AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પરીક્ષાનો તનાવમુક્ત માહોલ સર્જવા PM MODI વિદ્યાર્થીઓ સાથે કરશે Pariksha Pe Charcha, ચર્ચામાં જોડાવા આ રીતે કરો રજીસ્ટ્રેશન

PM Narendra Modi Pariksha Pe Charcha 2022: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોને પરિક્ષા પે ચર્ચા 2022 (Pariksha Pe Charcha 2022) માટે રજીસ્ટ્રેશન (registration) કરાવવા આગ્રહ કર્યો છે.

પરીક્ષાનો તનાવમુક્ત માહોલ સર્જવા PM MODI વિદ્યાર્થીઓ સાથે કરશે Pariksha Pe Charcha, ચર્ચામાં જોડાવા આ રીતે કરો રજીસ્ટ્રેશન
Prime Minister Narendra Modi
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 15, 2022 | 5:06 PM
Share

PM Narendra Modi Pariksha Pe Charcha 2022: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોને પરિક્ષા પે ચર્ચા 2022 (Pariksha Pe Charcha 2022) માટે રજીસ્ટ્રેશન (registration) કરાવવા આગ્રહ કર્યો છે. PMએ ટ્વીટ કર્યું છે કે પરીક્ષાઓ નજીક આવી રહી છે. ચાલો તણાવ મુક્ત પરીક્ષાઓ વિશે વાત કરીએ અને ફરી એકવાર અમારા બહાદુર પરીક્ષા યોદ્ધાઓ(exam warriors) અને તેમના માતાપિતા અને શિક્ષકોને સમર્થન કરીએ. હું તમને બધાને આ વર્ષે Pariksha Pe Charcha 2022 માટે રજીસ્ટ્રેશન કરાવવા વિનંતી કરું છું. અગાઉ, ધમેન્દ્ર પ્રધાને પરીક્ષા પર ચર્ચા માટે નોંધણી માટે વિનંતી કરી હતી.

પરિક્ષા પે ચર્ચા 2022(Pariksha Pe Charcha 2022) એ એક કાર્યક્રમ છે જ્યાં PM મોદી બોર્ડની પરીક્ષા પહેલા વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કરે છે અને પરીક્ષાના તણાવ અને અન્ય સંબંધિત મુદ્દાઓ વિશેના તેમના પ્રશ્નોનું નિરાકરણ કરે છે. પરીક્ષાની ચર્ચા દર વર્ષે યોજવામાં આવે છે. રસ ધરાવતા વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો આ કાર્યક્રમ માટે રજીસ્ટ્રેશન કરાવી શકે છે. આ કાર્યક્રમમાં ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓ જ ભાગ લઈ શકશે.

મંત્રાલય અનુસાર વિદ્યાર્થીઓ, શિક્ષકો અને માતા-પિતા mygov વેબસાઇટ પર ‘Pariksha Pe Charcha 2022 વિભાગમાં કાર્યક્રમ માટે રજીસ્ટ્રેશન કરાવી શકે છે. સ્પર્ધાના આધારે 2050 વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓને પસંદ કરવામાં આવશે અને તેમને Pariksha Pe Charcha 2022 કીટ પણ આપવામાં આવશે. રજીસ્ટ્રેશન પ્રક્રિયા 28 ડિસેમ્બરથી શરૂ થઇ છે જયારે છેલ્લી તારીખ 20 જાન્યુઆરી 2022 છે.

અહેવાલ મુજબ ગયા વર્ષે 2.62 લાખ શિક્ષકો અને 93,000 વાલીઓએ પણPariksha Pe Charcha કાર્યક્રમ માટે નોંધણી કરાવી હતી. કોરોના રોગચાળાને ધ્યાનમાં રાખીને ગયા વર્ષે પરીક્ષા પર ચર્ચા કાર્યક્રમ ઓનલાઈન રાખવામાં આવ્યો હતો. દર વર્ષે પીએમ મોદી ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો સાથે વાતચીત કરે છે. ગયા વર્ષે 7 એપ્રિલે પરીક્ષા અંગે ચર્ચા થઈ હતી.

આ પણ વાંચો : CTET 2021: CTET પરીક્ષાના ઉમેદવારો માટે મહત્વપૂર્ણ માહિતી, CBSEએ નવી નોટિસ કરી જાહેર

આ પણ વાંચો : NEET UG Counselling 2021: NEET UG કાઉન્સેલિંગ 19 જાન્યુઆરીથી શરૂ થશે, સ્વાસ્થ્ય મંત્રીએ આપી જાણકારી

Follow Us
સુરતમાં માછીમાર સમાજે તાપી નદીની વચ્ચોવચ્ચ વિઘ્નહર્તાનું કર્યુ સ્થાપન
સુરતમાં માછીમાર સમાજે તાપી નદીની વચ્ચોવચ્ચ વિઘ્નહર્તાનું કર્યુ સ્થાપન
ગાંધીનગર IIIT કેમ્પસમાં વિદ્યાર્થીઓનો સુરક્ષા મુદ્દે વિરોધ
ગાંધીનગર IIIT કેમ્પસમાં વિદ્યાર્થીઓનો સુરક્ષા મુદ્દે વિરોધ
વડોદરામાં અઢી ઈંચ વરસાદમાં ₹4 કરોડના ખર્ચે રિપેર કરેલો રોડ ધોવાયો
વડોદરામાં અઢી ઈંચ વરસાદમાં ₹4 કરોડના ખર્ચે રિપેર કરેલો રોડ ધોવાયો
રાજકોટમાં છ દિવસનો પાણીકાપ, નર્મદા પાઇપલાઇન મેન્ટેનન્સને કારણે અસર
રાજકોટમાં છ દિવસનો પાણીકાપ, નર્મદા પાઇપલાઇન મેન્ટેનન્સને કારણે અસર
વડનગરથી વારાણસી બાઇક યાત્રા: અમિત શાહ કરાવશે પ્રસ્થાન
વડનગરથી વારાણસી બાઇક યાત્રા: અમિત શાહ કરાવશે પ્રસ્થાન
બનાસકાંઠામાં વાહનચાલકોની મુશ્કેલી વધી, IRM ના 65 CNG પંપ બંધ
બનાસકાંઠામાં વાહનચાલકોની મુશ્કેલી વધી, IRM ના 65 CNG પંપ બંધ
ભુજમાં ચાલુ વરસાદ વચ્ચે ટ્રાન્સફોર્મરમાં ધડાકા સાથે ભભૂકી આગ-VIDEO
ભુજમાં ચાલુ વરસાદ વચ્ચે ટ્રાન્સફોર્મરમાં ધડાકા સાથે ભભૂકી આગ-VIDEO
ગીર સોમનાથના ઉનામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, ઘરોમાં ઘૂસ્યા પાણી
ગીર સોમનાથના ઉનામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, ઘરોમાં ઘૂસ્યા પાણી
Breaking News : 19 સપ્ટેમ્બરથી ચોમાસું વિદાય લે તેવી શક્યતા
Breaking News : 19 સપ્ટેમ્બરથી ચોમાસું વિદાય લે તેવી શક્યતા
ઈસ્કોન બ્રિજ પર એવો અકસ્માત સર્જાયો કે કારની એરબેગ ખુલી ગઇ, જુઓ Video
ઈસ્કોન બ્રિજ પર એવો અકસ્માત સર્જાયો કે કારની એરબેગ ખુલી ગઇ, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">