Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વડાપ્રધાન, રાષ્ટ્રપતિ કે ભારતના મુખ્ય ન્યાયાધીશ…કોનો પગાર છે સૌથી વધુ ?

વડાપ્રધાનને સત્તાવાર સરકારી રહેઠાણની સાથે સુરક્ષા માટે સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ (SPG) મળે છે. સરકારી વાહનો અને વિમાનોની સુવિધા હોય છે. ત્યારે શું તમે જાણો છો કે વડાપ્રધાનને કેટલો પગાર મળે છે અને આ પગાર રાષ્ટ્રપતિ અને ભારતના મુખ્ય ન્યાયાધીશ કરતાં વધુ હોય છે કે ઓછો ? તો આજે અમે તમને આ લેખમાં તેના વિશે જણાવીશું.

વડાપ્રધાન, રાષ્ટ્રપતિ કે ભારતના મુખ્ય ન્યાયાધીશ...કોનો પગાર છે સૌથી વધુ ?
PM Salary
Follow Us:
| Updated on: Jun 10, 2024 | 4:47 PM

નરેન્દ્ર મોદીએ સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રવિવારે તેમને ગોપનીયતાના શપથ લેવડાવ્યા હતા. વડાપ્રધાનને આપવામાં આવતી સુવિધાઓ ખાસ છે. તેઓને સત્તાવાર સરકારી રહેઠાણની સાથે સુરક્ષા માટે સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ (SPG) મળે છે. સરકારી વાહનો અને વિમાનોની સુવિધા હોય છે. સરકાર આંતરરાષ્ટ્રીય પ્રવાસ દરમિયાન તેમના રહેઠાણ અને અન્ય ખર્ચાઓ ભોગવે છે.

ત્યારે શું તમે જાણો છો કે વડાપ્રધાનને કેટલો પગાર મળે છે અને આ પગાર રાષ્ટ્રપતિ અને ભારતના મુખ્ય ન્યાયાધીશ કરતાં વધુ હોય છે કે ઓછો ? તો આજે અમે તમને આ લેખમાં તેના વિશે જણાવીશું.

વડાપ્રધાનનો પગાર કેટલો છે ?

દેશના વડાપ્રધાનને દર મહિને 1.66 લાખ રૂપિયા પગાર મળે છે. આમાં મૂળ પગાર 50 હજાર રૂપિયા છે. 3 હજાર રૂપિયા ખર્ચ ભથ્થાના રૂપમાં છે. તો 45 હજાર રૂપિયા સંસદીય ભથ્થું છે. આ સિવાય 2 હજાર રૂપિયાનું દૈનિક ભથ્થું સામેલ છે.

Beer at Home : ઘરે બીયર બનાવવા જાણો સ્ટેપ બાય સ્ટેપ માહિતી
છૂટાછેડા બાદ ધનશ્રી વર્માની પહેલી હોળી, જુઓ તસવીરો
IPL Youngest Captain : IPL 2025 નો સૌથી યુવા કેપ્ટન કોણ છે?
રણબીર કપૂરથી 11 વર્ષ નાની છે આલિયા ભટ્ટ, જુઓ ફોટો
દુનિયાની સૌથી મોંઘી વ્હિસ્કી કેવી રીતે બને છે, જાણો કિંમત
યુઝવેન્દ્ર ચહલ વિદેશી ટીમમાં જોડાયો, જુઓ ફોટો

ભારતમાં વડાપ્રધાન પદ પર હોય ત્યારે તો સુવિધાઓ મળે છે, પરંતુ પદ છોડ્યા બાદ પણ તેમને અનેક લાભો મળે છે. જેમ કે, પ્રથમ પાંચ વર્ષ માટે સરકારી મકાન, વીજળી, પાણી અને SPG સુવિધા. લ્યુટિયન ઝોનમાં આજીવન મફત આવાસ, મફત તબીબી સહાય અને ઓફિસ છોડ્યા પછી પ્રથમ પાંચ વર્ષ માટે 14 લોકોનો સચિવાલય સ્ટાફ પણ આપવામાં આવે છે.

ભારતના રાષ્ટ્રપતિનો પગાર કેટલો છે ?

ભારતના રાષ્ટ્રપતિ પાસે ઘણી સત્તાઓ છે. તેઓ ભારતીય સશસ્ત્ર દળોના કમાન્ડર ચીફ છે. તેમની પાસે વડાપ્રધાન સહિત અનેક મહત્વના પદો પર નિમણૂંક કરવાની સત્તા છે. એટલું જ નહીં, તેમને સંસદના સત્ર બોલાવવાની અને સ્થગિત કરવાની પણ સત્તા છે. રાષ્ટ્રપતિને તેમના પગારની સાથે અનેક પ્રકારના ભથ્થા પણ મળે છે.

