AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat: કોલસા લિગ્નાઇટના વધેલા ભાવોથી બચવા સુરતની અનેક કાપડ મિલોએ લાકડાનો ગેરકાયદે વપરાશ શરૂ કરી દીધો

આ અંગે જીપીસીબીના અધિકારીઓ કે વન વિભાગ દ્વારા પણ ખાનગી રાહે તપાસ કરે તો ઘણી માહિતી બહાર આવી શકે તેમ છે. આવનારા દિવસોમાં કોઈ કાર્યવાહી પણ કરવામાં આવે તો નવાઈ નહિ.

Surat: કોલસા લિગ્નાઇટના વધેલા ભાવોથી બચવા સુરતની અનેક કાપડ મિલોએ લાકડાનો ગેરકાયદે વપરાશ શરૂ કરી દીધો
Surat Textile Mill (File Image )
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 15, 2022 | 9:50 PM
Share

આંતરરાષ્ટ્રીય (International )બજારમાં કોલસો અને લિગ્નાઇટના ભાવ સતત વધી રહ્યા હોઇ, લિગ્નાઇટ(Lignite ) અને કોલસાનો (Coal ) ઇંધણ તરીકે ઉપયોગ કરીને સુરતમાં ફેબ્રિક પ્રોસેસિંગનું કામ કરી રહેલી અનેક ટેક્ષટાઇલ મિલોના માલિકોએ કોલસાની અવેજીમાં લાકડાનો ઇંધણ તરીકેનો વપરાશ શરૂ કરી દીધો છે. કેટલાક મિલ માલિકોએ બાબતથી અજાણ હોવાનો કહીને એવો પણ ડોળ કરી રહ્યા છે કે મિલમાં લાકડાનો વપરાશ કરવો કોઇ ગુનો નથી. જોકે હકીકતમાં તો વન વિભાગથી લઈને અનેક સરકારી મંજૂરી હોય તો જ જલાઉ લાકડાનો ઉપયોગ ઔઘોગિક હેતુ માટે થઇ શકે છે.

સુરતના સચિન, પાંડેસરા, પલસાણા વિસ્તારમાં આવેલી કેટલીક ડાઇંગ પ્રિન્ટીંગ મિલોની બહાર અને અંદરના ભાગે લાકડાના ઢગલાઓ ખડકાયા હોવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. છેલ્લા પખવાડીયાથી જ લાકડાના ઢગલા જોવા મળી રહ્યા હોવાનું સ્થાનિકો અને કામદારો જણાવી રહ્યા છે. તપાસ કરતાં જાણવા મળ્યું કે છેલ્લા મહિનાથી કોલસાના ભાવ એટલા વધી ગયા છે કે હવે ડાઈંગ પ્રિન્ટીંગ મિલોને ઈંધણ તરીકે કોલસો કે લિગ્નાઇટનો વપરાશ પરવડી શકે તેમ નથી. પ્રોસેસિંગ ચાર્જમાં વધારો કરાયો હોવા છતાં પણ કોલસાના ભાવ વધી રહ્યા હોઇ હવે કેટલીક ડાઈંગ પ્રિન્ટિંગ મિલોના માલિકોએ કોલસો અને લિગ્નાઇટની અવેજીમાં લાકડા વાપરવાનું શરૂ કરી દીધું છે.

સુરત નજીક વ્યારા, સોનગઢ, વલસાડ, વાંસદા વગેરે ખાતે લાકડાની મિલોમાંથી લાકડાનો જથ્થો મેળવીને હલ મિલ માલિકોએ પોતાની મિલોમાં સ્ટોર કરવા માંડ્યો હોવાનું જણાય રહ્યું છે. જાણકારો કહે છે કે ટેક્ષટાઇલ મિલમાં લાકડાનો ઉપયોગ ગેરકાનૂની છે. જલાઉ પ્રકારના લાકડાનો ઔદ્યોગિક હેતુસર ઉપયોગ કરવો હોય તેના માટે વન વિભાગથી લઈને ઔદ્યોગિક ઓથોરિટીની મંજૂરી પણ લેવી પડે છે.

