Adani Group: અદાણી ભંડોળ માટે હવે આ કંપનીમાં હિસ્સો વેચશે, 3380 કરોડ રૂપીયા મેળવવાનો પ્રયાસ

|

Mar 11, 2023 | 2:01 PM

અગાઉ ગુરુવારે, સમાચાર આવ્યા હતા કે અદાણી જૂથે તેણે લીધેલી લોનની સુરક્ષા તરીકે તેની કંપનીઓના વધુ શેર ગીરવે મૂક્યા છે. SBICAP ટ્રસ્ટીએ સ્ટોક એક્સચેન્જને આ માહિતી આપી છે. SBICAPએ શેરબજારને જણાવ્યું કે અદાણી ગ્રીન એનર્જી લિમિટેડના 0.99 ટકા શેર અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડના લેણદારોના લાભ માટે ગીરવે મુકવામાં આવ્યા છે.

Adani Group: અદાણી ભંડોળ માટે હવે આ કંપનીમાં હિસ્સો વેચશે, 3380 કરોડ રૂપીયા મેળવવાનો પ્રયાસ

Follow us on

અદાણી ગ્રુપ અંબુજા સિમેન્ટમાં હિસ્સો વેચવાની પ્રક્રિયામાં છે. આ સિમેન્ટ કંપની ગયા વર્ષે ભંડોળ ઊભું કરવા માટે ખરીદવામાં આવી હતી. અંબુજા સિમેન્ટના પ્રમોટર્સ અદાણી ફેમિલી સ્પેશિયલ પર્પઝ વ્હીકલ્સે સંભવિત શેર વેચવા માટે ધિરાણકર્તાઓ પાસેથી પરવાનગી માંગી છે. અદાણી ગ્રૂપ સેકન્ડરી માર્કેટમાં બ્લોક ડીલ દ્વારા અંબુજા સિમેન્ટ્સમાં 4.5 ટકા હિસ્સો વેચી શકે છે.અદાણી ગ્રૂપ અંબુજા સિમેન્ટ્સના શેર વેચીને રૂ. 3,000 કરોડ એકત્ર કરવાની તૈયારી કરી રહ્યું છે. બ્લોક ડીલ દ્વારા 4.5 ટકા હિસ્સો વેચી શકે છે. અંબુજા સિમેન્ટના ક્લોઝિંગ પ્રાઈસ અનુસાર ગ્રુપ શેર વેચીને રૂ. 3380 કરોડ એકત્ર કરવામાં સફળતા મેળવી શકે છે.

Holderind Investments Ltd અને Endeavour Trade and Investment Ltd ને અદાણી જૂથ દ્વારા સ્પેશિયલ પર્પઝ વ્હીકલ, અંબુજા સિમેન્ટ્સ અને ACC દ્વારા ખરીદવામાં આવ્યા હતા. હોલ્ડરઇન્ડ અંબુજા સિમેન્ટ્સમાં 63.18 ટકા હિસ્સો ધરાવે છે જ્યારે એન્ડેવર 0.04 ટકા હિસ્સો ધરાવે છે. પ્રમોટરનો કુલ હિસ્સો 63.22 ટકા છે.

મે 2022 માં અદાણી જૂથે $10.5 બિલિયન મૂલ્યાંકન માટે હોલસીમ ઇન્ડિયાની અસ્કયામતો અંબુજા સિમેન્ટ્સ અને ACC હસ્તગત કરી. આ એક્વિઝિશન માટે ગ્રૂપે અન્ય ગ્રૂપ કંપનીઓના શેર ગીરવે મૂક્યા હતા અને આ દ્વારા $1.1 બિલિયન ઊભા કર્યા હતા.

આ 5 લોકોના ઘરે ક્યારેય ન કરવુ જોઈએ ભોજન
શ્રાદ્ધમાં આ સરળ ટીપ્સની મદદથી બનાવો દૂધપાક
આજનું રાશિફળ તારીખ : 20-09-2024
કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneમાં ઝડપથી થઈ જશે ચાર્જિંગ? ફોલો કરી લો બસ આ ટ્રિક

અગાઉ કંપનીના શેર ગીરવે મૂક્યા હતા

અગાઉ ગુરુવારે, સમાચાર આવ્યા હતા કે અદાણી જૂથે તેણે લીધેલી લોનની સુરક્ષા તરીકે તેની કંપનીઓના વધુ શેર ગીરવે મૂક્યા છે. SBICAP ટ્રસ્ટીએ સ્ટોક એક્સચેન્જને આ માહિતી આપી છે. SBICAPએ શેરબજારને જણાવ્યું કે અદાણી ગ્રીન એનર્જી લિમિટેડના 0.99 ટકા શેર અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડના લેણદારોના લાભ માટે ગીરવે મુકવામાં આવ્યા છે. અદાણી ટ્રાન્સમિશન લિમિટેડે પણ બેંકોમાં 0.76 ટકા શેર ગીરવે મૂક્યા છે. જો કે, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) ના એકમ SBICap એ જો કે, અદાણી એન્ટરપ્રાઈઝ દ્વારા લેવામાં આવેલા દેવુંનું પ્રમાણ જાહેર કર્યું ન હતું, જેના માટે શેર જૂથને ગીરવે મૂકવાના હતા.

ધનકુબેરોની યાદીમાં અદાણી Top-20 નજીક પહોંચ્યા

ગૌતમ અદાણીનું નસીબ ફરી ચમક્યું છે. અદાણીની નેટવર્થમાં જોરદાર ઉછાળો આવ્યો છે. અદાણીની નેટ વર્થ માં 17 અબજ ડોલરથી વધુનો વધારો થયો છે. શુક્રવારે ગૌતમ અદાણીની નેટવર્થમાં 1.32 અબજ ડોલરનો મજબૂત વધારો થયો છે. અદાણીની નેટવર્થ વધીને 55.4 અબજ ડોલર થઈ ગઈ છે. નેટવર્થમાં આ ઉછાળા સાથે ગૌતમ અદાણી હવે વિશ્વના સૌથી અમીર લોકોની યાદીમાં ટોચના 20ના ઉંબરે પહોંચી ગયા છે.24 જાન્યુઆરી, 2023ના રોજ અમેરિકન રિસર્ચ ફર્મ હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટ બાદ અદાણી ગ્રુપના શેરમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. અદાણીની તમામ કંપનીઓના શેર નીચે આવી ગયા હતા.

Next Article