AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

E-ટિકિટ અને i-ટિકિટ, ટ્રેનમાં મુસાફરી કરવા પહેલા જાણી લો શું છે તફાવત?

કોઈ વ્યક્તિ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યો હોય તો તેણે E-ટિકિટ અને i-ટિકિટ વિશે સાંભળ્યું તો હશે જ જો કે, ઘણા લોકોને ખબર નથી કે E-ટિકિટ અને i-ટિકિટ શું છે અને તેમની વચ્ચે શું તફાવત છે?

E-ટિકિટ અને i-ટિકિટ, ટ્રેનમાં મુસાફરી કરવા પહેલા જાણી લો શું છે તફાવત?
Sagar Solanki
| Edited By: | Updated on: Apr 27, 2023 | 1:38 PM
Share

ડિજિટલ યુગમાં હવે મુસાફરી માટે મોટાભાગે લોકો ટિકિટ ઓનલાઈન બુક કરવાનું પ્રિફર કરતા હોય છે. ત્યારે ભારતીય રેલ્વેમાં મુસાફરી કરવા માટે મુસાફરોને ઓનલાઈન ટ્રેન ટિકિટ બુક કરવાનો વિકલ્પ મળે છે. આ ટિકિટ E-ટિકિટ અથવા i-ટિકિટના રૂપમાં હોઈ શકે છે. આજે આ બંને વચ્ચેનો તફાવત જોઈએ.

E-ટિકિટ અને i-ટિકિટ વિશે સાંભળ્યું?

ભારતમાં મોટભગના લોકો ટ્રેન દ્વાર મુસાફરી કરે છે. એટલેકે લાંબા રૂટમાં પરિવહન માટે ટ્રેન એક માત્ર ઉપાય લોકો માટે છે. જો કોઈ વ્યક્તિ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યો હોય તો તેણે E-ટિકિટ અને i-ટિકિટ વિશે સાંભળ્યું તો હશે જ જો કે, ઘણા લોકોને ખબર નથી કે E-ટિકિટ અને i-ટિકિટ શું છે અને તેમની વચ્ચે શું તફાવત છે? ઘણા લોકો આ વાતને લઈ મૂંઝવણમાં મુકાયા છે. આજે આ મૂંઝવણ દૂર કરી E-ટિકિટ અને i-ટિકિટને વધુ સારી રીતે સમજવાનો પ્રયાસ કરીએ.

ભારતીય રેલ્વેમાં મુસાફરી કરવા માટે મુસાફરોને ક્યાં તો પ્લેટફોર્મ પર ટિકિટ બુક કરાવી શકે ક્યા તો ઓનલાઈન ટ્રેન ટિકિટ બુક કરવાનો વિકલ્પ મળે છે. આ ટિકિટ E-ટિકિટ અથવા i-ટિકિટના રૂપમાં હોઈ શકે છે. સામાન્ય રીતે, E-ટિકિટ એ પ્રિન્ટેડ ટિકિટ છે, જ્યારે i-ટિકિટ એ ભારતીય રેલવે વતી મુસાફરને કુરિયર કરવામાં આવે છે.

બંને પ્રકાર વચ્ચેનો તફાવત

E-ટિકિટ એ i-ટિકિટકરતાં થોડી સસ્તી છે. મહત્વનુ છે કે, કુરિયરના ખર્ચને આવરી લેવા માટે આઇ-ટિકિટમાં ડિલિવરી ચાર્જ પણ સામેલ કરવામાં આવે છે. તો કોઈ મુસાફરને તાત્કાલિક પ્રવાસ કરવાના સંજોગ ઊભા થાય તો ઈ-ટિકિટ તેઓ બુક કરી શકે છે. જ્યારે i-ટિકિટ બે દિવસ અગાઉ બુક કરાવવી પડે છે.

જો મુસાફરી રદ કરવાની નોબત આવે તેવા સંજોગોમાં E-ટિકિટ રદ કરવી સરળ છે. કારણકે તે માત્ર ઓનલાઈન જ રદ કરી શકાય છે. જ્યારે i-ટિકિટ ઓનલાઈન કેન્સલ કરી શકાતી નથી. આ માટે રેલ્વે સ્ટેશન પર યોગ્ય કાઉન્ટર પર જઈને એક ફોર્મ ભરવાનું રહેશે. E-ટિકિટમાં સીટ બર્થ કન્ફર્મ અથવા આરએસી હોય છે. કન્ફર્મ થાય ત્યારે, I-ટિકિટમાં ત્રણેય કેટેગરીમાં RAC અથવા વેઇટિંગ મળી શકે છે.

E-ટિકિટ શું છે?