જોકે પર્યાવરણના ભોગે હવે મિલો કોલસાના ભાવવધારાથી બચવા માટે લાકડાના વપરાશ તરફ વધી છે. આ અંગે જીપીસીબીના અધિકારીઓ કે વન વિભાગ દ્વારા પણ ખાનગી રાહે તપાસ કરે તો ઘણી માહિતી બહાર આવી શકે તેમ છે. આવનારા દિવસોમાં કોઈ કાર્યવાહી પણ કરવામાં આવે તો નવાઈ નહિ.

આ પણ વાંચો :

Surat : સ્મીમેરના ડોકટરોની માનવતા મરી પરવારી,પાંચમા માળેથી પટકાયેલા દર્દીને નવી સિવિલ હોસ્પિટલમાં તગેડી દીધા

Surat : ચાર વખતના નિષ્ફળ પ્રયાસો બાદ ફરી ચૌટાપુલ સહિત ત્રણ શાક માર્કેટમાં સ્ટોલ ફાળવણી કરાશે, વિક્રેતાઓની નિરસતા 

Follow Us
અમદાવાદના ધોળકામાં જળપ્રલય! 24 કલાકમાં 22 ઈંચ વરસાદથી જનજીવન ઠપ
અમદાવાદના ધોળકામાં જળપ્રલય! 24 કલાકમાં 22 ઈંચ વરસાદથી જનજીવન ઠપ
વસ્ત્રાપુરમાં 45 દુકાનો પાણીમાં ગરકાવ, વેપારીઓમાં આક્રોશ
વસ્ત્રાપુરમાં 45 દુકાનો પાણીમાં ગરકાવ, વેપારીઓમાં આક્રોશ
વાવ-થરાદમાં ધોધમાર વરસાદ, ભાભરમાં પાણી ભરાતા પોલીસ એક્શનમાં
વાવ-થરાદમાં ધોધમાર વરસાદ, ભાભરમાં પાણી ભરાતા પોલીસ એક્શનમાં
Breaking News: અમદાવાદ-બગોદરા હાઈવે પાણીમાં ગરકાવ, અપાયુ ડાયવર્ઝન
Breaking News: અમદાવાદ-બગોદરા હાઈવે પાણીમાં ગરકાવ, અપાયુ ડાયવર્ઝન
વરસાદથી વલસાડની વરવી સ્થિતિ, DyCM હર્ષ સંઘવીએ કરી સમીક્ષા
વરસાદથી વલસાડની વરવી સ્થિતિ, DyCM હર્ષ સંઘવીએ કરી સમીક્ષા
પાટણમાં ચાલુ વરસાદે તંત્ર રોડ ખોદીને પાણીના નિકાલની વ્યવસ્થા કરવા બેઠુ
પાટણમાં ચાલુ વરસાદે તંત્ર રોડ ખોદીને પાણીના નિકાલની વ્યવસ્થા કરવા બેઠુ
બનાસકાંઠાના ભાભરમાં મેઘતાંડવ! 10 ઈંચ વરસાદથી પાણીમાં ગરકાવ થયું ગામ
બનાસકાંઠાના ભાભરમાં મેઘતાંડવ! 10 ઈંચ વરસાદથી પાણીમાં ગરકાવ થયું ગામ
દક્ષિણ-મધ્ય બાદ હવે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રનો વારોઃ અંબાલાલ પટેલ
દક્ષિણ-મધ્ય બાદ હવે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રનો વારોઃ અંબાલાલ પટેલ
વિકાસને નામે AMC-સરકારે શહેરીજનો માટે સમસ્યા સર્જીઃ સ્થાનિક રહીશો
વિકાસને નામે AMC-સરકારે શહેરીજનો માટે સમસ્યા સર્જીઃ સ્થાનિક રહીશો
છાપરા પર ફસાયેલા લોકોને હેલિકોપ્ટરથી બચાવવામાં આવ્યા
છાપરા પર ફસાયેલા લોકોને હેલિકોપ્ટરથી બચાવવામાં આવ્યા
g clip-path="url(#clip0_868_265)">