AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GK Quiz : વૈદિક કાળના લોકોને ક્યા પાકનું જ્ઞાન ન હતું તેમજ આર્ય શબ્દનો શાબ્દિક અર્થ

BPSC, UP PCS Mains અને IBPS PO જેવી મોટી પરીક્ષાઓ સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનામાં યોજાવા જઈ રહી છે. આ પરીક્ષાઓની તૈયારી કરવા માટે તમે કરન્ટ વર્તમાન બાબતોના ટોપ મહત્વપૂર્ણ પ્રશ્નો અને જવાબો અહીં ખૂબ જ સરળ ભાષામાં જોઈ શકો છો.

GK Quiz :  વૈદિક કાળના લોકોને ક્યા પાકનું જ્ઞાન ન હતું તેમજ આર્ય શબ્દનો શાબ્દિક અર્થ
know what Arya word means
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 19, 2023 | 2:50 PM
Share

GK Quiz : જો તમે કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષાની (Competitive Exam) તૈયારી કરી રહ્યા હોવ તો તમને ખબર જ હશે કે ભારતમાં તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં જનરલ નોલેજના પ્રશ્નો પૂછવામાં આવે છે. જનરલ નોલેજ એ તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે એક મહત્વપૂર્ણ વિષય છે, તેથી જ્યારે ઇન્ટરવ્યૂ રાઉન્ડની વાત આવે છે, ત્યારે ઉમેદવારોની ક્ષમતા માપવામાં પણ જનરલ નોલેજના પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે.

આ પણ વાંચો : GK Quiz : આ દેશમાં ફરવા માટે તમારે એક પણ રૂપિયો ચૂકવવો પડતો નથી, જાણો ક્યાં આવેલો છે આ દેશ

  1. જલિયાવાલા બાગ દુર્ઘટના કયા વર્ષમાં બની હતી? ઈ.વિ. 1919
  2. ચૌરી-ચૌરા ઘટના શેના સાથે સંબંધિત છે? અસહકાર ચળવળ
  3. સિંધુ ખીણના લોકો કોને માનતા હતા? માતૃત્વ શક્તિ
  4. ભારતમાં શોધાયેલું સૌપ્રથમ જૂનું શહેર કયું હતું? હડપ્પા
  5. વૈદિક કાળના લોકોને કયા પાકનું જ્ઞાન ન હતું? તમાકુ
  6. વૈદિક ગણિતનો મહત્વનો ભાગ કયો છે? શુલવ સૂત્ર
  7. ઓરડાના તાપમાને કઈ બિન-ધાતુ પ્રવાહીમાં ફેરવાય જાય છે? બ્રોમિન
  8. તાંબા અને ટીનના મિશ્રણને શું કહે છે? કાંસ્ય
  9. સીસા અને ટીનના મિશ્રણને શું કહે છે? સોલ્ડર
  10. કાર્બનનો કયું ઉપરૂપ કઠણ હોય છે? હીરા
  11. સિલિકા શું છે? ઉપધાતુ
  12. ધાતુઓને ટીપીને પતરૂ બનાવવું સરળ છે. તે ધાતુનો ક્યો ગુણધર્મ બતાવે છે? નરમતા
  13. લોખંડ પર વરાળની પ્રતિક્રિયાથી કયો વાયુ ઉત્પન્ન થાય છે? હાઇડ્રોજન ગેસ
  14. કાર્બન શું છે? બિન-ધાતુ
  15. આર્ય શબ્દનો શાબ્દિક અર્થ શું છે? બેસ્ટ યા ઉમદા

આર્ય શબ્દનો અર્થ

આર્ય એટલે શ્રેષ્ઠ. મોટા ભાગના લોકો અથવા આપણે એવું કહો કે આપણા કહેવાતા પ્રતિષ્ઠિત ઈતિહાસકારોએ લખ્યું છે કે, આર્યો એ એક જાતિ હતી, જે મધ્ય એશિયામાંથી ભારતમાં આવી હતી અને જેણે અહીંના ગુલામો અને ડાકુઓને હાંસિયામાં ધકેલીને શાસન કર્યું હતું. તેમની આ ધારણા તદ્દન ખોટી છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, આર્ય નામની કોઈ જાતિ નહોતી. આર્ય નામનો કોઈ ધર્મ નહોતો. આર્યો એ લોકો હતા જેઓ વેદમાં માનતા હતા અને જેઓ વેદમાં માનતા ન હતા તેઓ અનાર્ય કહેવાયા.

વેદોમાં માનનારાઓમાં ભારતની ઘણી જાતિના લોકો સામેલ હતા. આર્યો વિશે પશ્ચિમનો અભિપ્રાય સાવ ખોટો છે. આર્યોના સમયગાળા દરમિયાન આવા ઘણા આર્યો હતા, જેમના પૂર્વજો વેદોને અનુસર્યા પછી જ આર્ય કહેવાયા. જેઓ વેદમાં માનતા ન હતા તેમ છતાં પણ તેઓ પણ આર્ય કહેવાયા હતા, જેમ આજે પણ ઘણા હિંદુઓ છે જેઓ નાસ્તિક છે અને છતાં તેઓ હિંદુ છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે શુદ્રો પણ આર્યો હતા. આના સેંકડો ઉદાહરણો શાસ્ત્રોમાં જોવા મળશે.

નોલેજના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
g clip-path="url(#clip0_868_265)">