Sukanya Samriddhi Yojana : 7.6 ટકા રિટર્ન આપતી આ સરકારી યોજના સારા વળતર સાથે તમારા નાણાંની સુરક્ષા પ્રદાન કરશે, જાણો સંપૂર્ણ માહિતી

|

May 19, 2022 | 7:12 AM

સુકન્યા સમૃદ્ધિ યોજનામાં પાકતી મુદત પહેલા ખાતું બંધ કરવાની સુવિધા ઉપલબ્ધ છે. ખાતું ચલાવ્યાના 5 વર્ષ પછી તમે તેને બંધ કરી શકો છો અને જમા કરેલા પૈસા લઈ શકો છો. જો કે તેની કેટલીક શરતો છે.

Sukanya Samriddhi Yojana : 7.6 ટકા રિટર્ન આપતી આ સરકારી યોજના સારા વળતર સાથે તમારા નાણાંની સુરક્ષા પ્રદાન કરશે, જાણો સંપૂર્ણ માહિતી
Sukanya Samriddhi Yojana

Follow us on

સુકન્યા સમૃદ્ધિ યોજના(Sukanya Samriddhi Yojana) એ સરકાર દ્વારા સમર્થિત યોજના છે જે દીકરીઓ માટે ચલાવવામાં આવે છે. માતા-પિતા તેમની પુત્રીના નામે આ બચત યોજના શરૂ કરી શકે છે અને સારી રકમ ઉમેરી શકે છે. બાદમાં આ રકમનો ઉપયોગ પુત્રીના શિક્ષણ અથવા લગ્ન માટે કરી શકાય છે. હાલમાં આ યોજના (SSY)નો વ્યાજ દર 7.6 ટકા છે અને આ ખાતું ઓછામાં ઓછા 250 રૂપિયામાં દીકરીના નામે શરૂ કરી શકાય છે. આ ખાતું 10 વર્ષની ઉંમર સુધી દીકરીના નામે ખોલાવી શકાય છે. ખાતામાં ઓછામાં ઓછા 250 રૂપિયા અને વધુમાં વધુ 1.5 લાખ રૂપિયા જમા કરાવી શકાય છે.

સુકન્યા સમૃદ્ધિ યોજનામાં જમા કરાયેલ પૈસા ક્યારે અને કેવી રીતે ઉપાડી શકાય?

યોજનાના પૈસા પરત મેળવવા અથવા રિટર્ન અંગે પ્રશ્નો વારંવાર પૂછવામાં આવતા હોય છે. નિયમો અનુસાર જ્યારે પુત્રી 18 વર્ષની થાય અથવા તે 10મું પાસ કરે ત્યારે તે ખાતામાંથી પૈસા ઉપાડી શકે છે. ખાતામાં જમા થયેલ કુલ બેલેન્સમાંથી 50% ઉપાડી શકાય છે. આ સંદર્ભમાં પોસ્ટ ઓફિસના નિયમો કહે છે કે સુકન્યા સમૃદ્ધિ ખાતામાંથી હપ્તામાં પણ પૈસા ઉપાડી શકાય છે. એક વર્ષમાં માત્ર એક જ હપ્તો ઉપાડી શકાય છે અને ખાતામાંથી પૈસા ઉપાડવાની છૂટ ફક્ત 5 વર્ષ માટે હપ્તામાં જ છે.

પાકતી મુદત પહેલા ખાતું કેવી રીતે બંધ કરવું?

સુકન્યા સમૃદ્ધિ યોજનામાં પાકતી મુદત પહેલા ખાતું બંધ કરવાની સુવિધા ઉપલબ્ધ છે. ખાતું ચલાવ્યાના 5 વર્ષ પછી તમે તેને બંધ કરી શકો છો અને જમા કરેલા પૈસા લઈ શકો છો. જો કે તેની કેટલીક શરતો છે. જો ખાતાધારકનું મૃત્યુ થાય તો ખાતું બંધ કરી શકાય છે. ખાતું બંધ કરવાની સુવિધા કેટલીક પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં પણ ઉપલબ્ધ છે. જો ખાતાધારકની પુત્રી અસાધ્ય અથવા જીવલેણ બિમારી હોય ખાતું ચલાવતા વાલીનું મૃત્યુ થાય તો ખાતું બંધ કરી શકાય છે. આવી સ્થિતિમાં ખાતું બંધ કરવા માટે તમામ દસ્તાવેજો અને અરજીઓ આપવી જરૂરી છે. જે પોસ્ટ ઓફિસમાં એકાઉન્ટ ચાલી રહ્યું છે, ત્યાં અરજી સબમિટ કરીને ખાતું બંધ કરવાની વિનંતી કરવાની રહેશે.

20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

21 વર્ષ પછી તમને કેટલા પૈસા મળશે

ધારો કે બાળકીનો જન્મ 2020માં થયો હતો અને તેના માતા-પિતાએ તે જ વર્ષે પુત્રીના નામે સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટ શરૂ કર્યું હતું. આ ખાતું 21 વર્ષ પછી એટલે કે 2041માં મેચ્યોર થશે. દર વર્ષે 1 લાખ રૂપિયાનું રોકાણ કરવામાં આવે છે અને રોકાણનો સમયગાળો 15 વર્ષનો છે. 15 વર્ષના અંત સુધીમાં 15 લાખ ઉમેરવામાં આવશે. જો એક વર્ષ માટે વ્યાજ દર 7.6% પર નક્કી કરવામાં આવે છે તો 21 વર્ષના અંતે 3,10,454.12 રૂપિયા વ્યાજ તરીકે ઉમેરવામાં આવશે. તદનુસાર 21 વર્ષના અંતે મેચ્યોર મૂલ્ય તરીકે પુત્રીના ખાતામાં રૂ. 43,95,380.96 જમા કરવામાં આવશે.

 

 

Published On - 7:10 am, Thu, 19 May 22

Next Article