Vishwakarma: કોણ હતા વિશ્વકર્મા? રાવણની લંકાથી લઈને કૃષ્ણની નગરી દ્વારકા સુધી કર્યા હતા અનેક નિર્માણ

Vishwakarma Jayanti 2023:કહેવાય છે કે બ્રહ્માજીએ આ બ્રહ્માંડની રચના કરી હતી, પરંતુ તેને સજાવવાનું કામ વિશ્વકર્માજીએ કર્યું હતું. ભગવાન વિશ્વકર્મા દેવતાઓની ઇમારતો, મહેલો અને રથ વગેરેના સર્જક છે. તેથી જ વિશ્વકર્મા જીને બ્રહ્માંડના સર્વોચ્ચ ઈજનેર માનવામાં આવે છે.

Vishwakarma: કોણ હતા વિશ્વકર્મા? રાવણની લંકાથી લઈને કૃષ્ણની નગરી દ્વારકા સુધી કર્યા હતા અનેક નિર્માણ
Vishwakarma
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 15, 2023 | 12:49 PM

વિશ્વકર્માને દેવતાઓના શિલ્પકાર તરીકે પૂજવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ભગવાન વિશ્વકર્માએ દેવતાઓ માટે મહેલો, શસ્ત્રો અને ઈમારતો બનાવી હતી. જેના કારણે આજે લોખંડની ચીજવસ્તુઓ જેવી કે ઓજારો, મશીનો અને દુકાનોની પૂજા થાય છે અને દુકાનો અને ઓફિસો બંધ રહે છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર વિશ્વકર્માને સૃષ્ટિના સર્જક બ્રહ્માના સાતમા ધર્મ પુત્ર માનવામાં આવે છે.

ભગવાન વિશ્વકર્માને બાંધકામના દેવ માનવામાં આવે છે કારણ કે તેમણે દેવતાઓ માટે ઘણા ભવ્ય મહેલો, ઇમારતો, શસ્ત્રો અને સિંહાસન બનાવ્યા હતા. એવું માનવામાં આવે છે કે એકવાર ભગવાન વિશ્વકર્માએ અસુરોથી પરેશાન દેવતાઓની વિનંતી પર મહર્ષિ દધીચિના અસ્થિમાંથી દેવતાઓના રાજા ઈન્દ્ર માટે વજ્ર બનાવ્યું હતું. આ વ્રજ એટલું શક્તિશાળી હતું કે તમામ અસુરોનો નાશ થયો હતો. આ જ કારણ છે કે તમામ દેવતાઓમાં ભગવાન વિશ્વકર્માનું વિશેષ સ્થાન છે. વિશ્વકર્માએ પોતાના હાથે અનેક રચનાઓ કરી હતી. તેમણે રાવણની લંકા, કૃષ્ણનું શહેર દ્વારકા, પાંડવો માટે ઈન્દ્રપ્રસ્થ શહેર અને હસ્તિનાપુરનું નિર્માણ કર્યું હોવાનું માનવામાં આવે છે.

આ પણ વાંચો : Vishwakarma Yojana: વિશ્વકર્મા યોજના થશે લાગુ, જાણો કોને મળશે લાભ? લોનના વ્યાજ દરમાં પણ રાહત- લાલ કિલ્લા પરથી PM મોદીની મોટી જાહેરાત

આજનું રાશિફળ તારીખ : 27-07-2024
રેલવેએ 5 વંદે ભારત ટ્રેન આપી ભેટ, ટૂંક સમયમાં પાટા પર દોડશે
પાકિસ્તાની મહિલાએ મનાવ્યો તલાકનો જશ્ન, ખુલ્લેઆમ કર્યું આ કામ, જુઓ
સરકારી કંપનીનો શેર એક મહિનામાં 120% વધ્યો... હવે BSE-NSE એ જવાબો માંગ્યા
સવારે ખાલી પેટે 1 ચમચી ઘી પીવાથી થાય છે ગજબનો ફાયદો
શું તમને પણ કરોડરજ્જુમાં દુખાવો થાય છે ? તો અજમાવો આ ઉપાય

સોનાનીલંકા

પૌરાણિક કથા અનુસાર, એકવાર માતા પાર્વતી ભગવાન શિવ સાથે વૈકુંઠ ગયા અને ત્યાંની સુંદરતાથી મંત્રમુગ્ધ થઈ ગયા. કૈલાશ પર્વત પર પાછા ફર્યા પછી, માતાજીએ ભગવાન શિવને વિનંતી કરી કે તેમને પણ એક સુંદર મહેલ જોઇએ છે ,ભગવાન શિવના આદેશથી વિશ્વકર્મા અને કુબેર સાથે સોનાનો મહેલ બનાવ્યો હતો.રાવણ કપટમાં નિપુણ હતો. એકવાર તે લંકા ઉપરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેને લંકા જોઈને લાલચ જાગી ગયો. લંકા મેળવવા માટે તે બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને ભગવાન શિવ પાસે પહોંચ્યા. ભિક્ષા તરીકે તેણે લંકાના સોનાની માંગણી કરી. ભગવાન શિવે રાવણને ઓળખ્યો પરંતુ તેમ છતાં ભગવાન શિવે તેને નિરાશ ન કર્યા અને દાનમાં રાવણને સુવર્ણ લંકા આપી.

શ્રી કૃષ્ણ નગરી દ્વારકા

શ્રીમદ ભાગવત ગીતા અનુસાર, વિશ્વકર્માજીએ ભગવાન કૃષ્ણની નગરી દ્વારકાનું પણ નિર્માણ કર્યું હતું. વાસ્તુશાસ્ત્રને ધ્યાનમાં રાખીને તેણે તેના પહોળા રસ્તા, ચોક અને ગલીઓ બનાવી.

ભગવાન શિવનો રથ

મહાભારત અનુસાર, ભગવાન શિવ જેના પર સવાર થઈને તારકક્ષા, કમલાક્ષ અને વિદ્યુનમાલી નગરોનો નાશ કરવા નીકળ્યા હતા તે સુવર્ણ રથનું નિર્માણ વિશ્વકર્માએ કરાવ્યું હતું. સૂર્ય તેના જમણા ચક્રમાં અને ચંદ્ર ડાબા ચક્રમાં બેઠા હતા.

પૌરાણિક માન્યતા અનુસાર, ઇન્દ્રપુરી, યમપુરી, વરુણપુરી, કુબેરપુરી પાંડવોની રાજધાની હસ્તિનાપુરના નિર્માણનો શ્રેય પણ વિશ્વકર્માને જાય છે. આ ઉત્તમ શહેરોના નિર્માણની રસપ્રદ વિગતો પૌરાણિક કથાઓમાં જોવા મળે છે.ઓડિશાનું વિશ્વ પ્રસિદ્ધ જગન્નાથ મંદિર વિશ્વકર્માની કારીગરી હોવાનું માનવામાં આવે છે.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

Latest News Updates

વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
g clip-path="url(#clip0_868_265)">