AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

International Yoga Day: આંતરરાષ્ટ્રીય યોગ દિવસ માટે 21 જૂન કેવી રીતે નક્કી કરવામાં આવ્યો, આ કારણથી આ તારીખ પસંદ કરવામાં આવી

International Yoga Day: તમે જાણો છો કે આખી દુનિયા 21 જૂનના રોજ યોગ દિવસની ઉજવણી કરી રહી છે, પરંતુ શું તમે જાણો છો કે આ દિવસ 21 જૂન શા માટે પસંદ કરવામાં આવ્યો છે અને તેની વાત શું છે.

International Yoga Day: આંતરરાષ્ટ્રીય યોગ દિવસ માટે 21 જૂન કેવી રીતે નક્કી કરવામાં આવ્યો, આ કારણથી આ તારીખ પસંદ કરવામાં આવી
yoga day
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 21, 2022 | 8:00 AM
Share

આજે યોગ (Yoga) સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. ઘણા દેશોમાં, યોગને સ્વાસ્થ્ય લાભો માટે એક મહત્વપૂર્ણ માધ્યમ માનવામાં આવે છે. ભારતની જેમ ત્યાં પણ ઘણા ગુરુઓ યોગની તાલીમ આપી રહ્યા છે અને આ સતત પ્રસાર થઈ રહ્યો છે. જેના પરિણામ સ્વરુપે સમગ્ર વિશ્વ આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની (International Yoga Day) ઉજવણી કરી રહ્યું છે. હવે દર વર્ષે 21 જૂન 2022ના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવે છે અને સમગ્ર વિશ્વમાં લોકો યોગ માટે આ દિવસની ઉજવણી કરે છે. ભારતના કારણે જ યોગને આટલું સન્માન મળ્યું છે અને 2015થી 21મી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે.

માત્ર 21 જૂન જ કેમ પસંદ કર્યો?

આવી સ્થિતિમાં આજે અમે તમને જણાવીએ કે યોગને કેવી રીતે ઓળખ મળી અને યોગને આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે માન્યતા અપાવવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શું ભૂમિકા ભજવી છે. આવી સ્થિતિમાં, આપણે જાણીએ છીએ કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ કેવી રીતે ઉજવવામાં આવ્યો અને આખરે આ દિવસ માટે માત્ર 21 જૂન જ કેમ પસંદ કરવામાં આવ્યો. જાણો યોગ દિવસ સાથે જોડાયેલી દરેક વાત.

આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો ટેગ કેવી રીતે મળ્યો?

જો આપણે ઈન્ટરનેશનલ યોગ ડેની વાત કરીએ તો સૌથી પહેલા પીએમ મોદીએ તેનો પ્રસ્તાવ મૂક્યો હતો, ત્યારબાદ યોગને આ માન્યતા મળી. તમને જણાવી દઈએ કે 2014માં પીએમ બન્યા બાદ નરેન્દ્ર મોદીએ તે જ વર્ષે તેના માટે પ્રસ્તાવ મૂક્યો હતો. 21 જૂનને યોગ દિવસ તરીકે ઉજવવાનો વિચાર સૌપ્રથમ પીએમ મોદીએ સપ્ટેમ્બર 2014માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં તેમના ભાષણ દરમિયાન રજૂ કર્યો હતો. જે બાદ તેના પર કાર્યવાહી શરૂ થઈ હતી.

આ દરમિયાન તેમણે કહ્યું, ‘યોગ આપણી પ્રાચીન પરંપરાગત અમૂલ્ય ભેટ છે. યોગ એ મન અને શરીરની એકતા, વિચાર અને ક્રિયા, સંયમ અને સિદ્ધિ અને માણસ અને પ્રકૃતિ વચ્ચેના સંવાદિતાનું મૂર્ત સ્વરૂપ છે. તે આરોગ્ય અને સુખાકારી માટે એક સર્વગ્રાહી અભિગમ છે. યોગ એ માત્ર વ્યાયામ નથી, પરંતુ પોતાની જાત સાથે અને વિશ્વ અને પ્રકૃતિ સાથે સુમેળ સાધવાનું સાધન છે. તે આપણી જીવનશૈલીમાં પરિવર્તન લાવી અને આપણામાં જાગૃતિ લાવી આબોહવા પરિવર્તન સામે લડવામાં મદદરૂપ થઈ શકે છે. ચાલો આપણે ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ શરૂ કરવાની દિશામાં કામ કરીએ.

ઘણા દેશો થયા સંમત

આ પછી દરખાસ્તનો ડ્રાફ્ટ ભારતના સ્થાયી પ્રતિનિધિ અશોક કુમાર મુખર્જીએ ડિસેમ્બર 2014માં UNGAમાં રજૂ કર્યો હતો. UNGAએ માટે તે ઐતિહાસિક ક્ષણ હતી. કારણ કે ડ્રાફ્ટને તેના સભ્ય દેશો તરફથી ટેકો મળ્યો હતો, જે તેના ઇતિહાસમાં અત્યાર સુધીનો સૌથી વધુ છે. યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીના કુલ 193 સભ્યોમાંથી 177 સહ-પ્રાયોજક દેશોની સર્વસંમતિથી ઠરાવને મંજૂરી આપવામાં આવી હતી. આ પછી પીએમ મોદીએ દિલ્હીના વિજ્ઞાન ભવનમાં પ્રથમ આંતરરાષ્ટ્રીય યોગ દિવસના સંબોધન દરમિયાન કહ્યું હતું કે, ‘મને ખબર નહોતી કે અમારા પ્રસ્તાવને અભૂતપૂર્વ પ્રતિસાદ મળશે.’

શા માટે 21 દિવસ પસંદ કરવામાં આવ્યો?

મીડિયાના અહેવાલ મુજબ પીએમ મોદીએ વર્ષનો સૌથી લાંબો દિવસ હોવાના કારણે 21 જૂનની પસંદગી કરી હતી અને આ કારણથી આ તારીખ પસંદ કરવામાં આવી હતી. આ દિવસને ઉનાળુ અયન તરીકે ઓળખવામાં આવે છે અને યોગની દૃષ્ટિએ તેનું વિશેષ મહત્વ છે. ઉપરાંત, એવું માનવામાં આવે છે કે આ દિવસે શિવે બાકીની માનવતાને યોગનું જ્ઞાન આપવાનું શરૂ કર્યું હતું. આ તે દિવસ હતો જ્યારે તે યોગના આદિ ગુરુ (પ્રથમ ગુરુ) બન્યા હતા.

સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
g clip-path="url(#clip0_868_265)">