મોદી સરકાર-2ના પ્રથમ બજેટ-2019માં ખેડૂતો માટે શું છે નવી જાહેરાતો?
ખેડૂતો ખાસ કરીને ધ્યાન આ બજેટમાં આપવામાં આવ્યું છે. આ બજેટમાં સરકારે એવા લોકો પાસેથી વધારે ટેક્સ વસૂલવાનું નક્કી કર્યું છે જે લોકો વધારે કમાઈ છે. આમ મધ્યમ વર્ગ છે તેના માટે કોઈ ખાસ રાહત આપવામાં આવી નથી. Web Stories View more IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો યુઝ કરેલા […]
ખેડૂતો ખાસ કરીને ધ્યાન આ બજેટમાં આપવામાં આવ્યું છે. આ બજેટમાં સરકારે એવા લોકો પાસેથી વધારે ટેક્સ વસૂલવાનું નક્કી કર્યું છે જે લોકો વધારે કમાઈ છે. આમ મધ્યમ વર્ગ છે તેના માટે કોઈ ખાસ રાહત આપવામાં આવી નથી.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
જો ખેડૂતોની વાત કરીએ તો નિર્મલા સિતારમણે કહ્યું કે 2022 સુધીમાં ખેડૂતોની જે આવક છે જેને બમણી કરવાનો પ્રયાસ કરાશે. તેને લઈને સરકારે પ્લાન પણ બનાવ્યો છે. સીતારમણે કહ્યું કે બજેટમાં ગ્રામીણ વિસ્તારોમાં 1.95 કરોડ નવા ઘર બનાવવામાં આવશે. નિર્મલા સિતારમણે કૃષિને લગતી વાત કરતાં મહાત્મા ગાંધીને યાદ કર્યા હતા. મહાત્મા ગાંધીએ કહ્યું હતું કે સાચું ભારત ગામડાઓમાં વસે છે તેને પણ નિર્મલા સિતારમણે ફરીથી સંસદમાં યાદ કરાવ્યું હતું. દાળના ઉત્પાદન માટે ભારત સ્વાવલંબી બને તે લક્ષ્ય રાખવામાં આવ્યું છે. સાથે ગામડાની બધી જ ગ્રામ પંચાયતો ઈન્ટરનેટ સાથે જોડી દેવાનું પણ સરકાર દ્વારા નક્કી કરાયું છે.
આ પણ વાંચો: BUDGET 2019: નિર્મલા સિતારમણ અગાઉ 49 વર્ષ પહેલા આ મહિલા પ્રધાને દેશનું બજેટ રજૂ કર્યું હતું
નાણા મંત્રીએ કહ્યું કે આઝાદીના 75 વર્ષમાં ઉજવણી સાથે ખેડૂતોની આવક બમણી કરવાનું લક્ષ્ય છે. 2024 સુધી દરેક ઘર સુધી પાણી પહોંચાડવાની યોજના બનાવવામાં આવી છે. લોકોના દરેક ઘરમાં પાણીની ટાંકીથી પાણી પહોંચાડવામાં આવશે. આ કામ જલ જીવન મિશન દ્વારા કરવામાં આવશે. તેમાં દરેક ઘરમાં પીવાનું પાણી પહોંચાડવાની કોશિશ પણ કરવામાં આવશે. ખેડૂતોને ટેકાના ભાવ મળી રહે તે સરકારની પ્રાથમિકતા છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
સીતારમણે એ પણ ઉલ્લેખ કર્યો કે પહેલાં ઘર બનાવવા માટે 314 દિવસ લાગતા હતા જે હવે 114 દિવસ લાગશે. ગ્રામ સડક યોજનામાં સરકારે 97 ટકા લક્ષ્યને હાંસિલ કરી લીધું છે. ગામડાઓમાં હવે રોડ-રસ્તાઓ બનાવવામાં આવી રહ્યાં છે તેમાં પ્લાસ્ટિક અને વેસ્ટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
બજેટને લઈને તમામ જાણકારી મેળવો અહીં- http://bit.ly/2XIX4hb
2022 સુધીમાં દરેક પરિવારોને વીજળી અને એલપીજી લાવવાની સરકારની તૈયારી છે. જે લોકો આ ક્નેકશન નથી લેવા માગતા તેઓને સ્વચ્છ ઈંઘણની સુવિધા પુરી પાડવામાં આવશે. ખાસ કરીને ખેડૂતોને એક આવક દૂધ પેદાશોમાંથી થતી હોય છે તેમાં સરકારે 5 વર્ષમાં 10 હજાર નવા ખેડૂત ઉત્પાદક સંઘ બનાવવાનું નક્કી કર્યું છે. ડેરી ઉદ્યોગને ખાસ પ્રોત્સાહન આપવાનું બજેટમાં સરકારે નક્કી કર્યું છે.
[yop_poll id=”1″]
2019-20માં 100 નવા વાંસ, મધ અને ખાદી કલસ્ટરની સ્થાપના કરવામાં આવશે. 80 આજીવિકા સેન્ટર બનાવવામાં આવશે. આની સાથે આઈટી ક્ષેત્રે પણ સુધારો લાવવા માટે 20 બિઝનેસ ઈન્ક્યુબેટર્સ બનાવવામાં આવશે. પ્રધાનમંત્રી ગ્રામીણ ડિજીટલ સાક્ષરતા અભિયાન દ્વારા 2 કરોડ ડિજીટલ ગામને સાક્ષર બનાવવામાં આવ્યા છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]