સરકારી યોજના : ભારતના કરોડો લોકો લઈ રહ્યા છે ઇ-શ્રમ કાર્ડનો લાભ, જાણો અરજી કરવા માટેની સમગ્ર પ્રક્રિયા

કેન્દ્ર સરકાર દેશના શ્રમિકો માટે અનેક પ્રકારની કલ્યાણકારી યોજનાઓ ચલાવે છે. સરકાર ગરીબ વર્ગને આર્થિક રીતે સક્ષમ બનાવવાનો પ્રયાસ કરી રહી છે અને આ માટે તે ઈ-શ્રમ કાર્ડ યોજના ચલાવી રહી છે. આ યોજના હેઠળ અસંગઠિત ક્ષેત્ર સાથે સંકળાયેલા કામદારો પોતાની નોંધણી કરાવી શકે છે. આ માટે ભારત સરકારે ઈ-શ્રમ પોર્ટલ બનાવ્યું છે. એ શ્રમ કાર્ડનો તમે કઈ રીતે લાભ લઈ શકશો તેની તમામ માહિતી અહીં આપને આપવામાં આવી છે.

સરકારી યોજના : ભારતના કરોડો લોકો લઈ રહ્યા છે ઇ-શ્રમ કાર્ડનો લાભ, જાણો અરજી કરવા માટેની સમગ્ર પ્રક્રિયા
Follow Us:
| Updated on: Nov 09, 2023 | 10:22 PM

ઈ-શ્રમ પોર્ટલ પર નોંધણી કર્યા બાદ જ કામદારોને સરકારી યોજનાઓનો લાભ મળે છે. પોર્ટલ પર નોંધણી કરવા માટે, કામદારો પાસે આધાર કાર્ડ હોવું ખૂબ જરૂરી છે. આ સિવાય આધારને એક્ટિવ મોબાઈલ નંબર સાથે લિંક કરેલો હોવો જોઇયે. આ સિવાય બેંક એકાઉન્ટ પણ જરૂરી છે.

જો જેમની પાસે આધાર લિંક્ડ મોબાઈલ નંબર નથી, તો તેઓ નજીકના CSC કેન્દ્રનો સંપર્ક કરી શકે છે. નોંધણી બાયોમેટ્રિક માધ્યમથી થઈ શકે છે. તમારો મોબાઈલ નંબર પણ અહીં આધારમાં અપડેટ થઈ જશે.

કામદારોને મળશે અકસ્માત વીમો

હાલમાં, સરકાર ઈ-શ્રમ પોર્ટલ પર નોંધાયેલા કામદારોને અકસ્માત વીમો આપી રહી છે. ઈ-શ્રમ પોર્ટલમાં જોડાનારા કામદારોને પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના (PMSBY) હેઠળ રૂ. 2 લાખ સુધીના વીમા લાભો મળે છે. આમાં વીમા માટે પ્રીમિયમ ભરવાની જરૂર નથી. જો કોઈ કામદાર અકસ્માતમાં મૃત્યુ પામે છે અથવા સંપૂર્ણપણે અક્ષમ થઈ જાય છે, તો 2 લાખ રૂપિયાની વીમા રકમ ઉપલબ્ધ છે. જો કોઈ કામદાર આંશિક રીતે અક્ષમ થઈ જાય તો તેને 1 લાખ રૂપિયાનો વીમો મળે છે.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

કોણ નોંધણી કરી શકતું નથી?

કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રાલયે આ દ્વારા અસંગઠિત ક્ષેત્રના 38 કરોડ કામદારોને જોડવાનું લક્ષ્ય રાખ્યું છે. જો કોઈ વ્યક્તિ સરકારી પેન્શન યોજનાનો લાભ લઈ રહ્યો છે, તો તે વ્યક્તિ ઈ-શ્રમ કાર્ડ યોજનામાં જોડાઈ શકશે નહીં. તે જ સમયે, પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓ પણ ઈ-શ્રમ યોજના હેઠળ પૈસા લઈ શકતા નથી. કોઈપણ કામદાર કે જે અસંગઠિત છે અને 16-59 વર્ષની વય જૂથમાં છે તે આ યોજના હેઠળ પોતાને નોંધણી કરાવી શકે છે.

આ પણ વાંચો : સરકારી યોજના: ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને રોજગારી પુરી પાડતી સરકારની મનરેગા યોજના, આ રીતે કરો રજીસ્ટ્રેશન

ઈ-શ્રમ કાર્ડ યોજનાનો લાભ લેવા આ રીતે કરો ઓનલાઈન અરજી

  • સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ પર જાઓ.
  • પછી રજીસ્ટ્રેશન માટેની લિંક પેજની જમણી બાજુએ દેખાશે.
  • બાદમાં ‘ઇ-શ્રમ પર નોંધણી’ લખેલું હશે તેના પર ક્લિક કરો.
  • આ બાદ તમારે આધાર લિંક્ડ મોબાઈલ નંબર નાખવો પડશે અને કેપ્ચા નાખવો પડશે.
  • ત્યારબાદ Send OTP પર ક્લિક કરો.
  • આ પછી OTP દાખલ કરો અને પછી ઇ-શ્રમ માટે નોંધણી ફોર્મ ખુલશે.
  • પછી તમારે તમારી વ્યક્તિગત, શૈક્ષણિક અને બેંક વિગતો દાખલ કરવી પડશે.
  • પછી તમારું રજીસ્ટ્રેશન પૂર્ણ થશે.

સરકારની આવી જ અન્ય યોજના જાણવા માટે આપ અહીં ક્લિક કરો

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">