જમ્મુ-કાશ્મીરની ઘાટીમાં વર્ષોથી બંધ ઐતિહાસિક મંદિરોને ફરી ખોલવાની તૈયારી, ગૃહ રાજ્યપ્રધાને કરી આ જાહેરાત
જમ્મુ-કાશ્મીરના 370ની કલમ દૂર કર્યા બાદ ઘાટી વિસ્તારમાં વર્ષોથી બંધ મંદિરોને ફરી ખોલવાની તૈયારી થઈ રહી છે. ગૃહ રાજ્યપ્રધાન જી.કિશન રેડ્ડીએ સોમવારે કહ્યું કે, સરકાર ઘાટીમાં બંધ રહેલા મંદિરોનો સર્વે કરાવી રહી છે. રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories View more બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ […]
જમ્મુ-કાશ્મીરના 370ની કલમ દૂર કર્યા બાદ ઘાટી વિસ્તારમાં વર્ષોથી બંધ મંદિરોને ફરી ખોલવાની તૈયારી થઈ રહી છે. ગૃહ રાજ્યપ્રધાન જી.કિશન રેડ્ડીએ સોમવારે કહ્યું કે, સરકાર ઘાટીમાં બંધ રહેલા મંદિરોનો સર્વે કરાવી રહી છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
ગૃહ રાજ્યપ્રધાને કહ્યું કે, અમે કાશમીરની ઘાટીમાં બંધ શાળાઓનો પણ સરવે કરાવવા કમિટીનું ગઠન કર્યુ છે. જેથી આ શાળાઓને કાર્યરત કરી શકાય. જી.કિશન રેડ્ડીએ કહ્યું કે, છેલ્લા કેટલાક વર્ષોમાં 50 હજાર મંદિર બંધ થયા છે. જેમાંથી કેટલાક ખંડીત થઈ ગયા છે. આ તમામ મંદિરોનો સરવે કરવા આદેશ અપાયો છે.
મહત્વનું છે કે, 90ના દશકમાં જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદની શરૂઆત થયા બાદ કાશ્મીરી પંડિતોનું પલાયન થયું હતું. તો આતંકીઓ દ્વારા મોટા પ્રમાણમાં કાશ્મીરી પંડિતોની હત્યા પણ કરાઈ હતી. સાથે મંદિરોને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. પંડિતોના પલાયન બાદ કાશ્મીરની ઘાટીમાં અનેક મંદિરો બંધ થઈ ગયા હતા. આમાંથી કેટલાક બહુ પ્રસિદ્ધ મંદિર પણ છે. શોપિયામાં ભગવાન વિષ્ણુનું મંદિર છે તો પહલગામમાં ભગવાન શિવનું પ્રાચિન મંદિર હજુ પણ બંધ છે.