AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જ્યારે તમે 1000 રૂપિયાની ટ્રેનની ટિકિટ કરાવો છો, ત્યારે સરકાર આપે છે આટલી સબસિડી

હવે એવો સવાલ ઉઠવો સ્વાભાવિક છે કે જો રેલવે તમારી ટિકિટના અડધા પૈસા ખર્ચી રહી છે તો રેલવેને પૈસા ક્યાંથી મળે છે. તમને જણાવી દઈએ કે પેસેન્જર ટ્રેનો સિવાય રેલવે ઘણી અન્ય પ્રકારની સેવાઓ પૂરી પાડે છે.

જ્યારે તમે 1000 રૂપિયાની ટ્રેનની ટિકિટ કરાવો છો, ત્યારે સરકાર આપે છે આટલી સબસિડી
train ticket
| Updated on: Jan 24, 2024 | 11:43 AM
Share

ભારતમાં દરરોજ લાખો લોકો ટ્રેનમાં મુસાફરી કરે છે. ભારતીય રેલવેને દેશના ‘દિલની ધડકન’ કહેવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે જ્યારે તમે ટ્રેનની ટિકિટ ખરીદો છો ત્યારે સરકાર તમને કેટલી સબસિડી આપે છે? આ લેખમાં તમને જણાવી દઈએ કે જો તમે ટ્રેનમાં મુસાફરી કરવા માટે 1000 રૂપિયાની ટિકિટ ખરીદો છો, તો સરકાર તમને કેટલા પૈસાની મદદ કરે છે.

રેલવે મંત્રીએ આપ્યો જવાબ

થોડાં સમય પહેલા દેશના રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ એક પ્રવાસ પર બિજનૌર ગયા હતા, જ્યાં તેમણે માહિતી આપી હતી કે રેલવે તેના મુસાફરોને દરેક ટિકિટ પર 55 ટકાથી વધુ કન્સેશન આપે છે. ઉદાહરણ તરીકે, જ્યારે તમે ટ્રેન ટિકિટ બુક કરો છો, ત્યારે તેના પર લખેલું હોય છે કે IR recovers only 57% ખર્ચ વસૂલ કરે છે.

તેનો અર્થ એ કે તમારી મુસાફરી પર થતા ખર્ચના માત્ર 57 ટકા જ રેલવે લઈ રહી છે. આનો અર્થ એ છે કે તમારી ટ્રેનની મુસાફરીના ખર્ચના 45 થી 55 ટકા રેલવે ચૂકવે છે. આ મુજબ જો તમારી ટ્રેનની ટિકિટ 1000 રૂપિયાની છે, તો તેમાંથી 45 થી 55 ટકા રેલવે દ્વારા આપવામાં આવી રહ્યા છે.

રેલવે પૈસા કેવી રીતે બનાવે છે?

હવે એવો સવાલ ઉઠવો સ્વાભાવિક છે કે જો રેલવે તમારી ટિકિટના અડધા પૈસા ખર્ચી રહી છે, તો રેલવેને પૈસા ક્યાંથી મળે છે. તમને જણાવી દઈએ કે રેલવે ટિકિટ સિવાય અન્ય ઘણી પ્રકારની સેવાઓ પૂરી પાડે છે. આમાં માલસામાનનું વહન, પ્લેટફોર્મ પરની જાહેરાતો અને સ્ટેશન પર દુકાન સ્થાપવા માટે વસૂલવામાં આવતા ભાડાનો પણ સમાવેશ થાય છે.

આ સિવાય જ્યારે કોઈ ફિલ્મ માટે ટ્રેન કે સ્ટેશન બુક કરવામાં આવે છે ત્યારે રેલવેને તેમાંથી પણ કમાણી થાય છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ બધામાં રેલવે સૌથી વધુ કમાણી નૂર પરિવહનમાંથી કરે છે.

સૌથી વધુ આવક પેસેન્જર સેવાઓમાંથી થઈ

નાણાંકીય વર્ષ 2022-23ના રેલવે મંત્રાલયના રિપોર્ટમાં રેલવેમાંથી આવકનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ મુજબ રેલવેએ નાણાંકીય વર્ષ 2022-23માં 2.40 લાખ કરોડ રૂપિયાની આવક મેળવી હતી. આ ગયા વર્ષની સરખામણીમાં 25 ટકા એટલે કે લગભગ 49 હજાર કરોડ રૂપિયા વધુ છે. અમે ઉપર ઉલ્લેખ કર્યો છે તેમ ભારતીય રેલવેએ નૂર પરિવહનમાંથી મહત્તમ રૂપિયા 1.62 લાખ કરોડની કમાણી કરી છે. આ પછી સૌથી વધુ આવક પેસેન્જર સેવાઓમાંથી થઈ છે.

હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
g clip-path="url(#clip0_868_265)">