Surat: કોલસા લિગ્નાઇટના વધેલા ભાવોથી બચવા સુરતની અનેક કાપડ મિલોએ લાકડાનો ગેરકાયદે વપરાશ શરૂ કરી દીધો

આ અંગે જીપીસીબીના અધિકારીઓ કે વન વિભાગ દ્વારા પણ ખાનગી રાહે તપાસ કરે તો ઘણી માહિતી બહાર આવી શકે તેમ છે. આવનારા દિવસોમાં કોઈ કાર્યવાહી પણ કરવામાં આવે તો નવાઈ નહિ.

Surat: કોલસા લિગ્નાઇટના વધેલા ભાવોથી બચવા સુરતની અનેક કાપડ મિલોએ લાકડાનો ગેરકાયદે વપરાશ શરૂ કરી દીધો
Surat Textile Mill (File Image )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 15, 2022 | 9:50 PM

આંતરરાષ્ટ્રીય (International )બજારમાં કોલસો અને લિગ્નાઇટના ભાવ સતત વધી રહ્યા હોઇ, લિગ્નાઇટ(Lignite ) અને કોલસાનો (Coal ) ઇંધણ તરીકે ઉપયોગ કરીને સુરતમાં ફેબ્રિક પ્રોસેસિંગનું કામ કરી રહેલી અનેક ટેક્ષટાઇલ મિલોના માલિકોએ કોલસાની અવેજીમાં લાકડાનો ઇંધણ તરીકેનો વપરાશ શરૂ કરી દીધો છે. કેટલાક મિલ માલિકોએ બાબતથી અજાણ હોવાનો કહીને એવો પણ ડોળ કરી રહ્યા છે કે મિલમાં લાકડાનો વપરાશ કરવો કોઇ ગુનો નથી. જોકે હકીકતમાં તો વન વિભાગથી લઈને અનેક સરકારી મંજૂરી હોય તો જ જલાઉ લાકડાનો ઉપયોગ ઔઘોગિક હેતુ માટે થઇ શકે છે.

સુરતના સચિન, પાંડેસરા, પલસાણા વિસ્તારમાં આવેલી કેટલીક ડાઇંગ પ્રિન્ટીંગ મિલોની બહાર અને અંદરના ભાગે લાકડાના ઢગલાઓ ખડકાયા હોવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. છેલ્લા પખવાડીયાથી જ લાકડાના ઢગલા જોવા મળી રહ્યા હોવાનું સ્થાનિકો અને કામદારો જણાવી રહ્યા છે. તપાસ કરતાં જાણવા મળ્યું કે છેલ્લા મહિનાથી કોલસાના ભાવ એટલા વધી ગયા છે કે હવે ડાઈંગ પ્રિન્ટીંગ મિલોને ઈંધણ તરીકે કોલસો કે લિગ્નાઇટનો વપરાશ પરવડી શકે તેમ નથી. પ્રોસેસિંગ ચાર્જમાં વધારો કરાયો હોવા છતાં પણ કોલસાના ભાવ વધી રહ્યા હોઇ હવે કેટલીક ડાઈંગ પ્રિન્ટિંગ મિલોના માલિકોએ કોલસો અને લિગ્નાઇટની અવેજીમાં લાકડા વાપરવાનું શરૂ કરી દીધું છે.

સુરત નજીક વ્યારા, સોનગઢ, વલસાડ, વાંસદા વગેરે ખાતે લાકડાની મિલોમાંથી લાકડાનો જથ્થો મેળવીને હલ મિલ માલિકોએ પોતાની મિલોમાં સ્ટોર કરવા માંડ્યો હોવાનું જણાય રહ્યું છે. જાણકારો કહે છે કે ટેક્ષટાઇલ મિલમાં લાકડાનો ઉપયોગ ગેરકાનૂની છે. જલાઉ પ્રકારના લાકડાનો ઔદ્યોગિક હેતુસર ઉપયોગ કરવો હોય તેના માટે વન વિભાગથી લઈને ઔદ્યોગિક ઓથોરિટીની મંજૂરી પણ લેવી પડે છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

જોકે પર્યાવરણના ભોગે હવે મિલો કોલસાના ભાવવધારાથી બચવા માટે લાકડાના વપરાશ તરફ વધી છે. આ અંગે જીપીસીબીના અધિકારીઓ કે વન વિભાગ દ્વારા પણ ખાનગી રાહે તપાસ કરે તો ઘણી માહિતી બહાર આવી શકે તેમ છે. આવનારા દિવસોમાં કોઈ કાર્યવાહી પણ કરવામાં આવે તો નવાઈ નહિ.

આ પણ વાંચો :

Surat : સ્મીમેરના ડોકટરોની માનવતા મરી પરવારી,પાંચમા માળેથી પટકાયેલા દર્દીને નવી સિવિલ હોસ્પિટલમાં તગેડી દીધા

Surat : ચાર વખતના નિષ્ફળ પ્રયાસો બાદ ફરી ચૌટાપુલ સહિત ત્રણ શાક માર્કેટમાં સ્ટોલ ફાળવણી કરાશે, વિક્રેતાઓની નિરસતા 

Latest News Updates

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">