AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Govt Scheme : હવે દર મહિને સરકાર આપશે 3 હજાર રૂપિયા, આ રીતે કરો અરજી, જાણો સમગ્ર પ્રક્રિયા અને પાત્રતા

PM કિસાન માનધન યોજનાના લાભો મેળવવા માટે, ઉમેદવારો સત્તાવાર સાઇટની મુલાકાત લઈને નોંધણી કરાવી શકે છે. આ યોજના હેઠળ ખેડૂતોને ત્રણ હજાર રૂપિયા મળવા પાત્ર છે. આ યોજનામાં તમે 60 વર્ષના થયા પછી તમને દર મહિને ત્રણ હજાર રૂપિયા પેન્શન મળે છે. મહત્વનુ છે કે ક્યાં ખેડૂતો આ યોજના માટે અરજી કરી શકે છે જેને લગતી તમામ માહિતી અહીં આપવામાં આવી છે. 

Govt Scheme : હવે દર મહિને સરકાર આપશે 3 હજાર રૂપિયા, આ રીતે કરો અરજી, જાણો સમગ્ર પ્રક્રિયા અને પાત્રતા
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 08, 2023 | 8:58 PM
Share

ખેડૂતોની મદદ માટે સરકાર દ્વારા ઘણી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. આમાંની એક યોજના PM કિસાન માનધન યોજના (PM Kisan Mandhan Yojana) છે. આ યોજના હેઠળ સરકાર ખેડૂતોને દર મહિને ત્રણ હજાર રૂપિયાનું પેન્શન આપી રહી છે.

માત્ર 18 થી 40 વર્ષની વયના ખેડૂતો જ આ યોજના માટે અરજી કરવા પાત્ર છે. રોકાણની રકમ અરજદારની ઉંમરના આધારે નક્કી કરવામાં આવે છે. જો તમે 18 વર્ષની ઉંમરે આ પ્રોગ્રામ માટે અરજી કરો છો તો તમારે દર મહિને 55 રૂપિયાનું રોકાણ કરવું પડશે. જો તમે 40 વર્ષની ઉંમરે અરજી કરો છો, તો તમારે દર મહિને 200 રૂપિયાનું રોકાણ કરવું પડશે.

તમે 60 વર્ષના થયા પછી તમને દર મહિને ત્રણ હજાર રૂપિયા પેન્શન મળે છે. નજીકના જાહેર સેવા કેન્દ્રની મુલાકાત લઈને અરજી કરી શકો છો. આ પછી તમારે તમારા બધા જરૂરી દસ્તાવેજો VLE (Village Level Entrepreneur) ને આપવા પડશે. આ પછી તે તમારી અરજીને યોજનામાં સામેલ કરશે. આ ઉપરાંત, તમે પ્રધાનમંત્રી કિસાન માનધન યોજનાની સત્તાવાર વેબસાઇટ પર જઈને જાતે જ આ યોજના માટે અરજી કરી શકો છો. બે હેક્ટરથી ઓછી જમીન ધરાવતા ખેડૂતો આ યોજના માટે અરજી કરી શકે છે.

આ છે મહત્વપૂર્ણ માહિતી

  • 2 હેક્ટર અથવા તેનાથી ઓછી ખેતીલાયક જમીન હોવી આવશ્યક છે
  • કોઈ પણ અરજદારની ઉંમર 18 વર્ષ થી 40 વર્ષની વચ્ચે હોવી જરૂરી છે.
  • આધાર કાર્ડ
  • મોબાઇલ નંબર
  • પાસપોર્ટ સાઇઝનો ફોટો
  • ઓળખપત્ર
  • ઉમરનું પ્રમાણપત્ર
  • 7/12, 8A
  • બેંક ખાતાની પાસબુક

આ પણ વાંચો: ખેડૂતો માટેની 5 સરકારી યોજના, આજે જ કરો અરજી, ખેતીમાં થશે ફાયદો

કેવી રીતે નોંધણી કરવી

  • સૌ પ્રથમ તમે સત્તાવાર વેબસાઇટ પર જાઓ
  • આ પછી હોમપેજ પર જાઓ અને લોગિન કરો
  • ત્યારબાદ ઉમેદવારોએ અરજીમાં લોગીન કરવા માટે તેમનો ફોન નંબર ભરવાનો રહેશે
  • હવે ઉમેદવારની જરૂરી માહિતી દાખલ કરવી
  • ત્યારબાદ જનરેટ OTP પર ક્લિક કરો
  • OTP  જનરેટ પર ક્લિક કર્યા બાદ મોબાઈલ નંબર પર એક OTP આવશે
  • આ પછી ખાલી બોક્સ ભરવાનું રહેશે
  • પછી અરજી ફોર્મ સબમિટ કરો
  • છેલ્લે તમારે PDF ની પ્રિન્ટ કાઢવાની રહેશે

સરકારની આવી જ અન્ય યોજના જાણવા માટે આપ અહીં ક્લિક કરો

Follow Us
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા
એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા
સુરેન્દ્રનગર આભડછેટ: જાહેર કૂવે પાણી ભરવા મુદ્દે બહિષ્કાર, 6 સામે ગુનો
સુરેન્દ્રનગર આભડછેટ: જાહેર કૂવે પાણી ભરવા મુદ્દે બહિષ્કાર, 6 સામે ગુનો
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર"
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
અમદાવાદને બેગ્લરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ લવાશેઃ અમિત શાહ
અમદાવાદને બેગ્લરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ લવાશેઃ અમિત શાહ
g clip-path="url(#clip0_868_265)">