દેશના રાષ્ટ્રપતિને દર મહિને 5 લાખ રૂપિયા પગાર મળે છે. આ સિવાય તેમને ઘણા ભથ્થા મળે છે જે ટેક્સના દાયરાની બહાર છે. તેમને વિશ્વભરમાં ટ્રેન અને પ્લેનમાં મફત મુસાફરી કરવાનો અધિકાર મળે છે.

પદ છોડ્યા પછી ભૂતપૂર્વ રાષ્ટ્રપતિને દર મહિને 1.5 લાખ રૂપિયાનું પેન્શન મળે છે. આ ઉપરાંત એક સરકારી મકાન, બે ફ્રી લેન્ડલાઈન ફોન, એક મોબાઈલ ફોન અને પાંચ અંગત કર્મચારીઓનો સ્ટાફ આપવામાં આવે છે.

CJI ને કેટલો પગાર મળે છે ?

અધિકૃત ન્યાય વિભાગ અનુસાર, દેશના મુખ્ય ન્યાયાધીશને દર મહિને 2,80,000 રૂપિયાનો પગાર મળે છે. તો પદ છોડ્યા પછી, ભૂતપૂર્વ CJIને વાર્ષિક 16,80,000 રૂપિયા પેન્શન મળે છે. આ સાથે, ભથ્થું પણ આપવામાં આવે છે ભારતના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશને ગ્રેચ્યુટી તરીકે 20 લાખ રૂપિયા મળે છે. નિવૃત્તિ પછી તેઓ અને તેમના પરિવારને પણ કેન્દ્રીય સિવિલ સેવાના વર્ગ વન અધિકારીને મળતી તબીબી સુવિધાઓ મળે છે. આ ઉપરાંત સુરક્ષા પણ પૂરી પાડવામાં આવે છે.

સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશને દર મહિને 2.50 લાખ રૂપિયા અને હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશને દર મહિને 2.50 લાખ રૂપિયાનો પગાર મળે છે. આ સિવાય હાઈકોર્ટના જસ્ટિસને દર મહિને 2.25 લાખ રૂપિયાનો પગાર મળે છે.

રાજ્યમાં રફ્તારની અલગ અલગ ત્રણ ઘટનામાં 6 નિર્દોષ લોકોએ ગુમાવ્યા જીવ
રાજ્યમાં રફ્તારની અલગ અલગ ત્રણ ઘટનામાં 6 નિર્દોષ લોકોએ ગુમાવ્યા જીવ
ગાંધીવગરમાં VIP રોડ પર બેફામ બનેલા નબીરાએ ચાલુ કારે કર્યા સ્ટંટ- Video
ગાંધીવગરમાં VIP રોડ પર બેફામ બનેલા નબીરાએ ચાલુ કારે કર્યા સ્ટંટ- Video
ગુજરાતના અનેક પ્રાંતોમાં ભાતીગળ પરંપરા સાથે કરાઈ હોળી પર્વની ઉજવણી
ગુજરાતના અનેક પ્રાંતોમાં ભાતીગળ પરંપરા સાથે કરાઈ હોળી પર્વની ઉજવણી
ભક્તિના રંગે રંગાયા ભાવિકો, મંદિરોમાં ઉમટ્યુ માનવ મહેરામણ
ભક્તિના રંગે રંગાયા ભાવિકો, મંદિરોમાં ઉમટ્યુ માનવ મહેરામણ
હત્યા, આત્મહત્યા કે અકસ્માત, ભેદ ભરેલ કેસનુ કોકડું ઉકેલાયું !
હત્યા, આત્મહત્યા કે અકસ્માત, ભેદ ભરેલ કેસનુ કોકડું ઉકેલાયું !
સ્વામિનારાયણનો ફૂલદોલોત્સવ: અમદાવાદ કુમકુમ મંદિરમાં રંગોનો ઉત્સવ
સ્વામિનારાયણનો ફૂલદોલોત્સવ: અમદાવાદ કુમકુમ મંદિરમાં રંગોનો ઉત્સવ
આ 6 રાશિના જાતકોનો આજનો દિવસ ફળદાયી રહેશે, જાણો આજનું રાશિફળ
આ 6 રાશિના જાતકોનો આજનો દિવસ ફળદાયી રહેશે, જાણો આજનું રાશિફળ
Ahmedabad : અમરાઈવાડીમાં તેલના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
Ahmedabad : અમરાઈવાડીમાં તેલના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
સોમનાથ-ભાવનગર હાઈવે પર 30 મુસાફર ભરેલી બસ પલટી
સોમનાથ-ભાવનગર હાઈવે પર 30 મુસાફર ભરેલી બસ પલટી
સરખેજ-બાવળા બેફામ કાર અકસ્માતનો CCTV વીડિયો
સરખેજ-બાવળા બેફામ કાર અકસ્માતનો CCTV વીડિયો
g clip-path="url(#clip0_868_265)">