Moon Landing : ચંદ્ર પર મનુષ્યના પગના નિશાન કેમ નથી ભુંસાતા ? નીલ આર્મસ્ટ્રોંગના પગના નિશાન હજુ યથાવત, જુઓ નાસાનો ચોકાવનારો વીડિયો
એપોલો મૂન લેન્ડિંગ મિશનને 50 વર્ષ પૂર્ણ થયા છે. પરંતુ આજે પણ ચંદ્રની સપાટી પર અવકાશયાત્રીઓના પગના નિશાન જોવા મળે છે. આવો જાણીએ તેની પાછળનું કારણ.
‘આ મનુષ્ય માટે એક નાનું પગલું છે, પરંતુ માનવતા માટે એક મોટી છલાંગ છે.’ આ નિવેદન છે અવકાશયાત્રી નીલ આર્મસ્ટ્રોંગનું, જે ચંદ્ર પર પગ મૂકનાર પ્રથમ વ્યક્તિ છે. ચંદ્ર પર પહેલું પગલું ભર્યા બાદ તેણે આ વાત કહી. એપોલો મૂન લેન્ડિંગ(Moon Landing) મિશનને 50 વર્ષ પૂર્ણ થયા છે. પરંતુ આજે પણ ચંદ્રની સપાટી પર અવકાશયાત્રી(Astronaut)ઓના પગલાના નિશાન જોવા મળે છે. બીજી તરફ, મનુષ્ય ફરી એકવાર ચંદ્રની સપાટી પર રહેણાકની તૈયારી કરી રહ્યો છે. આવી સ્થિતિમાં અમેરિકન સ્પેસ એજન્સી નાસાએ એક વીડિયો જાહેર કર્યો છે. આ વીડિયોમાં એપોલો 11 મિશનના અવકાશયાત્રીઓના પગલાં હજુ પણ ચંદ્ર પર જોઈ શકાય છે.
નીલ આર્મસ્ટ્રોંગ, એડવિન ઇ. બઝ એલ્ડ્રિન અને માઈકલ કોલિન્સ એપોલો 11 મિશન હેઠળ ચંદ્ર પર ગયા હતા. ત્રણ અવકાશયાત્રીઓ 20 જુલાઈ, 1969ના રોજ ચંદ્રની સપાટી પર પહોંચ્યા હતા. નાસા દ્વારા બહાર પાડવામાં આવેલ વિડિયો તેના લુનર રિકોનિસન્સ ઓર્બિટર (LRO) દ્વારા રેકોર્ડ કરવામાં આવ્યો હતો. વીડિયોમાં 50 વર્ષ પછી પણ અવકાશયાત્રીઓના પગના નિશાન જોઈ શકાય છે. ચંદ્રની સપાટી પર ચાલવા અને માટીને પૃથ્વી પર પાછી લાવવા ઉપરાંત અવકાશયાત્રીઓએ ત્યાં તેમની હાજરીનો સંદેશો પણ છોડી દીધો છે. આવી સ્થિતિમાં સવાલ એ ઊભો થાય છે કે 50 વર્ષથી પણ ચંદ્ર પર અવકાશયાત્રીઓના પગના નિશાન કેવી રીતે હયાત છે?
ચંદ્ર પર અવકાશયાત્રીઓના પગના નિશાન હજુ પણ કેવી રીતે હાજર છે?
ખરેખર, પૃથ્વી પર આપણે માટીનું ધોવાણ જોઈ શકીએ છીએ. તેની પાછળનું કારણ પવન અને પાણી છે, જે જમીનમાં ફેરફારનું કારણ બને છે. જો કે, ચંદ્ર પર વાતાવરણની ગેરહાજરીને કારણે, ત્યાં હવા કે પાણી નથી. જેના કારણે ત્યાં માટીનું ધોવાણ થતું નથી. ચંદ્ર પર પાણી સ્થિર સ્થિતિમાં છે. આ ઉપરાંત, ચંદ્ર પર કોઈ જ્વાળામુખીની પ્રવૃત્તિ પણ નથી, જે ચંદ્રની સપાટીમાં ફેરફારનું કારણ હોવું જોઈએ. આ કારણે સપાટી પર કંઈપણ બદલાતું નથી. આ જ કારણ છે કે ચંદ્રની સપાટી પર હજુ પણ અવકાશયાત્રીઓના પગલાના નિશાન છે.
It’s #InternationalMoonDay! Today marks the anniversary of the Apollo 11 Moon landing – the first time that humans stepped on the surface of another world. This video from the Lunar Reconnaissance Orbiter shows the astronauts’ tracks, still there after all this time. pic.twitter.com/LVDkFeEcYP
— NASA Moon (@NASAMoon) July 20, 2022
જો કે, એવા કેટલાક કારણો છે, જેના કારણે ચંદ્ર પર અવકાશયાત્રીઓના પગના નિશાન બદલાઈ શકે છે. ચંદ્ર પર ઉલ્કાઓ દ્વારા બોમ્બમારો થવાનો ભય છે. જો ઉલ્કાઓ ચંદ્રની સપાટી પર આવીને પડે છે, તો તેઓ તેની સ્થિતિ બદલી શકે છે. અવકાશનો એક નાનો ટુકડો પણ ચંદ્ર પરના પગના નિશાનો ભૂંસી શકે છે. પરંતુ ચંદ્ર પર કોઈ વાતાવરણ નથી. આ કારણે તે સૌર પવનના સંપર્કમાં રહે છે. સૂર્યમાંથી આવતા ચાર્જ્ડ પાર્ટિકલનો પ્રવાહ પૃથ્વી જેવું હવામાન બનાવવા માટે ત્યાં કામ કરી શકે છે. જો કે, આ પ્રક્રિયા ખૂબ જ ધીમી છે.