AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

E-ટિકિટ અને i-ટિકિટ, ટ્રેનમાં મુસાફરી કરવા પહેલા જાણી લો શું છે તફાવત?

કોઈ વ્યક્તિ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યો હોય તો તેણે E-ટિકિટ અને i-ટિકિટ વિશે સાંભળ્યું તો હશે જ જો કે, ઘણા લોકોને ખબર નથી કે E-ટિકિટ અને i-ટિકિટ શું છે અને તેમની વચ્ચે શું તફાવત છે?

E-ટિકિટ અને i-ટિકિટ, ટ્રેનમાં મુસાફરી કરવા પહેલા જાણી લો શું છે તફાવત?
Sagar Solanki
| Edited By: | Updated on: Apr 27, 2023 | 1:38 PM
Share

ડિજિટલ યુગમાં હવે મુસાફરી માટે મોટાભાગે લોકો ટિકિટ ઓનલાઈન બુક કરવાનું પ્રિફર કરતા હોય છે. ત્યારે ભારતીય રેલ્વેમાં મુસાફરી કરવા માટે મુસાફરોને ઓનલાઈન ટ્રેન ટિકિટ બુક કરવાનો વિકલ્પ મળે છે. આ ટિકિટ E-ટિકિટ અથવા i-ટિકિટના રૂપમાં હોઈ શકે છે. આજે આ બંને વચ્ચેનો તફાવત જોઈએ.

E-ટિકિટ અને i-ટિકિટ વિશે સાંભળ્યું?

ભારતમાં મોટભગના લોકો ટ્રેન દ્વાર મુસાફરી કરે છે. એટલેકે લાંબા રૂટમાં પરિવહન માટે ટ્રેન એક માત્ર ઉપાય લોકો માટે છે. જો કોઈ વ્યક્તિ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યો હોય તો તેણે E-ટિકિટ અને i-ટિકિટ વિશે સાંભળ્યું તો હશે જ જો કે, ઘણા લોકોને ખબર નથી કે E-ટિકિટ અને i-ટિકિટ શું છે અને તેમની વચ્ચે શું તફાવત છે? ઘણા લોકો આ વાતને લઈ મૂંઝવણમાં મુકાયા છે. આજે આ મૂંઝવણ દૂર કરી E-ટિકિટ અને i-ટિકિટને વધુ સારી રીતે સમજવાનો પ્રયાસ કરીએ.

ભારતીય રેલ્વેમાં મુસાફરી કરવા માટે મુસાફરોને ક્યાં તો પ્લેટફોર્મ પર ટિકિટ બુક કરાવી શકે ક્યા તો ઓનલાઈન ટ્રેન ટિકિટ બુક કરવાનો વિકલ્પ મળે છે. આ ટિકિટ E-ટિકિટ અથવા i-ટિકિટના રૂપમાં હોઈ શકે છે. સામાન્ય રીતે, E-ટિકિટ એ પ્રિન્ટેડ ટિકિટ છે, જ્યારે i-ટિકિટ એ ભારતીય રેલવે વતી મુસાફરને કુરિયર કરવામાં આવે છે.

બંને પ્રકાર વચ્ચેનો તફાવત

E-ટિકિટ એ i-ટિકિટકરતાં થોડી સસ્તી છે. મહત્વનુ છે કે, કુરિયરના ખર્ચને આવરી લેવા માટે આઇ-ટિકિટમાં ડિલિવરી ચાર્જ પણ સામેલ કરવામાં આવે છે. તો કોઈ મુસાફરને તાત્કાલિક પ્રવાસ કરવાના સંજોગ ઊભા થાય તો ઈ-ટિકિટ તેઓ બુક કરી શકે છે. જ્યારે i-ટિકિટ બે દિવસ અગાઉ બુક કરાવવી પડે છે.

જો મુસાફરી રદ કરવાની નોબત આવે તેવા સંજોગોમાં E-ટિકિટ રદ કરવી સરળ છે. કારણકે તે માત્ર ઓનલાઈન જ રદ કરી શકાય છે. જ્યારે i-ટિકિટ ઓનલાઈન કેન્સલ કરી શકાતી નથી. આ માટે રેલ્વે સ્ટેશન પર યોગ્ય કાઉન્ટર પર જઈને એક ફોર્મ ભરવાનું રહેશે. E-ટિકિટમાં સીટ બર્થ કન્ફર્મ અથવા આરએસી હોય છે. કન્ફર્મ થાય ત્યારે, I-ટિકિટમાં ત્રણેય કેટેગરીમાં RAC અથવા વેઇટિંગ મળી શકે છે.

E-ટિકિટ શું છે?

ઈ-ટિકિટ એટલે ઈલેક્ટ્રોનિક પ્રિન્ટેડ ટિકિટ. રેલવેમાં મુસાફરી કરનાર મુસાફરો તેમની અનુકૂળતા મુજબ આ ટિકિટ પ્રિન્ટ કરાવી શકશે. E-ટિકિટ રેલ્વે કાઉન્ટર પર જાણ્યા વિના ઘરેથી અથવા કોઈપણ કોમ્પ્યુટર કાફેમાંથી ઓનલાઈન બુક કરવામાં આવે છે. તેની વેલિડિટી રેલવે બુકિંગ કાઉન્ટર પરથી ઈસ્યુ કરાયેલ ટિકિટ જેટલી જ હોય છે. નોંધનીય છે કે E-ટિકિટ દ્વારા મુસાફરી કરતા મુસાફરોએ તેમની સાથે સરકારી ઓળખ કાર્ડ (આધાર કાર્ડ) રાખવું જરૂરી છે.

આ પણ વાંચો : માત્ર ફાયદા જ નહીં પરંતુ coffeeના છે અનેક ગેરફાયદા, ખાલી પેટ પીવાથી આ સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે

i-ટિકિટ શું છે?

ભારતીય રેલવે વતી i-ટિકિટ મુસાફરના સરનામા પર કુરિયર કરવામાં આવે છે. જો કે, આ ટિકિટ ઇન્ટરનેટ દ્વારા પણ બુક કરવામાં આવે છે, પરંતુ તે પ્રિન્ટ કરી શકાતી નથી. તે IRCTC વેબસાઇટ પર નોંધણી દરમિયાન તમારા દ્વારા આપવામાં આવેલા સરનામા પર રેલવે દ્વારા કુરિયર કરવામાં આવે છે. આ ટિકિટ પેસેન્જર સુધી પહોંચતા ઓછામાં ઓછા 48 કલાકનો સમય લાગે છે. નોંધપાત્ર રીતે, i-ટિકિટ મુસાફરીના બે દિવસ પહેલા બુક કરાવવી આવશ્યક છે. ટિકિટ લેવા માટે ઘરે કોઈ હોવું જોઈએ, નહીં તો પ્રક્રિયામાં વિલંબ થઈ શકે છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

દેશ ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">