VIDEO: બાળકોના મોત મુદ્દે CM રૂપાણીએ બોલાવી બેઠક, મોત મુદ્દે માગ્યો રિપોર્ટ
રાજયમાં બાળકોના મોતનો સિલસિલો અટકવાનું નામ જ નથી લઈ રહ્યો. રાજ્યની સૌથી મોટી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ચાલુ વર્ષે 1થી 5 જાન્યુઆરી સુધીમાં 14 બાળકનાં મોત થયા છે. જેમાં 7 મૃત બાળકોનો સિવિલ હોસ્પિટલમાં જ જન્મ થયો હતો. ત્યારે બાકીના 7 મૃત બાળકો અન્ય સ્થળે જન્મયા હતા અને વધુ સારવાર માટે સિવિલમાં લાવવામાં આવ્યા હતા. […]
રાજયમાં બાળકોના મોતનો સિલસિલો અટકવાનું નામ જ નથી લઈ રહ્યો. રાજ્યની સૌથી મોટી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ચાલુ વર્ષે 1થી 5 જાન્યુઆરી સુધીમાં 14 બાળકનાં મોત થયા છે. જેમાં 7 મૃત બાળકોનો સિવિલ હોસ્પિટલમાં જ જન્મ થયો હતો. ત્યારે બાકીના 7 મૃત બાળકો અન્ય સ્થળે જન્મયા હતા અને વધુ સારવાર માટે સિવિલમાં લાવવામાં આવ્યા હતા.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
ત્યારે રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટમાં પણ આ જ પરિસ્થિતી છે. રાજકોટ સિવિલમાં જાન્યુઆરી મહિનામાં 5 દિવસમાં 13 નવજાત બાળકોના મોત થયા હતા અને ડિસેમ્બર મહિનામાં 111 બાળકોના મૃત્યુ થયા હતા.
આ સાથે જ હવે રાજકારણ પણ શરૂ થઈ ગયું છે. કોંગ્રેસે આક્રમકતા સાથે રાજકોટમાં ધરણાં યોજયા અને કોંગ્રેસે વિધાનસભા સત્રમાં સરકારને આ અંગે ચર્ચા કરવા માગ કરી છે. આ તરફ સરકાર પણ હરકતમાં આવી ગઈ છે. મુખ્યપ્રધાન રૂપાણીએ બાળકોના મોત મુદ્દે તાકીદે બેઠક બોલાવી અને આ અંગે રિપોર્ટ માગ્યો છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ પણ વાંચો: ભારતીય રેલવેમાં ધોરણ 10 પાસ માટે નોકરીની જગ્યા, આવેદન કરવા માટેની આ છે છેલ્લી તારીખ