિરીક્ષણ કરવા પહોંચ્યા
અમદાવાદ પાણી-પાણી! મેયર-કમિશનર ટ્રેક્ટર લઈને નિરીક્ષણ કરવા પહોંચ્યા
અમદાવાદનું શેલા વરસાદના પાણીમાં ગરકાવ! 20થી વધુ કાર પાણીમાં ડૂબી
અમદાવાદનું શેલા વરસાદના પાણીમાં ગરકાવ! 20થી વધુ કાર પાણીમાં ડૂબી
અમદાવાદ શહેરમાં બોટના સહારે લોકોની અવરજવર, ઈસનપુર-મણિનગરમાં જળબંબાકાર
અમદાવાદ શહેરમાં બોટના સહારે લોકોની અવરજવર, ઈસનપુર-મણિનગરમાં જળબંબાકાર
g clip-path="url(#clip0_868_265)">