ઋષિમુનિઓની પરંપરા, સદીઓ સુધી હિંદુ રાજાઓનું શાસન છતા ઈન્ડોનેશિયા કેવી રીતે બની ગયો વિશ્વનો સૌથી મોટો મુસ્લિમ દેશ?
ભારત અને ઈન્ડોનેશિયાના મૂળ હજારો વર્ષો જુના સંબંધો સાથે જોડાયેલા છે. ઈન્ડોનેશિયા આજે દુનિયાનો સૌથી મોટો મુસ્લિમ વસ્તી ધરાવતો દેશ બની ગયો છે. ઈન્ડોનેશિયાની વસ્તી 27 કરોડ છે જેમા 90 ટકા વસ્તી મુસ્લિમોની છે. જો કે એક સમયે ઈન્ડોનિશિયામાં હિંદુ અને બૌદ્ધ રાજાઓનો પ્રભાવ હતો. ભારતના સૌથી મોટા બે ધાર્મિક ગ્રંથ રામાયણ અને મહાભારત સાથે પણ ઈન્ડોનેશિયાનો જુનો નાતો છે. અને ત્યારે આજે આપણે જાણશુ કે ઋષિમુનીઓની સભ્યતા અને હિંદુ રાજાઓનું શાસન ધરાવતા ઈન્ડોનેશિયામાં કેવી રીતે ઈસ્લામનો ધર્મનો ઉદય થયો?

ભારતે તાજેતરમાં જ તેનો 76મો પ્રજાસત્તાક પર્વ ઉજવ્યો. આ વખતે ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિઆંતો ગણતંત્ર દિવસ સમારોહના મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા. જો કે અત્યાર સુધીમાં 5વાર ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિને ગણતંત્ર દિવસ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા છે. ભારતના સૌપ્રથમ ગણતંત્ર દિવસ 26 જાન્યુઆરી 1950ના કાર્યક્રમમાં પણ ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ સુકર્ણો ચીફ ગેસ્ટ હતા. વર્ષોથી ભારત અને ઈન્ડોનેશિયાના ઘણા ગાઢ સંબંધો રહ્યા છે. આજે ઈન્ડોનેશિયા દુનિયાનો સૌથી મોટો મુસ્લિમ વસ્તી ધરાવતો દેશ છે. લગભગ 27 કરોડની વસ્તીવાળા ઈન્ડોનેશિયામાં 90 ટકા વસ્તી ઈસ્લામ ધર્મને અનુસરનારાઓની છે.એવામા એ જાણવુ જરૂરી છે કે આખરે સદીઓથી હિંદુ અને બૌદ્ધ ધર્મના પ્રભાવવાળા ઈન્ડોનેશિયામાં મુસ્લિમ ધર્મ કેવી રીતે આવ્યો અને કેવી રીતે તે દુનિયાનો સૌથી મોટો મુસ્લિમ વસ્તી ધરાવતો દેશ બની ગયો? એક સમયે ઈન્ડોનેશિયામાં હિંદુઓ અને બૌદ્ધ લોકોનો હતો...
