AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat: કોલસા લિગ્નાઇટના વધેલા ભાવોથી બચવા સુરતની અનેક કાપડ મિલોએ લાકડાનો ગેરકાયદે વપરાશ શરૂ કરી દીધો

આ અંગે જીપીસીબીના અધિકારીઓ કે વન વિભાગ દ્વારા પણ ખાનગી રાહે તપાસ કરે તો ઘણી માહિતી બહાર આવી શકે તેમ છે. આવનારા દિવસોમાં કોઈ કાર્યવાહી પણ કરવામાં આવે તો નવાઈ નહિ.

Surat: કોલસા લિગ્નાઇટના વધેલા ભાવોથી બચવા સુરતની અનેક કાપડ મિલોએ લાકડાનો ગેરકાયદે વપરાશ શરૂ કરી દીધો
Surat Textile Mill (File Image )
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 15, 2022 | 9:50 PM
Share

આંતરરાષ્ટ્રીય (International )બજારમાં કોલસો અને લિગ્નાઇટના ભાવ સતત વધી રહ્યા હોઇ, લિગ્નાઇટ(Lignite ) અને કોલસાનો (Coal ) ઇંધણ તરીકે ઉપયોગ કરીને સુરતમાં ફેબ્રિક પ્રોસેસિંગનું કામ કરી રહેલી અનેક ટેક્ષટાઇલ મિલોના માલિકોએ કોલસાની અવેજીમાં લાકડાનો ઇંધણ તરીકેનો વપરાશ શરૂ કરી દીધો છે. કેટલાક મિલ માલિકોએ બાબતથી અજાણ હોવાનો કહીને એવો પણ ડોળ કરી રહ્યા છે કે મિલમાં લાકડાનો વપરાશ કરવો કોઇ ગુનો નથી. જોકે હકીકતમાં તો વન વિભાગથી લઈને અનેક સરકારી મંજૂરી હોય તો જ જલાઉ લાકડાનો ઉપયોગ ઔઘોગિક હેતુ માટે થઇ શકે છે.

સુરતના સચિન, પાંડેસરા, પલસાણા વિસ્તારમાં આવેલી કેટલીક ડાઇંગ પ્રિન્ટીંગ મિલોની બહાર અને અંદરના ભાગે લાકડાના ઢગલાઓ ખડકાયા હોવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. છેલ્લા પખવાડીયાથી જ લાકડાના ઢગલા જોવા મળી રહ્યા હોવાનું સ્થાનિકો અને કામદારો જણાવી રહ્યા છે. તપાસ કરતાં જાણવા મળ્યું કે છેલ્લા મહિનાથી કોલસાના ભાવ એટલા વધી ગયા છે કે હવે ડાઈંગ પ્રિન્ટીંગ મિલોને ઈંધણ તરીકે કોલસો કે લિગ્નાઇટનો વપરાશ પરવડી શકે તેમ નથી. પ્રોસેસિંગ ચાર્જમાં વધારો કરાયો હોવા છતાં પણ કોલસાના ભાવ વધી રહ્યા હોઇ હવે કેટલીક ડાઈંગ પ્રિન્ટિંગ મિલોના માલિકોએ કોલસો અને લિગ્નાઇટની અવેજીમાં લાકડા વાપરવાનું શરૂ કરી દીધું છે.

સુરત નજીક વ્યારા, સોનગઢ, વલસાડ, વાંસદા વગેરે ખાતે લાકડાની મિલોમાંથી લાકડાનો જથ્થો મેળવીને હલ મિલ માલિકોએ પોતાની મિલોમાં સ્ટોર કરવા માંડ્યો હોવાનું જણાય રહ્યું છે. જાણકારો કહે છે કે ટેક્ષટાઇલ મિલમાં લાકડાનો ઉપયોગ ગેરકાનૂની છે. જલાઉ પ્રકારના લાકડાનો ઔદ્યોગિક હેતુસર ઉપયોગ કરવો હોય તેના માટે વન વિભાગથી લઈને ઔદ્યોગિક ઓથોરિટીની મંજૂરી પણ લેવી પડે છે.

જોકે પર્યાવરણના ભોગે હવે મિલો કોલસાના ભાવવધારાથી બચવા માટે લાકડાના વપરાશ તરફ વધી છે. આ અંગે જીપીસીબીના અધિકારીઓ કે વન વિભાગ દ્વારા પણ ખાનગી રાહે તપાસ કરે તો ઘણી માહિતી બહાર આવી શકે તેમ છે. આવનારા દિવસોમાં કોઈ કાર્યવાહી પણ કરવામાં આવે તો નવાઈ નહિ.

આ પણ વાંચો :

Surat : સ્મીમેરના ડોકટરોની માનવતા મરી પરવારી,પાંચમા માળેથી પટકાયેલા દર્દીને નવી સિવિલ હોસ્પિટલમાં તગેડી દીધા

Surat : ચાર વખતના નિષ્ફળ પ્રયાસો બાદ ફરી ચૌટાપુલ સહિત ત્રણ શાક માર્કેટમાં સ્ટોલ ફાળવણી કરાશે, વિક્રેતાઓની નિરસતા 

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">