મુંબઈ: તો આ ઘટનાને લઈને શરદ પવારે ઉદ્ઘવ સરકાર સામે નારાજગી વ્ચક્ત કરી!
ભીમા કોરેગાંવ મામલે મહારાષ્ટ્ર સરકારમાં એક વિવાદ ઉભો થયો છે. યલગાર પરિષદના મામલાની તપાસ એનઆઈએને સોંપવામાં આવી તેને લઈને પહેલીવાર ગઠબંધનની સરકાર બન્યાં બાદ શરદ પવારે સરકારની સામે નારાજગી વ્યક્ત કરી છે. પવારે કહ્યું કે યલગાર પરિષદના મામલાની તપાસ એનઆઈએને સોંપવાનો નિર્ણય તો ખોટો હતો જ પણ સરકારે જે મંજૂરી આપી દીધી તેનાથી દુ:ખ થયું […]
ભીમા કોરેગાંવ મામલે મહારાષ્ટ્ર સરકારમાં એક વિવાદ ઉભો થયો છે. યલગાર પરિષદના મામલાની તપાસ એનઆઈએને સોંપવામાં આવી તેને લઈને પહેલીવાર ગઠબંધનની સરકાર બન્યાં બાદ શરદ પવારે સરકારની સામે નારાજગી વ્યક્ત કરી છે. પવારે કહ્યું કે યલગાર પરિષદના મામલાની તપાસ એનઆઈએને સોંપવાનો નિર્ણય તો ખોટો હતો જ પણ સરકારે જે મંજૂરી આપી દીધી તેનાથી દુ:ખ થયું છે.
આ પણ વાંચો : કોરોના વાઈરસ: જાપાનમાં ફસાયેલા ડાયમંડ ક્રુઝમાં ત્રીજા ભારતીયનો રિપોર્ટ પોઝિટીવ
મહારાષ્ટ્રમાં શિવસેના, કોંગ્રેસ અને એનસીપીની સંયુક્ત સરકાર બન્યા બાદ આ પહેલો મામલો છે જેમાં શરદ પવારે સરકાર પ્રત્યે નારાજગી વ્યક્ત કરી થછે. આ પહેલાં જ્યારે સરકાર બની ત્યારે શરદ પવારે રાજ્ય સરકારને એક પત્ર લખ્યો હતો અને ભીમા કોરેગાંવ હિંસા મામલે એસઆઈટીનું ગઠન કરવામાં આવે તેવી માગણી કરી હતી. જો કે આ મામલે ગૃહ મંત્રાલયમાં ચર્ચા પણ ચાલી હતી કે એસઆઈટીનું ગઠન કરવામાં આવે અને યોગ્ય રીતે મામલાની તપાસ કરવામાં આવે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
જો કે આ એસઆઈટી બને તે પહેલાં જ કેન્દ્ર સરકારે આ કેસને એનઆઈએને સોંપી દીધો હતો. જ્યારે રાજ્યનો મુદો હોય ત્યારે એનઆઈએને સોંપવા પહેલાં કેન્દ્રની સરકારે જે તે રાજ્યની મંજૂરી લેવી જરૂરી છે. મહારાષ્ટ્રની ઉદ્ધવ સરકારે શરદ પવારની વાતને અવગણીને આ મામલો એનઆઈએને સોંપવા માટે મંજૂરી આપી દીધી હતી. કોર્ટેમાં આ મામલો એનઆઈએ પાસે લઈ જવામાં ઉદ્ધવ ઠાકરે સરકારે વિરોધ કર્યો નહોતો.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]