ઈ-ટિકિટ એટલે ઈલેક્ટ્રોનિક પ્રિન્ટેડ ટિકિટ. રેલવેમાં મુસાફરી કરનાર મુસાફરો તેમની અનુકૂળતા મુજબ આ ટિકિટ પ્રિન્ટ કરાવી શકશે. E-ટિકિટ રેલ્વે કાઉન્ટર પર જાણ્યા વિના ઘરેથી અથવા કોઈપણ કોમ્પ્યુટર કાફેમાંથી ઓનલાઈન બુક કરવામાં આવે છે. તેની વેલિડિટી રેલવે બુકિંગ કાઉન્ટર પરથી ઈસ્યુ કરાયેલ ટિકિટ જેટલી જ હોય છે. નોંધનીય છે કે E-ટિકિટ દ્વારા મુસાફરી કરતા મુસાફરોએ તેમની સાથે સરકારી ઓળખ કાર્ડ (આધાર કાર્ડ) રાખવું જરૂરી છે.

આ પણ વાંચો : માત્ર ફાયદા જ નહીં પરંતુ coffeeના છે અનેક ગેરફાયદા, ખાલી પેટ પીવાથી આ સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે

i-ટિકિટ શું છે?

ભારતીય રેલવે વતી i-ટિકિટ મુસાફરના સરનામા પર કુરિયર કરવામાં આવે છે. જો કે, આ ટિકિટ ઇન્ટરનેટ દ્વારા પણ બુક કરવામાં આવે છે, પરંતુ તે પ્રિન્ટ કરી શકાતી નથી. તે IRCTC વેબસાઇટ પર નોંધણી દરમિયાન તમારા દ્વારા આપવામાં આવેલા સરનામા પર રેલવે દ્વારા કુરિયર કરવામાં આવે છે. આ ટિકિટ પેસેન્જર સુધી પહોંચતા ઓછામાં ઓછા 48 કલાકનો સમય લાગે છે. નોંધપાત્ર રીતે, i-ટિકિટ મુસાફરીના બે દિવસ પહેલા બુક કરાવવી આવશ્યક છે. ટિકિટ લેવા માટે ઘરે કોઈ હોવું જોઈએ, નહીં તો પ્રક્રિયામાં વિલંબ થઈ શકે છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

દેશ ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Follow Us
‘કામચોરી’ ભારે પડી! AMCના 13 અધિકારીઓને 'શો-કોઝ' નોટિસ - જુઓ Video
‘કામચોરી’ ભારે પડી! AMCના 13 અધિકારીઓને 'શો-કોઝ' નોટિસ - જુઓ Video
હવે ભગવાનને પણ નડી મોંઘવારી ! ડાકોરમાં વિવિધ મનોરથના લાગામાં થયો વધારો
હવે ભગવાનને પણ નડી મોંઘવારી ! ડાકોરમાં વિવિધ મનોરથના લાગામાં થયો વધારો
Breaking News : 1 મહિનામાં અમદાવાદ પ્લેન ક્રેશનો આવી શકે છે રિપોર્ટ
Breaking News : 1 મહિનામાં અમદાવાદ પ્લેન ક્રેશનો આવી શકે છે રિપોર્ટ
વડોદરામાં ઈંડા કેસમાં આરોપીઓની પરેડ મુદ્દે HCએ પોલીસ પાસે માંગ્યો જવાબ
વડોદરામાં ઈંડા કેસમાં આરોપીઓની પરેડ મુદ્દે HCએ પોલીસ પાસે માંગ્યો જવાબ
98 લાખના ખર્ચે બનેલી ટાંકીનુ કૌભાંડ આવ્યું સામે,હવે 2 ટાંકીઓ તોડી પડાઈ
98 લાખના ખર્ચે બનેલી ટાંકીનુ કૌભાંડ આવ્યું સામે,હવે 2 ટાંકીઓ તોડી પડાઈ
રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ફરેણી ગામ નજીક બે સિંહોની લટાર
રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ફરેણી ગામ નજીક બે સિંહોની લટાર
ખેડામાં હલકી ગુણવત્તા વાળી કેનાલ પર ચાલ્યુ દાદાનું બુલડોઝર-Video
ખેડામાં હલકી ગુણવત્તા વાળી કેનાલ પર ચાલ્યુ દાદાનું બુલડોઝર-Video
હરિદ્વાર દર્શન કરાવવાની લાલચે યાત્રિકો પાસેથી ઉચાપત
હરિદ્વાર દર્શન કરાવવાની લાલચે યાત્રિકો પાસેથી ઉચાપત
Breaking News : પીએમ મોદીનો સોમનાથ પર બ્લોગ, "આ માત્ર મંદિર નહીં.....
Breaking News : પીએમ મોદીનો સોમનાથ પર બ્લોગ,
વડોદરા: રૂપારેલ કાંસમાં ઠાલવાયો કાટમાળ, સોસાયટીઓ પર જળબંબાકારનો ખતરો
વડોદરા: રૂપારેલ કાંસમાં ઠાલવાયો કાટમાળ, સોસાયટીઓ પર જળબંબાકારનો ખતરો
g clip-path="url(#clip0_868_265)">